Book Title: Nirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Author(s): Sukhlal Sanghavi, Nagin J Shah
Publisher: Jagruti Dilip Sheth Dr

View full book text
Previous | Next

Page 90
________________ ૮૫ ચુતનિશ્ચિત અને અમૃતનિશ્ચિત મતિ અશ્રુતનિશ્ચિત બે ભેદોનું ઉપર્યુક્ત સ્પષ્ટીકરણ ક્યું છે તેમનું ઐતિહાસિક સ્થાન શું છે? આનો ખુલાસો એ જણાય છે કે ઉક્ત બને ભેદ એટલા પ્રાચીન નથી જેટલા પ્રાચીન મતિજ્ઞાનના અવગ્રહ આદિ અન્ય ભેદ છે કેમકે મતિજ્ઞાનના અવગ્રહ આદિ તથા બહુ, બહુવિધ આદિ બધા પ્રકાર શ્વેતામ્બર-દિગમ્બર વાલ્મયમાં સમાન૫ણે વર્ણવાયેલા છે, જ્યારે મૃતનિશ્રિત અને અમૃતનિશ્રિતનું વર્ણન એક માત્ર શ્વેતામ્બરીય ગ્રન્થોમાં છે. શ્વેતામ્બર સાહિત્યમાં પણ આ બે ભેદોનું વર્ણન સૌપ્રથમ “નન્દીસૂત્રમાં જ જોવામાં આવે છે. “અનુયોગદ્વાર માં તથા ‘નિર્યુક્તિ સુધીમાં મૃતનિશ્ચિત અને અશ્રુતનિશ્ચિતના ઉલ્લેખનું ન હોવું એ સૂચવે છે કે આ ભેદ સંભવતઃ “નન્દી’ની રચનાના સમયથી વિશેષ પ્રાચીન નથી. સંભવ છે કે તે સૂઝ ખુદ નન્દીકારની જ હોય. અહીં વાચક ઉમાસ્વાતિના સમય અંગે વિચાર કરનારાઓ માટે ધ્યાનમાં લેવાયોગ્ય એક વસ્તુ છે. તે એ કે વાચકશ્રીએ જ્યારે મતિજ્ઞાનના અન્ય બધા પ્રકારોનું વર્ણન કર્યું છે22 ત્યારે તેમણે શ્રુતનિશ્રિત અને અમૃતનિશ્રિતનો પોતાના ભાષ્ય સુધ્ધાંમાં ઉલ્લેખ પણ કર્યો નથી. વાચકશ્રી પોતે, આચાર્યશ્રી હેમચન્દ્ર કહે છે તેમ, ખરેખર ઉત્કૃષ્ટ સંગ્રાહક22 છે. જો તેમની સામે વર્તમાન નન્દીસૂત્ર’ હોત તો તે વ્યુતનિશ્રિત અને અશ્રુતનિશ્રિતનો ક્યાંક ને ક્યાંક સંગ્રહ કરવાનું ભાગ્યે જ ચૂત. અમૃતનિશ્રિતની ઔત્પત્તિકીāનયિકી આદિ જે ચાર બુદ્ધિઓનું તથા તેમનાં મનોરંજક દષ્ટાન્તોનું વર્ણન પહેલેથી મળે છે, તેમને પોતાના ગ્રન્થમાં ક્યાંક ને ક્યાંક સંગૃહીત કરવાનો લોભ ઉમાસ્વાતિ ભાગ્યે જ રોકી શક્યા હોત. એક બાજુ, વાચકશ્રીએ ક્યાંય પણ અક્ષર-અક્ષર આદિ નિર્યુક્તિનિર્દિષ્ટ વ્યુતભેદોનો સંગ્રહ કર્યો નથી અને બીજી તરફ ક્યાંય પણ નન્દીવર્ણિત શ્રુતનિશ્રિત અને અમૃતનિશ્ચિત મતભેદોનો સંગ્રહ પણ કર્યો નથી. પરંતુ ઉત્તરવર્તી વિશેષાવશ્યભાષ્યમાં બન્ને પ્રકારનો સંગ્રહ અને તેમનું વર્ણન જોવામાં આવે છે.25 આ વસ્તુ સૂચવે છે કે સંભવતઃ વાચક ઉમાસ્વાતિનો સમય નિર્યુક્તિના તે ભાગની રચનાના સમયથી તથાનન્દીની રચનાના સમયથી કંઈકને કંઈક પૂર્વવર્તી છે. અસ્તુ, જે હોય તે, 20. જો કે અમૃતનિશ્ચિતરૂપ મનાતી ઔત્પત્તિકી આદિ ચાર બુદ્ધિઓનો નામનિર્દેશ ભગવતી(12.5)માં અને આવશ્યકનિર્યુક્તિ(ગાયા 938)માં છે, જે અવશ્ય નંદીની પૂર્વેની રચનાઓ છે, તેમ છતાં ત્યાં તે બુદ્ધિઓને અમૃતનિશ્ચિત શબ્દથી નિર્દેશવામાં આવી નથી અને ભગવતી આદિમાં અન્યત્ર ક્યાંય મૃતનિશ્ચિત શબ્દથી અવગ્રહ આદિ મતિજ્ઞાનનું વર્ણન નથી. તેથી જ આ કલ્પના થાય છે કે અવગ્રહાદિરૂપે પ્રસિદ્ધ મતિજ્ઞાન અને ઔત્પત્તિકી આદિ રૂપે પ્રસિદ્ધ બુદ્ધિઓની ક્રમશઃ મૃતનિશ્રિત અને અમૃતનિશ્ચિતરૂપે મતિજ્ઞાનની વિભાગવ્યવસ્થાનંદીકારે જ કદાચકરી હોય. 21. જુઓનન્દીસૂત્ર, સૂત્ર 26; તથા જ્ઞાનબિન્દુ ટિપ્પણ, પૃ. 70. 22. જુઓ તત્ત્વાર્થસૂત્ર, 1.13-19. 23. જુઓ સિદ્ધહેમ, 2.2.39 24. દાન્તો માટે જુનન્દી સૂત્રની મલયગિરિકૃત ટીકા, પૃ. 144થી. 25. જુઓ વિશેષાવશ્યકભાષ્ય, ગાયા 169થી આગળ તથા ગાથા454થી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130