Book Title: Nirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Author(s): Sukhlal Sanghavi, Nagin J Shah
Publisher: Jagruti Dilip Sheth Dr

View full book text
Previous | Next

Page 111
________________ ૧૦૬ જ્ઞાનબિન્દુનું પરિશીલન ઉદાહરણાર્થ, સાંખ્યયોગ અને બૌદ્ધ દનકેવલજ્ઞાનના જનક તરીકે ભાવનાનું પ્રતિપાદન કરે છે, જ્યારે ન્યાયશેષિક દર્શન યોગજ અદષ્ટને કેવલજ્ઞાનજનક દર્શાવે છે. વેદાન્ત ‘તત્ત્વમસિ' જેવા મહાવાક્યને કેવલજ્ઞાનજનક માને છે, જ્યારે જેને દર્શન કેવલજ્ઞાનજનક તરીકે આવરણક્ષયને અર્થાત્ કર્મક્ષયને સ્થાપે છે. ઉપાધ્યાયજીએ પણ પ્રસ્તુત ગ્રન્થમાં કર્મક્ષયને જ કેવલજ્ઞાનજનક તરીકે સ્થાપિત કરવા માટે અન્ય પક્ષોનો નિરાશર્યો છે. મીમાંસા જે મૂળથી કેવલજ્ઞાનના વિરુદ્ધ છે તેણે સર્વાનો અસંભવ દર્શાવવા માટે ભાવનામૂલક સર્વજ્ઞત્વવાદીની સામે એ દલીલ કરી છે કે ભાવનાજન્ય જ્ઞાન યથાર્થ હોઈ શકે જ નહિ, જેમકે કામુક વ્યક્તિનો ભાવનામૂલક સ્વાખિક કામિનીસાક્ષાત્કાર. [61] બીજું એ કે ભાવનાજ્ઞાન પરોક્ષ હોવાથી અપરોક્ષ સાર્વજ્ઞયનું જનક પણ બની શક્યું નથી. ત્રીજું એ કે જો ભાવનાને સાર્વજ્ઞયજનક માનવામાં આવે તો એક અધિક પ્રમાણ પણ માનવું પડે [પૃ. 20 ૫. 235. મીમાંસકે આપેલા ત્રણ દોષમાંથી પહેલા બે દોષોનો ઉદ્ધાર તો સાંખ્યયોગ આદિ બધા ભાવનાકારણવાદી એકસરખી રીતે કરે છે, જ્યારે ઉપાધ્યાયજી ઉક્ત ત્રણે દોષોનો ઉદ્ધાર પોતાનો સિદ્ધાન્તભેદ [62] દર્શાવીને જ કરે છે. તે જ્ઞાનબિન્દુમાં કર્મક્ષયના પક્ષ પર ભાર દઈને કહે છે કે વાસ્તવમાં તો સાર્વયનું કારણ કર્મક્ષય જ છે. કર્મક્ષયને પ્રધાન માનવામાં તેમનો અભિપ્રાય એ છે કે તે જ કેવલજ્ઞાનની ઉત્પત્તિનું અવ્યવહિત કારણ છે. તેમણે ભાવનાને કારણ માન્યું નથી તે તો અપ્રાધાન્યની દષ્ટિએ. તે સ્પષ્ટ કહે છે કે ભાવના જે શુક્લધ્યાનનું જ નામાન્તર છે તે કેવલજ્ઞાનની ઉત્પાદક અવશ્ય છે પરંતુ કર્મક્ષય દ્વારા જ. તેથી ભાવના કેવલજ્ઞાનનું અવ્યવહિત કારણ ન હોવાથી કર્મક્ષયની અપેક્ષાએ અપ્રધાન જ છે. જે યુક્તિથી તેમણે ભાવનાકારણવાદનો નિરોસર્યો છે તે જ યુક્તિથી તેમણે અદષ્ટકારણવાદનો પણ નિરાશર્યો છે [63]. તે કહે છે કે જો યોગજન્ય અદષ્ટ સાર્વયનું કારણ હોય તો પણ તે કર્મરૂપ પ્રતિબન્ધકના નાશ વિના સાર્વયને પેદા કરી શકે નહિ. આવી હાલતમાં અદષ્ટની અપેક્ષાએ કર્મક્ષય જ કેવલજ્ઞાનની ઉત્પત્તિનું પ્રધાન કારણ સિદ્ધ થાય છે. શબ્દકારણવાદનો નિરાસ ઉપાધ્યાયજીએ એ જ કહીને કર્યો છે કે સહકારી કારણો ગમે તેટલાં સમર્થકેમ ન હોય પરંતુ પરોક્ષ જ્ઞાનનો જનક શબ્દ કદી તેમના સહકારથી અપરોક્ષ જ્ઞાનનો જનક બની શકે જ નહિ. સાર્વજ્ઞયની ઉત્પત્તિનો ક્રમબધાં દર્શનોમાં સમાન જ છે. પરિભાષાભેદ પણ નજીવો છે. આ વાતની પ્રતીતિ નીચે કરવામાં આવેલી તુલનાથી જઈ શકે. 1. જૈન 1. સમ્યગ્દર્શન 2. ક્ષપકશ્રેણીનો અર્થાત્ રાગાદિના નાશનો પ્રારંભ 3. શુક્લધ્યાનના બળે મોહનીયનો અર્થાત્રાગાદિદોષનો આત્મત્તિક ક્ષય 4. જ્ઞાનાવરણના સર્વથાના દ્વારા સર્વજ્ઞત્વ 7. જુઓ જ્ઞાનબિન્દુ ટિપ્પણ, પૃ. 108 પંક્તિ 23થી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130