Book Title: Nirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Author(s): Sukhlal Sanghavi, Nagin J Shah
Publisher: Jagruti Dilip Sheth Dr

View full book text
Previous | Next

Page 87
________________ જ્ઞાનબિન્દુનું પરિશીલન છે, જેમાં તેનું સહોદર શ્રુતિપદ વૈદિક પરંપરાનાં પ્રાચીન અને પવિત્ર મનાતાં શાસ્ત્રો સાથે સંબંધ ધરાવે છે. આ પ્રયત્ન આગમિક એટલા માટે છે કેમ કે તેમાં મુખ્યપણે આગમપરંપરાનું જ અનુસરણ છે. “અનુયોગદ્વાર તથા ‘તાર્યાધિગમસૂત્ર'માં મળતું શ્રતનું વર્ણન આ પ્રયત્નનું ફળ છે, જે બહુ પ્રાચીન જણાય છે. (જુઓ અનુયોગકારસૂત્ર સૂત્ર 3થી અને તત્ત્વાર્થાધિગમસૂત્ર 1.20). [15, 29થી બીજા પ્રયત્નમાં મતિ અને શ્રુતની ભેદરેખાતો માની જ લીધી છે પરંતુ તેમાં જે મુકેલી દેખાય છે તે છે ભેદરેખાનું સ્થાન નિશ્ચિત કરવાની પહેલાની અપેક્ષાએ બીજો પ્રયત્ન વિશેષ વ્યાપક છે કેમકે પહેલા પ્રયત્ન અનુસાર શ્રુતજ્ઞાન જ્યારે શબ્દ સાથે જ સંબંધ ધરાવે છે ત્યારે બીજા પ્રયત્નમાં રાબ્દાતીત જ્ઞાનવિશેષને પણ મૃત માની લીધેલ છે. બીજા પ્રયત્ન સામે પ્રશ્ન ખડો થયો કે જો મતિજ્ઞાનમાં પણ કોઈ અંશ સશબ્દ અને કોઈ અંરા અશબ્દ છે તો પછી સશબ્દ અને શબ્દાતીત માનવામાં આવતા શ્રુતજ્ઞાનથી તેનો ભેદ કેવી રીતે સમજવો? આનો જવાબ બીજા પ્રયત્ન ઊંડાણમાં જઈને એ આપ્યોકે અસલમાં મહિલબ્ધિ અને શ્રુતલબ્ધિતથા મત્યુપયોગ અને મૃતોપયોગ પરસ્પર તદ્દન પૃથફ છે, ભલેને તે બન્ને જ્ઞાન સશબ્દ અને અશબ્દરૂપે એકસમાન હોય. બીજા પ્રયત્ન અનુસાર બને જ્ઞાનનો પારસ્પરિક ભેદ લબ્ધિ અને પ્રયોગના ભેદની માન્યતા પર જ અવલંબિત છે જે માન્યતા જેનતત્ત્વજ્ઞાનમાં ચિરપ્રચલિત છે. અક્ષર શ્રત અને અનક્ષર વ્યુતરૂપે જે શ્રુતના ભેદો જેન વાલ્મયમાં છે તે આ બીજા પ્રયત્નનું પરિણામ છે. “આવશયકનિર્યુક્તિ” (ગાથા 19) અને “નન્દીસૂત્ર” (સૂત્ર 37)માં જે ‘અd સની ' આદિ ચૌદ મૃતભેદો સૌપ્રથમ જોવામાં આવે છે અને જે કોઈ પ્રાચીન દિગમ્બરીય ગ્રન્થમાં અમારા જોવામાં નથી આવ્યા તેમનામાં અક્ષર અને અનક્ષર શ્રત આ બે ભેદ સૌપ્રથમ જ આવે છે. બાકીના બાર ભેદ તે જ બે ભેદોના આધાર ઉપર અપેક્ષાવિશેષથી ગણાવ્યા છે, એટલે સુધી કે પ્રથમ પ્રયત્નના ફલસ્વરૂપ મનાયેલ અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય શ્રુત પણ બીજા પ્રયત્નના ફલસ્વરૂપ જે મુખ્ય અક્ષર અને અનક્ષર શ્રત છે તેમાં જ સમાઈ જાય છે. જો કે અક્ષરકૃત આદિ ચૌદ પ્રકારના મૃતનો નિર્દેશ ‘આવશ્યક નિર્યુક્તિ તથા ‘નન્દીના પૂર્વવર્તી ગ્રન્થોમાં દેખાતો નથી તેમ છતાં તે ચૌદ ભેદોના આધારભૂત અક્ષરાનક્ષર શ્રુતની કલ્પના તો પ્રાચીન જ જણાય છે, કેમકે “વિશેષાવશ્યકભાષ્ય' (ગાથા 117)માં પૂર્વ તરૂપે જે ગાથા લેવામાં આવી છે તેમાં અક્ષરનો નિર્દેશ સ્પષ્ટ છે. તેવી જ રીતે દિગમ્બર-શ્વેતામ્બર બને પરંપરાના કર્મસાહિત્યમાં સમાનપણે વર્ણવાયેલ શ્રતના વીસ પ્રકારોમાં પણ અક્ષરદ્યુતનો નિર્દેશ છે. અક્ષર અને અનક્ષર મૃતનું વિસ્તૃત વર્ણન તથા બન્નેના ભેદોનું પ્રદર્શન નિર્યુક્તિ’ના આધારે શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ કર્યું છે. ભટ્ટ અકલેકે પણ અક્ષરાનક્ષર શ્રુતનો ઉલ્લેખ તથા તેમનું નિર્વચન “રાજવાર્તિક માં ક્યું છે, જો કે સર્વાર્થસિદ્ધિમાં પ્રાપ્ત થતું નથી. જિનભદ્ર તથા અકલંક બન્નેએ અક્ષરાનક્ષર મૃતનું વ્યાખ્યાન તોળ્યું છે પરંતુ બન્નેનું વ્યાખ્યાન એકસરખું નથી. જે હોય તે, પરંતુ એટલું તો નિશ્ચિત છે જ કે 11. જુઓ વિશેષાવશ્યકભાષ્ય, ગાથા 464થી. 12. જીઓરાજવાર્તિક, 1.20.15. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130