Book Title: Nirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Author(s): Sukhlal Sanghavi, Nagin J Shah
Publisher: Jagruti Dilip Sheth Dr

View full book text
Previous | Next

Page 78
________________ જ્ઞાનની સામાન્ય ચર્ચા ગ્રન્થનું આભ્યન્તર સ્વરૂપ ગ્રન્થના આભ્યન્તર સ્વરૂપનો પૂરો પરિચય તો ત્યારે જ સંભવે જ્યારે તેનું અધ્યયન અર્થાત્ અર્થગ્રહણ કરવામાં આવે અને જ્ઞાત અર્થનું મનન અર્થાત્ પુનઃ પુનઃ ચિન્તન કરવામાં આવે. તેમ છતાં આ ગ્રન્થના જે અધિકારી છે તેમની બુદ્ધિને પ્રવેશયોગ્ય તથા રુચિસમ્પન્ન બનાવવાની દષ્ટિએ અહીં તેના વિષયનું કંઈક સ્વરૂપવર્ણન કરવું જરૂરી છે. ગ્રન્થકારે જ્ઞાનના સ્વરૂપને સમજાવવા માટે જે મુખ્ય મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરી છે અને પ્રત્યેક મુખ્ય મુદ્દાની ચર્ચા કરતી વખતે પ્રાસંગિક્ષણે બીજા મુદ્દાઓ પર પણ વિચાર કર્યો છે તે મુદ્દાઓનું યથાસંભવ દિગ્દર્શન કરાવવું અહીં ઇષ્ટ છે. અમે આવું દિગ્દર્શન કરાવતી વખતે યથાસંભવ તુલનાત્મક અને ઐતિહાસિક દષ્ટિનો ઉપયોગ કરીશું જેથી અભ્યાસીગણ ગ્રન્યકારે ચર્ચેલા મુદ્દાઓનું વધુ વિશાળતા સાથે અવગાહન કરી શકે તથા ગ્રન્થના અને જે ટિપ્પણો આપવામાં આવ્યાં છે તેમનું હાર્દ સમજવાની કૂંચી પણ પામી શકે. પ્રસ્તુત વર્ણનમાં કામમાં લીધેલી તુલનાત્મક તથા ઐતિહાસિક દષ્ટિ યથાસંભવ પરિભાષા, વિચાર અને સાહિત્ય આ ત્રણ પ્રદેશો સુધી જ સીમિત રહેશે. 1. જ્ઞાનની સામાન્ય ચર્ચા ગ્રન્યકારે ગ્રન્થની પીઠિકારચતી વખતે તેના વિષયભૂત જ્ઞાનની જ સામાન્યપણે પહેલાં ચર્ચા કરી છે જેમાં તેમણે બીજા અનેક મુદ્દાઓ ઉપર શાસ્ત્રીય પ્રકાશ પાડ્યો છે. તે મુદ્દાઓ આ છે - (1) જ્ઞાનસામાન્યનું લક્ષણ (2) જ્ઞાનની પૂર્ણ-અપૂર્ણ અવસ્થાઓ તથાતે અવસ્થાઓનાં કારણો અને પ્રતિબન્ધક કમનું વિશ્લેષણ (3) જ્ઞાનાવરકકર્મનું સ્વરૂપ (4) એકતત્ત્વમાં ‘આવૃતાનાવૃતત્વ'ના વિરોધનો પરિહાર (5) વેદાન્ત મતમાં “આવૃતાનાવૃતત્વની અનુપત્તિ (6) અપૂર્ણજ્ઞાનગત તારતમ્ય તથાતેની નિવૃત્તિનું કારણ (7) ક્ષયોપશમની પ્રક્રિયા (1) જ્ઞાનસામાન્યનું લક્ષણ [1] ગ્રન્યકારે પ્રારંભમાં જ જ્ઞાનસામાન્યનું જેનસમ્મત એવું સ્વરૂપદેખાડ્યું છે કે જે એક માત્ર આત્માનો ગુણ છે અને જે સ્વતથા પરનો પ્રકાશક છે તે જ્ઞાન છે. જેનસમ્મત આ જ્ઞાનસ્વરૂપનીદર્શનાન્તરીય જ્ઞાનસ્વરૂપની સાથે તુલના કરતી વખતે આર્યચિન્તકોની મુખ્ય બે વિચારધારાઓ ધ્યાનમાં આવે છે. પહેલી ધારા છે સાંખ્ય અને વેદાન્તમાં અને બીજી ધારા છે બૌદ્ધ, ન્યાય આદિ દર્શનોમાં. પ્રથમ ધારા અનુસાર જ્ઞાન ગુણ અને ચિત્રાક્તિ તે બન્નેનો 1. આ રીતે ચતુષ્કોણ કોકમાં આપેલા અંક જ્ઞાનબિન્દુ ભૂલ ગ્રન્થની કંડિકાના સૂચક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130