Book Title: Nirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Author(s): Sukhlal Sanghavi, Nagin J Shah
Publisher: Jagruti Dilip Sheth Dr

View full book text
Previous | Next

Page 84
________________ ક્ષયપરામની પ્રક્રિયા * 1. ઉત્કટ મુમુક્ષા 2. જીવન્મુક્તિ 3.વિકેહમુક્તિ 1. જેના તાત્ત્વિક ધર્મસન્યાસ, યોગિ-અયોગિ- મુક્તિ, સિદ્ધત્વ ક્ષપકશ્રેણી ગુણસ્થાન, સર્વજ્ઞત્વ, અત્ત્વ 2. સાંખ્યયોગ પરવૈરાગ્ય, પ્રસંખ્યાન, અસંપ્રજ્ઞાત, સ્વરૂ૫પ્રતિષસંપ્રજ્ઞાત ધર્મમેઘ ચિતિ,કેવલ્ય. 3. બૌદ્ધ ક્લેશાવરણહાનિ, શેયાવરણહાનિ, નિર્વાણ,નિરાશ્રય નૈરાભ્યદર્શન સર્વજ્ઞત્વ, અહંન્દ્ર, ચિરસન્નતિ. 4 ન્યાય-વૈશેષિક યુક્તયોગી વિમુક્તયોગી અપવર્ગ 5. વેદાન્ત નિર્વિકલ્પ સમાધિ બ્રહ્મસાક્ષાત્કાર, સ્વરૂ૫લાભ, બ્રહ્મનિષ્ઠત્વ. મુક્તિ દાર્શનિક ઇતિહાસ દ્વારા જાણ થાય છે કે દરેક દર્શનની પોતપોતાની ઉક્ત પરિભાષા બહુ પ્રાચીન છે. તેથી તેમનાથી સૂચવાતા વિચારોતોને તો તેમનાથી ય વધુ પ્રાચીન સમજવા જોઈએ. (7) ક્ષયપામની પ્રક્રિયા [8] ઉપાધ્યાયજીએ જ્ઞાનસામાન્યની ચર્ચાનો ઉપસંહાર કરતી વખતે જ્ઞાનનિરૂપણમાં વારંવાર આવનાર ક્ષયોપમ શબ્દનો ભાવ દર્શાવ્યો છે. એક માત્ર જૈન સાહિત્યમાં મળતા ' ક્ષયો પરામ શબ્દનું વિવરણ તેમણે આહંત મતનું રહસ્ય જાણનારાઓની પ્રક્રિયા અનુસાર તેની જ પરિભાષામાં ક્યું છે. તેમણે અતિ વિસ્તૃત અને અતિ વિશદ વર્ણન દ્વારા જે રહસ્ય ઉદ્ઘાટિત ર્યું છે તે શ્વેતામ્બર-દિગમ્બર બને પરંપરાઓને એકસરખું માન્ય છે. પૂજ્યપાદે પોતાની લાક્ષણિક રોલીમાં ક્ષયોપશમનું સ્વરૂપ અતિ સંક્ષેપમાં સ્પષ્ટ કર્યું છે. રાજવાર્તિકકારે તેના ઉપર વળી વધુ પ્રકાશ પાડ્યો છે. પરંતુ આ વિષયનું જેટલું અને જેવું વિસ્તૃત તથા વિરાદ વર્ણન શ્વેતામ્બરીય ગ્રન્થોમાં, ખાસ કરીને મલયગિરીયટીકાઓમાં, મળે છે તેટલું અને તેવું વિસ્તૃત તથા વિરાદ વર્ણન અમે આજ સુધી કોઈ પણ દિગમ્બરીય પ્રાચીન-અર્વાચીન ગ્રન્થમાં જોયું નથી. જે હો તે, પરંતુ શ્વેતામ્બર-દિગમ્બર બંને પરંપરાઓનું પ્રસ્તુત વિષયમાં વિચાર અને પરિભાષાનું ઐક્ય સૂચવે છે કે ક્ષયોપશમવિષયક પ્રક્રિયા અન્ય કેટલીય પ્રક્રિયાઓની જેમ બહુ પ્રાચીન છે અને તેને જેનતત્ત્વજ્ઞોએ જ આ રૂપમાં આટલી બધી વિકસાવી છે. ક્ષયો પરામની પ્રક્રિયાનું મુખ્ય વક્તવ્ય એટલું જ છે કે અધ્યવસાયની વિવિધતા જ કર્મગતવિવિધતાનું કારણ છે. જેવી જેવી રાગદ્વેષાદિકની તીવ્રતાયા મન્દતા તેવું તેવું જ કર્મની વિપાકજનક શક્તિનું અર્થાત્ રસનું તીવ્રત્વ યા મર્જત્વ. કર્મની શુભાશુભતાના તારતમ્યનો આધાર એકમાત્ર અધ્યવસાયની શુદ્ધિ તથા અશુદ્ધિનું તારતમ્યજ છે. જ્યારે અધ્યવસાયમાં 9. જુઓ જ્ઞાનબિન્દુ ટિપ્પણ પૂ. 62. Jain Education International For Private & Personal Use Only. www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130