Book Title: Nirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Author(s): Sukhlal Sanghavi, Nagin J Shah
Publisher: Jagruti Dilip Sheth Dr

View full book text
Previous | Next

Page 106
________________ અવધિ અને મન પર્યાયની ચર્ચા ૧૦૧ મૂર્ત પદાર્થોનો સાક્ષાત્કાર કરી શકે છે. મનઃ પર્યાય પ્રત્યક્ષ તે છે જે માત્ર મનોગત વિવિધ અવસ્થાઓનો સાક્ષાત્કાર કરે છે. આ બે પ્રત્યક્ષોનું જૈન વાડ્મયમાં બહુ વિસ્તાર અને ભેદપ્રભેદવાળું મનોરંજક વર્ણન છે. વૈદિક દર્શનના અનેક ગ્રન્થોમાં - ખાસ કરીને પાતંજલયોગસૂત્ર” અને તેના ભાષ્ય આદિમાં ઉપર્યુક્ત બન્ને પ્રકારના પ્રત્યક્ષનું યોગવિભૂતિરૂપે સ્પષ્ટ અને આકર્ષક વર્ણન છે.' વૈશેષિકસૂત્ર'ના પ્રશસ્તપાદભાષ્યમાં પણ થોડુંક પણ સ્પષ્ટ વર્ણન છે. બૌદ્ધ દર્શનના મઝિમનિકાય' જેવા પ્રાચીન ગ્રન્થોમાં પણ તેવા જ આધ્યાત્મિક પ્રત્યક્ષોનું સ્પષ્ટ વર્ણન છે. જેને પરંપરામાં મળતો અવધિજ્ઞાન’ શબ્દ તો જૈનેતર પરંપરાઓમાં દેખાતો નથી પરંતુ જૈન પરંપરાનો “મનઃ પર્યાય’ શબ્દ તો “પરચિત્તજ્ઞાન' યા ‘પરચિત્તવિજાનના” જેવા સદરારૂપમાં અન્યત્ર જોવામાં આવે છે. ઉક્ત બે જ્ઞાનોની દીનાન્તરીય તુલના આવી છે - 1. જૈન 2. વૈદિક 3. બૌદ્ધ વૈશેષિક પાતંજલ 1. અવધિ | 1. વિયુક્તયોગિપ્રત્યક્ષ 1. ભવનજ્ઞાન 1. - અથવા તારાબૃહજ્ઞાન મુંજાનયોગિપ્રત્યક્ષ ધૃવગતિજ્ઞાન આદિ 2. મનઃ પર્યાય | 2. – 2. પરિચિત્તજ્ઞાન | 2. પરિચિત્તજ્ઞાન, || ચેતઃ પરિજ્ઞાન મનઃ પર્યાયજ્ઞાનનો વિષય મન દ્વારા ચિત્યમાન વસ્તુ છે કે ચિન્તનપ્રવૃત્ત મનોદ્રવ્યની અવસ્થાઓ છે - આ બાબતે જૈન પરંપરામાં એકમત્ય નથી. નિર્યુક્તિ અને તત્ત્વાર્થસૂત્ર તથા તત્ત્વાર્થસૂત્રની ટીકાઓમાં પહેલા પક્ષનું વર્ણન છે, જ્યારે વિશેષાવશ્યકભાષ્યમાં બીજા પક્ષનું સમર્થન કરવામાં આવ્યું છે. પરંતુ યોગભાષ્ય તથા મજૂઝિમનિકાયમાં જે પરિચિત્તજ્ઞાનનું વર્ણન છે તેમાં કેવળ બીજો જ પક્ષ છે જેનું સમર્થન જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે ર્યું છે. યોગભાખ્યકાર તથા મઝિમનિકા કાર સ્પષ્ટ શબ્દોમાં એ જ કહે છે કે આવા પ્રત્યક્ષ દ્વારા બીજાના ચિત્તનો જ સાક્ષાત્કાર થાય છે, ચિત્તના આલંબનનો સાક્ષાત્કાર થતો નથી. યોગભાષ્યમાં તો ચિત્તના આલંબનનું ગ્રહણ ન થઈ શક્તાના પક્ષમાં દલીલો પણ આપવામાં આવી છે. 1. જુઓયોગસૂત્રનો વિભૂતિપાદ, સૂત્ર19, 26 ઇત્યાદિ. 2. જુઓ કન્ડલીટીકા સહિત પ્રશસ્તપાદભાષ્ય, પૃ. 187. 3. જુઓ મજુઝિમનિકાય, સુત્ત 6. 4. ‘પ્રત્યયસ્થ પવિત્તજ્ઞાનમાં યોગસૂત્ર, 3.19. 5. જુઓ અભિધમ્મત્યસંગ્રહો, 9.24 6. જુઓ પ્રમાણમીમાંસા ભાષાટિપ્પણ, પૃ. 37; તથા જ્ઞાનબિન્દુ ટિપ્પણ, પૃ. 107. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130