Book Title: Nirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Author(s): Sukhlal Sanghavi, Nagin J Shah
Publisher: Jagruti Dilip Sheth Dr

View full book text
Previous | Next

Page 97
________________ ૨ ઘનબિન્દુનું પરિશીલન સમગ્ર જેન વાલ્મયમાં મળતા અહિંસાના ઊહાપોહ ઉપર જ્યારે આપણે દષ્ટિપાત કરીએ છીએ ત્યારે આપણને સ્પષ્ટ જણાય છે કે જેને વાલ્મયનો અહિંસા સંબંધી ઊહાપોહ મુખ્યપણે ચાર બળો પર આધાર રાખે છે. પહેલું બળ તો એ કે તે પ્રધાનપણે સાધુજીવનનો જ અને તેથી જ નવકોટિક અર્થાત્ પૂર્ણ અહિંસાનો જ વિચાર કરે છે. બીજું બળ એ કે તે બ્રાહ્મણ પરંપરામાં વિહિત મનાતી અને પ્રતિષ્ઠિત ગણાતી યજ્ઞીય આદિ અનેકવિધ હિંસાઓનો વિરોધ કરે છે. ત્રીજું બળ એ કે તે અન્ય શ્રમણ પરંપરાઓના ત્યાગી જીવનની અપેક્ષાએ પણ જેન શ્રમણનું ત્યાગી જીવન વિશેષ નિયંત્રિત રાખવાનો આગ્રહ રાખે છે. ચોથું બળ એ કે તે જેને પરંપરાના જ અવાન્તર ફિરકાઓમાં ઉત્પન્ન થતા પારસ્પરિક વિરોધના પ્રશ્નોના નિરાકરણનો પણ પ્રયત્ન કરે છે. નવોટિક અર્થાત્ પૂર્ણ અહિંસાના પાલનનો આગ્રહ પણ રાખવો અને સંયમ યા સગુણવિકાસની દષ્ટિએ જીવનનિર્વાહનું સમર્થન પણ કરવું - આ વિરોધમાંથી હિંસાના દ્રવ્ય, ભાવ આદિ ભેદોનો ઊહાપોહ ફલિત થયો અને છેવટે એક માત્ર નિશ્ચય સિદ્ધાન્ત એ જ સ્થાપિત થયોકે અંતે તો પ્રમાદ જ હિંસા છે. અપ્રમત્ત જીવનવ્યવહાર ભલે હિંસાત્મક દેખાતો હોય તેમ છતાં પણ તે વસ્તુતઃ અહિંસક જ છે. જ્યાં સુધી આ અંતિમ નિર્ણયનો સંબંધ છે ત્યાં સુધી શ્વેતામ્બરદિગમ્બર આદિ કોઈ પણ જૈન ફિરકાનો એમાં જરા પણ મતભેદ નથી. બધા ફિરકાઓની વિચારસરણી, પરિભાષા અને દલીલો એકસરખી છે. આ આપણે જ્ઞાનબિન્દુનાં ટિપ્પણગત શ્વેતામ્બરીય વિસ્તૃત અવતરણોમાંથી સારી રીતે જાણી શકીએ છીએ. વૈદિક પરંપરામાં યજ્ઞ, અતિથિ, શ્રાદ્ધ આદિ અનેક નિમિત્તે થતી જે હિંસાને ધાર્મિક માનીને પ્રતિષ્ઠા આપવામાં આવતી હતી તેનો વિરોધ સાંખ્ય, બૌદ્ધ અને જેને પરંપરાએ એકસરખો ક્ય છે તેમ છતાં આગળ જઈને આ વિરોધમાં મુખ્ય ભાગ બૌદ્ધ અને જેનનો જ રહ્યો છે. જૈન વામયગત અહિંસાના ઊહાપોહમાં ઉક્ત વિરોધની ઊંડી છાપ અને પ્રતિક્રિયા પણ છે. પદે પદે જૈન સાહિત્યમાં વૈદિક હિંસાનું ખંડન જોવામાં આવે છે. સાથે સાથે જ જ્યારે વૈદિક લોકો જેનો પ્રતિ એ આશંકા કરે છે કે જો ધાર્મિક હિંસા પણ અકર્તવ્ય હોય તો તમે જૈન લોકો તમારી સમાજરચનામાં મદિરનિર્માણ, દેવપૂજા આદિ ધાર્મિક કૃત્યોનો સમાવેશ અહિંસકરૂપે કેવી રીતે કરી શકશો ઇત્યાદિ ત્યારે આ પ્રશ્નનો જે ખુલાસો જેનો કરે છે તે પણ જેન વાલ્મયના અહિંસા સંબંધી ઊહાપોહમાં સવિસ્તર મળે છે. માનસિક દોષ પ્રમાદ જ મુખ્યપણે હિંસા છે અને તે દોષથી જન્મેલો જ પ્રાણનાશ હિંસા છે. આ વિચાર જૈન અને બૌદ્ધ પરંપરામાં એકસરખો માન્ય છે. તેમ છતાં આપણે દેખીએ છીએ કે પુરાકાળથી જૈન અને બૌદ્ધ પરંપરાની વચ્ચે અહિંસાના સંબંધમાં પારસ્પરિક ખંડનમંડનબહુ થયું છે. સૂત્રકૃતાંગ” જેવા પ્રાચીન આગમમાં પણ અહિંસા સંબંધી બૌદ્ધ મન્તવ્યનું ખંડન છે. તેવી જ રીતે મજૂઝિમનિકાય” જેવા પિટક ગ્રન્થોમાં પણ જનસંમત અહિંસાનું સપરિહાસ ખંડન મળે છે. ઉત્તરવર્તી નિર્યુક્તિ આદિ જૈન ગ્રન્થોમાં તથા “અભિધર્મકોષ આદિ બૌદ્ધ ગ્રન્થોમાં પણ તે જ પુરાણું ખંડનમંડન નવા રૂપમાં જોવા મળે છે. જ્યારે જેનબૌદ્ધ બને પરંપરાઓ વૈદિક હિંસાની એકસરખી વિરોધી છે અને જ્યારે બન્નેની અહિંસા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130