Book Title: Nirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Author(s): Sukhlal Sanghavi, Nagin J Shah
Publisher: Jagruti Dilip Sheth Dr
View full book text
________________
૭૬
જ્ઞાનબિન્દુનું પરિશીલન (4) એક તત્ત્વમાં “આવૃતાનાવૃતત્વ'ના વિરોધનો પરિહાર:
[.2 ૫. 3] આવૃતત્વ અને અનાવૃતત્વ પરસ્પર વિરુદ્ધ હોવાથી કોઈ એક વસ્તુમાં એક સાથે રહી શકે નહિ અને પૂર્વોક્ત પ્રક્રિયા અનુસાર તો એક જ ચેતના એક જ સમયે કેવલજ્ઞાનાવરણથી આવૃત પણ અને અનાવૃત પણ મનાઈ છે, તે કેવી રીતે ઘટી રાકરો? આનો જવાબ ઉપાધ્યાયજીએ અનેકાન્ત દષ્ટિએ આપ્યો છે. તેમણે કહ્યું છે કે જો કે ચેતના એક જ છે તેમ છતાં પણ પૂર્ણ અને અપૂર્ણ પ્રકાશરૂપનાના જ્ઞાનો તેના પર્યાયો છે જે પર્યાયોચેતનાથી કથંચિત્ ભિનાભિન્ન છે. કેવલજ્ઞાનાવરણ દ્વારા પૂર્ણ પ્રકાશ આવૃત થવાના સમયે જ તેના દ્વારા અપૂર્ણ પ્રકાશ અનાવૃત પણ હોય છે. આ રીતે બે ભિન્ન પર્યાયોમાં જ આવતત્વ અને અનાવૃતત્વ છે જે પર્યાયાર્થિક દષ્ટિએ સારી રીતે ઘટે છે. તેમ છતાં જ્યારે દ્રવ્યાર્થિક દષ્ટિની વિવેક્ષા હોય ત્યારે દ્રવ્યની પ્રધાનતા હોવાના કારણે પૂર્ણ અને અપૂર્ણ જ્ઞાનરૂપ પર્યાયો દ્રવ્યાત્મક ચેતનાથી ભિન્ન નથી. તેથી જ તે દષ્ટિએ ઉક્ત બે પર્યાયગત આવૃતત્વ અને અનાવૃતત્વને એક ચેતનાગત માનવામાં કોઈ વિરોધ નથી. ઉપાધ્યાયજીએ દ્રવ્યાર્થિકપર્યાયાર્થિક દષ્ટિનો વિવેક સૂચવીને આત્મહત્ત્વનું જૈનદર્શનસમ્મત પરિણામિત્વસ્વરૂપ પ્રકટ
ક્યું છે જે કેવલ નિત્યત્વયાકૂટસ્થત્વવાદથી ભિન્ન છે. (5) વેદાન્ત મતમાં “આવૃતાનાવૃતત્વની અનુપસિ?
[5] ઉપાધ્યાયજીએ જેનદષ્ટિ અનુસાર “આવૃતાનાવૃતત્વનું કેવળ સમર્થન જ નથી કર્યું પરંતુ આ વિષયમાં વેદાન્ત મતને એકાન્તવાદી માનીને તેનું ખંડન પણ ક્યું છે. જેમ વેદાન્ત બ્રહ્મને એકાન્ત કુટસ્થનિત્ય માને છે તેમજ સાંખ્યયોગ પણ પુરુષને એકાન્ત ફૂટસ્થ અને તેથી જ નિર્લેપ, નિર્વિકાર અને નિરંરા માને છે. તેવી જ રીતે ન્યાય આદિ દરનો પણ આત્માને એકાન્ત નિત્યજમાને છે. તો પછી ગ્રન્થકારે એકાન્તવાદમાં ‘આવૃતાનાવૃતત્વની અનુપપત્તિ કેવળ વેદાન્ત મતની સમાલોચના દ્વારા જ કેમ દર્શાવી? અર્થાત્ તેમણે સાંખ્યયોગ આદિ મતોની પણ સમાલોચનાકેમનકરી?- આ પ્રશ્ન અવશ્ય થાય છે. આનો જવાબ એ જણાય છે કે કેવલજ્ઞાનાવરણ દ્વારા ચેતનાની આવૃતાનાવૃતત્વ વિષયક પ્રસ્તુત ચર્ચાનું જેટલું સામ્ય (શબ્દતઃ અને અર્થતઃ) વેદાન્ત દર્શન સાથે છે તેટલું સાંખ્ય આદિ દર્શનો સાથે નથી જેના દર્શન શુદ્ધ ચેતનતત્ત્વને માનીને તેમાં કેવલજ્ઞાનાવરણની સ્થિતિ માને છે અને તે ચેતનને તે કેવલજ્ઞાનાવરણનો વિષય પણ માને છે. જેને મત અનુસાર કેવલજ્ઞાનાવરણ ચેતનતત્ત્વમાં જ રહીને અન્ય પદાર્થોની જેમસ્વાશ્રય ચેતનને પણ આવૃત કરે છે જેથી સ્વ-પરપ્રકાશકચેતનાન તો પોતાને પૂર્ણ પ્રકાશિત કરી શકે છે કે ન તો અન્ય પદાર્થોને પૂર્ણ પ્રકાશિત કરી શકે છે. વેદાન્ત મતની પ્રક્રિયા પણ તેવી જ છે. તે પણ અજ્ઞાનને શુદ્ધ ચિદૂ૫બ્રહ્મમાં જ સ્થિત માનીને તેને તેનો વિષય દર્શાવીને કહે છે કે અજ્ઞાન બ્રહ્મનિષ્ટ થઈને જ તેને આવૃત કરે છે જેથી તેનો
અખંડત્વ આદિરૂપે તો પ્રકાશ થઈ શક્તો નથી તેમ છતાં ચિપે તો પ્રકાશ થાય છે જ. જેના પ્રક્રિયાનાં શુદ્ધચેતન અને કેવલજ્ઞાનાવરણ તથા વેદાન્ત પ્રક્રિયાનાં ચિપ બ્રહ્મ અને અજ્ઞાન પદાર્થમાં જેટલું અધિક સામ્ય છે તેટલું શાબ્દિક અને આર્થિક સામ્ય જૈન પ્રક્રિયાનું અન્ય સાંખ્ય આદિ પ્રક્રિયાની સાથે નથી, કેમકે સાંખ્ય યા બીજા કોઈ દર્શનની પ્રક્રિયામાં અજ્ઞાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org