Book Title: Nirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Author(s): Sukhlal Sanghavi, Nagin J Shah
Publisher: Jagruti Dilip Sheth Dr
View full book text
________________
વૈરાભ્ય આદિ ભાવનાઓનું નિરૂપણ અને વૈરાભ્ય ભાવનાનો નિરાસ ૧૦૯ (5) નૈરાભ્ય આદિ ભાવનાઓનું નિરૂપણ અને નૈરાગ્ય ભાવનાનો નિરાસઃ
[69] પહેલાં તુલના દ્વારા એ દર્શાવી ગયા છીએ કે બધાં આધ્યાત્મિક દર્શનો ભાવના અર્થાત્ ધ્યાન દ્વારા જ અજ્ઞાનનો સર્વથા નાશ અને કેવલજ્ઞાનની ઉત્પત્તિ માને છે. જ્યારે સાર્વયપ્રાપ્તિ માટે ભાવના આવશ્યક છે ત્યારે એ પણ વિચાર કરવો પ્રાપ્ત થાય છે કે તે ભાવનાકેવી અર્થાત્ કિંવિષયક? ભાવનાના સ્વરૂપવિષયક પ્રશ્નનો જવાબ બધાનો એકસરખો નથી. દાર્શનિક શાસ્ત્રોમાં નિરૂપાયેલી ભાવના સંક્ષેપમાં ત્રણ પ્રકારની છે નૈરાગ્યભાવના, બ્રહ્મભાવના અને વિવેકભાવના. નૈરામ્યભાવના બૌદ્ધોની છે. બ્રહ્મભાવના ઔપનિષદ દર્શનની છે. બાકીનાં બધાં દર્શનો વિવેકભાવનાને માને છે. નૈરાગ્યભાવના તે છે જેમાં એવો વિશ્વાસ કરવામાં આવે છે કે સ્થિર આત્મા જેવી કોઈ વસ્તુ જ નથી. જે કંઈ છે તે બધું ક્ષણિક અને અસ્થિર જ છે. તેનાથી વિપરીત બ્રહ્મભાવનાતે છે જેમાં એવો વિશ્વાસ કરવામાં આવે છે કે બ્રહ્મ અર્થાત્ આત્મતત્ત્વ સિવાય બીજી કોઈ વસ્તુ પારમાર્થિક નથી, તથા આત્મતત્ત્વ પણ ભિન્ન ભિન્ન નથી. વિવેકભાવના તે છે જે આત્મા અને જડ બન્ને દ્રવ્યોનું પારમાર્થિક અને
સ્વતંત્ર અસ્તિત્વ સ્વીકારીને ચાલે છે. વિવેકભાવનાને ભેદભાવના પણ કહી શકાય, કેમકે તેમાં જડ અને ચેતનના પારસ્પરિક ભેદની જેમ જડ તત્ત્વમાં તથા ચેતન તત્ત્વમાં પણ ભેદ માનવાનો અવકાશ છે. ઉક્ત ત્રણે ભાવનાઓ સ્વરૂપમાં એકબીજાથી તદ્દન વિરુદ્ધ છે, તેમ છતાં તેમના દ્વારા ઉદ્દેશ્યસિદ્ધિમાં કોઈ અન્તર પડતું નથી. નૈરાગ્યભાવનાના સમર્થક બૌદ્ધો કહે છે કે જો આત્મા જેવી કોઈ સ્થિર વસ્તુ હોય તો તેના ઉપર સ્નેહ પણ શાશ્વત રહે જેના કારણે તૃષ્ણામૂલક સુખમાં રાગ અને દુઃખમાં દ્વેષ થાય છે, જ્યાં સુધી સુખરાગ અને દુઃખલ હોય ત્યાં સુધી પ્રવૃત્તિનિવૃત્તિનું અર્થાત્ સંસારનું ચક્ર પણ અટકતું નથી. તેથી જેણે સંસારથી મુક્ત થવું હોય તેના માટે સરળ અને મુખ્ય ઉપાય આત્માભિનિવેશ છોડવો એ જ છે. બૌદ્ધ દષ્ટિ અનુસાર બધા દોષોનું મૂળકેવળ સ્થિર આત્મતત્ત્વના સ્વીકારમાં જ રહેલું છે. એક વાર તે અભિનિવેશનો સર્વથા પરિત્યાગ પછી તો નહિ રહે વાંસકે નહિ રહે વાંસળી- અર્થાત્ મૂળ જ કપાઈ જવાથી સ્નેહ અને તૃષ્ણામૂલક સંસારચક્ર આપોઆપ બંધ પડી જશે.
બ્રહ્મભાવનાના સમર્થક કહે છે કે અજ્ઞાન જ દુઃખ અને સંસારનું મૂળ છે. આપણે આત્મભિન્ન વસ્તુઓને પારમાર્થિક માનીને તેમના ઉપર અહંત્વમમત્વ ધારણ કરીએ છીએ અને ત્યારે જ રાગદ્વેષમૂલક પ્રવૃત્તિનિવૃત્તિનું ચક્ર ચાલે છે. જો આપણે બ્રહ્નભિન્નવસ્તુઓમાં પારમાર્થિકત્વ માનવાનું છોડી દઈએ અને એક માત્ર બ્રહ્મનું પારમાર્થિકત્વ માનીએ તો અજ્ઞાનમૂલક અાંત્વમમત્વની બુદ્ધિનાશ પામી જવાથીતમૂલક રાગદ્વેષજન્ય પ્રવૃત્તિનિવૃત્તિનું ચક આપોઆપ જ અટકી જશે.
વિવેકભાવનાના સમર્થકો કહે છે કે આત્મા અને જડ બન્નેમાં પારમાર્થિકત્વબુદ્ધિ થવા માત્રથી મહત્વમમત્વથી બચી શકાતું નથી અને ન તો આત્માને સ્થિર માનવામાત્રથી રાગદ્વેષાદિની પ્રવૃત્તિ થાય છે. તેમનું મન્તવ્ય છે કે આત્માને આત્મરૂપ ન સમજવો અને અનાત્માને અનાત્મરૂપ ન સમજવો એ અજ્ઞાન છે. તેથી જ જડમાં આત્મબુદ્ધિ અને 9. એજન, પૃ. 109 પંક્તિ 30થી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org