Book Title: Nirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Author(s): Sukhlal Sanghavi, Nagin J Shah
Publisher: Jagruti Dilip Sheth Dr
View full book text
________________
ફાળબિન્દુનું પરિશીલન પરંતુ ઉપાધ્યાયજીએ તો જ્ઞાનબિન્દુમાં મૃતથીમતિનું પાર્થક્યદર્શાવતી વખતે નન્દીમાં વર્ણિત તથા વિશેષાવાયકભાષ્યમાં વ્યાખ્યાત શ્રુતનિશ્રિત અને અમૃતનિશ્રિત બને ભેદોની તાત્ત્વિક સમીક્ષા કરી છે. (3) ચતુર્વિધ વાક્યર્થના જ્ઞાનનો ઈતિહાસ:
[20-26] ઉપાધ્યાયજીએ એક દીર્ઘકૃતોપયોગને કેવી રીતે મનાય એ દેખાડવા માટે ચાર પ્રકારના વાક્યર્થના જ્ઞાનની મનોરંજક અને બોધપ્રદ ચર્ચા26 કરી છે અને તેને વિરોષપણે જાણવા માટે આચાર્ય હરિભદ્રકૃત ઉપદેશપદ આદિનો હવાલો પણ આપ્યો છે. અહીં પ્રશ્ન એ છે કે આ ચાર પ્રકારના વાક્યાર્થો શું છે અને તેનો વિચાર કેટલો પ્રાચીન છે અને તે કેવી રીતે જેન વાડ્મયમાં પ્રચલિત રહ્યો છે તથા વિકાસ પામતો રહ્યો છે? આનો જવાબ આપણને પ્રાચીન અને પ્રાચીનતર વાલ્મય જોવાથી મળી જાય છે.
જૈન પરંપરામાં “અનુગમ” શબ્દ પ્રસિદ્ધ છે જેનો અર્થ વ્યાખ્યાનવિધિ છે. અનુગામના પ્રકાર આર્યરક્ષિતસૂરિએ અનુયોગકારસૂત્રમાં (સૂત્ર155) દર્શાવ્યા છે જે છમાંથી બે અનુગમ સૂત્રસ્પર્શે છે અને ચાર અર્થસ્પર્શી છે. અનુગમ શબ્દનો નિર્યુક્તિ શબ્દ સાથે સૂત્રસ્પર્શિકનિર્મુલ્યનુગમ એ રૂપે ઉલ્લેખ અનુયોગકારસૂત્રથી પ્રાચીન છે, એટલે એ વાતમાં તો કોઈ સંદેહ રહેતો જ નથી કે આ અનુગમપદ્ધતિ યા વ્યાખ્યાનોલી જૈન વાડ્મયમાં અનુયોગદ્વારસૂત્રથી પ્રાચીન છે તેમજ નિર્યુક્તિના પ્રાચીનતમ સ્તરનો જ ભાગ છે જે ભાગ સંભવતઃ શ્રુતકેવલી ભદ્રબાહુકર્તક મનાતી નિયુક્તિનો જ ભાગ હોવો જોઈએ. નિર્યુક્તિમાં અનુગમ શબ્દથી જે વ્યાખ્યાનવિધિનો સમાવેશ થયો છે તે વ્યાખ્યાનવિધિ પણ વસ્તુતઃ બહુ પ્રાચીન સમયથી એક શાસ્ત્રીય પ્રક્રિયા રહી છે. આપણે જ્યારે આર્ય પરંપરાના ઉપલબ્ધ વિવિધ વાત્મયને અને તેમની પાઠૌલીને જોઈએ છીએ ત્યારે આ અનુગામની પ્રાચીનતા વળી વધુ ધ્યાનમાં આવી જાય છે. આર્ય પરંપરાની એક શાખા જરથોસ્બિયનને જોઈએ છીએ ત્યારે તેમાં પણ પવિત્ર મનાતા અવેસ્તા આદિ ગ્રન્થોનો પ્રથમ વિશુદ્ધ ઉચ્ચાર કેવી રીતે કરવો, કેવી રીતે પદ આદિનો વિભાગ કરવો ઈત્યાદિ કમે વ્યાખ્યાવિધિને જોઈએ છીએ. ભારતીય આર્ય પરંપરાની વૈદિક શાખામાં જે મોનો પાઠ શિખવાડવામાં આવે છે અને ક્રમશઃ જે તેની અર્થવિધિ દર્શાવવામાં આવી છે તેની જેન પરંપરામાં પ્રસિદ્ધ અનુગમ સાથે તુલના કરશો તો એ વાતમાં કોઈ સંદેહ જ નહિ રહે કે આ અનુગમવિધિ વસ્તુતઃ તે જ છે જે જરથોશ્ચિયન ધર્મમાં તથા વૈદિક ધર્મમાં પણ પ્રચલિત હતી અને આજે પણ પ્રચલિત છે. જેન અને વૈદિક પરંપરાની પાઠ તથા અર્થવિધિવિષયક તુલના1. વૈદિક
2. જૈન 1. સંહિતાપાઠ (મન્ત્રપાઠ)
1. સંહિતા (મૂલસૂત્રપાઠ) 1 2. પદચ્છેદ (જેમાં પદકમ, જટા 2. પદ 2.
આદિ આઠ પ્રકારની વિવિધ
આનુપૂર્વીઓનો સમાવેશ છે.) 26. જુઓ જ્ઞાનબિન્દુ ટિપ્પણ પૃ. 73થી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org