Book Title: Nirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Author(s): Sukhlal Sanghavi, Nagin J Shah
Publisher: Jagruti Dilip Sheth Dr

View full book text
Previous | Next

Page 53
________________ નિન્યસમ્પ્રદાય સ્થિર થઈ ગયા હતા. ઓછામાં ઓછું આપણે એટલું તો કહી જ શકીએ છીએ કે જેને આગમોમાં વર્ણવાયેલું ભાષાસમિતિનું સ્વરૂપ બૌદ્ધ ગ્રન્યોમાંથી ઉધાર લીધેલું નથી. તે પ્રાચીન નિર્ચન્ય પરંપરાના ભાષાસમિતિવિષયક મન્તવ્યોનું કેવળ નિદર્શન જ કરે છે. (8) કિડ બુદ્ધ તથા તેમના શિષ્યોએ કાયકર્મ, વચનકર્મ અને મનઃકર્મએવાં ત્રિવિધ કર્મોનું બન્ધન રૂપે પ્રતિપાદન ક્યું છે. તેવી જ રીતે તેમણે પ્રાણાતિપાત, મૃષાવાદ આદિ દોષોને અનર્થરૂપ કહીને તેમની વિરતિને લાભકારક પ્રતિપાદિત કરી છે તથા સંવર અર્થાત્ પાપનિરોધ અને નિર્જરા અર્થાત્ કર્મક્ષયનો પણ ચારિત્રના અંગરૂપે સ્વીકાર ક્યો છે. કોઈ પણ ચારિત્રલક્ષી ધર્મોપદેશક ઉપર્યુક્ત મન્તવ્યોને માન્યા વિના પોતાનું આધ્યાત્મિક મન્તવ્ય લોકોને સમજાવી શક્તો નથી. તેથી અન્ય શ્રમણોની જેમ બુદ્ધ પણ ઉપર્યુક્ત મન્તવ્યોનો સ્વીકાર અને તેમનું પ્રતિપાદન કર્યું હોય તો તે સ્વાભાવિક જ છે, પરંતુ આપણે જોઈએ છીએ કે બૌદ્ધ પિટકોમાં બુદ્ધ યા બૌદ્ધ ભિક્ષુઓએ પોતાના ઉપર્યુક્ત મન્તવ્યોને સીધી રીતે દર્શાવ્યાં નથી પણ દ્રવિડ પ્રાણાયામ કર્યો છે કેમકે તેમણે પોતાનાં મન્તવ્યો દર્શાવતાં પહેલાં નિર્ચન્ય પરંપરાની પરિભાષાઓનો અને પરિભાષાઓ પાછળ રહેલા ભાવોનો પ્રતિવાદ કર્યો છે અને તેમના સ્થાને ક્યાંક તો માત્ર નવી પરિભાષા દર્શાવી છે અને ક્યાંક તો નિર્ઝન્ય પરંપરાની અપેક્ષાએ પોતાનો જુદો ભાવ વ્યક્ત ર્યો છે. ઉદાહરણાર્થ, નિર્ચન્ય પરંપરા ત્રિવિધર્મના માટે કાયદંડ, વચનદંડ અને મનોદંડ! જેવી પરિભાષાનો પ્રયોગ કરતી હતી અને આજ પણ કરે છે. તે પરિભાષાના સ્થાને બુદ્ધ એટલું જ કહે છે કે હું કાયદંડ, વચનદંડ અને મનોદંડના બદલે કાયકર્મ, વચનકર્મ અને મનઃકર્મ કહું છું અને નિર્ગન્યોની જેમ કાયકર્મની નહિ પણ મનઃકર્મની પ્રધાનતા માનું છું. આવી જ રીતે બુદ્ધકહે છે કે મહાપ્રાણાતિપાત અને મૃષાવાદ આદિ દોષોને હું પણ દોષ માનું છું પરંતુ તેમનાં કુફળથી બચવાનો રસ્તોજે હું દેખાડું છું તે નિર્ઝન્યોએ દેખાડેલા રસ્તા કરતાં ઘણો જ સારો છે. બુદ્ધ સંવર અને નિર્જરાને માન્ય રાખીને માત્ર એટલું જ કહે છે કે હું પણ બને તત્ત્વોને માનું છું પરંતુ હું નિર્ચન્થોની જેમ નિર્જરાના સાધન તરીકે ત૫નો સ્વીકાર ન કરતાં તેના સાધન તરીકે શીલ, સમાધિ અને પ્રશાનું વિધાન કરું છું.” જુદા જુદા બૌદ્ધગ્રન્થોમાં આવતાં ઉપર્યુક્ત ભાવનાથનો ઉપરથી એ વાત સરળતાથી સમજી શકાય છે કે જ્યારે કોઈ નવો સુધારક કે વિચારક પોતાનો સ્વતન્નમાર્ગ સ્થાપિત કરે છે ત્યારે તેને કાં તો પુરાણી પરિભાષાઓના સ્થાને કેટલીક નવી લાગતી પરિભાષાઓ ઘડવી પડે છે કાં તો પુરાણી પરિભાષાઓની પાછળ રહેલા પુરાણી પરંપરાઓના ભાવોના સ્થાને નવા ભાવો દેખાડવા પડે છે. આવું કરતી વખતે જાણતાં કે અજાણતાં તે ક્યારેક ક્યારેક 1. સ્થાનાંગ, તૃતીય સ્થાન, સૂત્ર220. 2. મઝિમનિકાય, સુત્ત56. 3. અંગુત્તરનિકાય, વોલ્યુમ 1, પૃ. 220. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130