Book Title: Nirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Author(s): Sukhlal Sanghavi, Nagin J Shah
Publisher: Jagruti Dilip Sheth Dr

View full book text
Previous | Next

Page 110
________________ કેવલજ્ઞાનનાં ઉત્પાદક કારણોનો પ્રશ્ન ૧૦૫ મીમાંસક સર્વજ્ઞવાદીઓને કહે છે કે જો સર્વજ્ઞનો તમે લોકો નીચે જણાવેલા પાંચ અર્થોમાંથી કોઈ પણ અર્થ કરો તો તમારા વિરુદ્ધ મારે કોઈ વાંધો નથી. (1) સર્વજ્ઞ એટલે “સર્વ’ શબ્દને જાણનાર. (2) સર્વજ્ઞ’ શબ્દનો અભિપ્રાય છે તેલ, પાણી આદિ કોઈ એક ચીજને પૂર્ણ રૂપમાં જાણનાર. (3) સર્વજ્ઞ’ શબ્દનો મતલબ છે આખા જગતને સામાન્યપણે જાણનાર. (4) 'સર્વજ્ઞ’ શબ્દનો અર્થ છે પોતાની પરંપરામાં જે તત્ત્વશાસ્ત્રસિદ્ધ છે તેમનું શાસ્ત્ર દ્વારા પૂર્ણ જ્ઞાન કરનાર. (5) સર્વજ્ઞ શબ્દનું તાત્પર્ય કેવળ એટલું જ છે કે જે જે વસ્તુ જે જે પ્રત્યક્ષ, અનુમાન આદિ પ્રમાણથી ગમ્ય છે તે બધી વસ્તુઓને તેમનાં ગ્રાહક બધાં પ્રમાણ દ્વારા યથાસંભવ જાણનાર. આ પાંચમાંથી કોઈ પણ પક્ષ વિરુદ્ધ મીમાંસકને વાંધો નથી, કેમ કે મીમાંસક ઉક્ત પાંચેય પક્ષોના સ્વીકાર દ્વારા ફલિત થતું સર્વજ્ઞત્વ માટે જ છે. તેને વાંધો છે તો તેની સામે કે જે પક્ષ જગતના સંપૂર્ણ પદાર્થોને પૂર્ણપણે કમથી યા યુગપત્ જાણનાર પ્રત્યક્ષને (સાક્ષાત્કારને) સ્વીકારે છે. મીમાંસકના મતે એવો કોઈ સાક્ષાત્કાર (પ્રત્યક્ષ) સંભવતો જ નથી જે જગતના સંપૂર્ણ પદાર્થોને સંપૂર્ણપણે ક્રમથી કે યુગપતું જાણતો હોય. મીમાંસકને સાક્ષાત્કારત્વમાન્ય છે પણ તે તો અસર્વવિષયક જ્ઞાનમાં. તેને સર્વવિષયકત્વ પણ અભિપ્રેત છે પરંતુ તે શાસ્ત્રજન્ય પરોક્ષ જ્ઞાનમાં જ. આ રીતે કેવલજ્ઞાનના સ્વરૂપ વિરુદ્ધ સૌથી પ્રબળ અને પ્રાચીન વાંધો ઉઠાવનાર મીમાંસક છે. બધા સર્વજ્ઞવાદીઓએ તેને પોતપોતાની રીતે જવાબ આપ્યો છે. ઉપાધ્યાયજીએ પણ કેવલજ્ઞાનના સ્વરૂપનું પરિસ્કૃત લક્ષણ કરીને, તે વિષયમાં મીમાંસકસંમત સ્વરૂપની વિરુદ્ધ જૈન મન્તવ્ય છે એ વાત દર્શાવી છે. અહીં પ્રસંગવા એક વાત વધુ જાણી લેવી જરૂરી છે. તે એ કે જો કે વેદાન્ત દર્શન પણ અન્ય સર્વજ્ઞવાદીઓની જેમ સર્વ' અર્થાત્ પૂર્ણ બ્રહ્મવિષયક સાક્ષાત્કાર માનીને પોતાને સર્વસાક્ષાત્કારાત્મક કેવલજ્ઞાનને માનનાર તરીકે દર્શાવે છે અને મીમાંસકના મન્તવ્યથી જુદું પડે છે તેમ છતાં પણ એક મુદ્દા ઉપર મીમાંસક અને વેદાન્તની એકવાક્યતા છે. આ મુદ્દો છે શાસ્ત્રસાપેક્ષતાનો. મીમાંસક કહે છે કે સર્વવિષયક પરોક્ષ જ્ઞાન પણ રાસ્ત્ર વિના થઈ રાકતું નથી. વેદાન્ત બ્રહ્મસાક્ષાત્કારરૂપ સર્વસાક્ષાત્કારને માનીને પણ તે જ વાતને કહે છે, કેમકે વેદાન્તનો મત છે કે બ્રહ્મજ્ઞાન ભલેને સાક્ષાત્કારરૂપ હોય પરંતુ તેનો સંભવ વેદાન્તશાસ્ત્ર વિના નથી. આ રીતે મૂળમાં એક જ વેદપથ પર પ્રસ્થિત મીમાંસક અને વેદાન્તનો કેવલજ્ઞાનના સ્વરૂપના વિષયમાં મતભેદ હોવા છતાં પણ તેના ઉત્પાદક કારણરૂપે એક માત્ર વેદશાસ્ત્રનો સ્વીકાર કરવામાં કોઈ પણ મતભેદ નથી. (3) કેવલજ્ઞાનનાં ઉત્પાદક કારણોનો પ્રશ્ન [59] કેવલજ્ઞાનનાં ઉત્પાદક કારણો અનેક છે, જેવાં કે ભાવના, અદષ્ટ, વિશિષ્ટ શબ્દ અને આવરણક્ષય આદિ. તેમનામાંથી કોઈ એકને પ્રાધાન્ય અને બાકીનાને અપ્રાધાન્ય આપીને વિભિન્ન દાર્શનિકોએ કેવલજ્ઞાનની ઉત્પત્તિનાં જુદાં જુદાં કારણો સ્થાપિત ક્ય છે. 6. એજન, કારિકા3129થી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130