Book Title: Nirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Author(s): Sukhlal Sanghavi, Nagin J Shah
Publisher: Jagruti Dilip Sheth Dr

View full book text
Previous | Next

Page 69
________________ જ્ઞાનબિન્દુનું પરિશીલન પ્રાચીનમાં પ્રાચીન સમજવામાં આવતા ગ્રન્થોમાં પણ પંચવિધ જ્ઞાનના આધાર ઉપર જ કર્મપ્રકૃતિઓનું વિભાજન છે, જે લુપ્ત થયેલા કર્મપ્રવાદ પૂર્વની અવશિષ્ટ પરંપરા માત્ર છે. આ પંચવિધ જ્ઞાનનું પૂરું સ્વરૂપ દિગમ્બર-શ્વેતામ્બર જેવા બન્નેય પ્રાચીન સંઘોમાં એકસરખું છે. આ બધું એટલું સૂચિત કરવા માટે પર્યાપ્ત છે કે પંચવિધજ્ઞાનવિભાગ અને તેનું અમુક વર્ણન બહુ જ પ્રાચીન હોવું જોઈએ. પ્રાચીન જૈન સાહિત્યની જે કાર્મગ્રચૂિક પરંપરા છે તદ્દનુસાર મતિ, શ્રત, અવધિ, મનઃ પર્યાય અને કેવલ એ પાંચ નામ જ્ઞાનવિભાગસૂચક ફલિત થાય છે, જ્યારે આગમિક પરંપરા અનુસાર મતિના સ્થાને અભિનિબોધ' નામ છે. બાકીનાં અન્ય ચારે નામ કાર્મગ્રન્થિક પરંપરાનાં નામો જેવાં જ છે. આમ જૈન પરંપરાગત પંચવિધજ્ઞાનદરક નામોમાં કાર્મગ્રન્શિક અને આગમિક પરંપરા અનુસાર પ્રથમ જ્ઞાનનાં બોધકમતિ’ અને ‘અભિનિબોધ એબેનામાં સમાનાર્થક યા પર્યાયરૂપફલિત થાય છે. બાકીનાં ચાર જ્ઞાનોનાં દર્શક શ્રુત, અવધિ આદિ ચાર નામો ઉક્ત બન્ને પરંપરાઓ અનુસાર એક એક જ છે. તેમના બીજા કોઈ પર્યાયો અસલનથી. યાદ રાખવાની વાત એ છે કે જૈન પરંપરાના સંપૂર્ણ સાહિત્યે લૌકિક અને લોકોત્તર બધા પ્રકારનાં જ્ઞાનોનો સમાવેશ ઉક્ત પંચવિધ વિભાગમાંથી કોઈને કોઈ વિભાગમાં કોઈને કોઈ નામથી ર્યો છે. સમાવેશનો આ પ્રયત્ન જૈન પરંપરાના આખા ઇતિહાસમાં એકસરખો છે. જ્યારે જ્યારે જૈનાચાર્યોને પોતાને કોઈ નવા જ્ઞાન અંગે કે કોઈનવાજ્ઞાનના નામના અંગે પ્રશ્ન ઊભો થયો, અથવા દર્શનાત્તરવાદીઓએ એમની સામે એવો કોઈ પ્રશ્ન ઉપસ્થિત ર્યો ત્યારે ત્યારે તેમણે તે જ્ઞાનનો યા જ્ઞાનના વિરોષ નામનો સમાવેશ ઉક્ત પંચવિધ વિભાગમાંથી યથાસંભવ કોઈ એક કે બીજા વિભાગમાં કરી દીધો છે. હવે આપણે આગળ એ જોવું છે કે ઉક્ત પંચવિધ જ્ઞાનવિભાગની પ્રાચીન જેની ભૂમિકાના આધાર ઉપર ક્રમશઃ કેવી કેવી જાતના વિચારોનો વિકાસ થયો. જણાય છે કે જેને પરંપરામાં જ્ઞાનસંબંધી વિચારોનો વિકાસ બે માર્ગે થયો છે. એક માર્ગ તો છે સ્વદર્શનાભ્યાસનો અને બીજો છે ઇનાન્તરાભ્યાસનો. બન્ને માર્ગો બહુધા પરસ્પર સંબદ્ધ જણાય છે, તેમ છતાં તેમનો પારસ્પરિક ભેદ સ્પષ્ટ છે જેનાં મુખ્ય લક્ષણો આ છેસ્વદર્શનાભ્યાસજનિત વિકાસમાં દર્શનાત્તરીય પરિભાષાઓને અપનાવવાનો પ્રયત્ન નથી, પરમતખંડનનો પ્રયત્ન પણ નથી તેમજ જલ્પતથા વિતંડા કથાનું ક્યારેય અવલંબન પણ નથી. તેમાં જો ક્યા છે તો તે એકમાત્ર તત્ત્વનુભુત્યુ કથા અર્થાત્ વાદ જ છે. એથી ઊલટું દર્શનાત્તરાભ્યાસ દ્વારા થયેલા જ્ઞાનના વિકાસમાં દર્શનાન્તરીય પરિભાષાઓને આત્મસાત્ કરવાનો પ્રયત્ન અવાય છે. તેમાં પરમતખંડનની સાથે સાથે ક્યારેક ક્યારેક જલ્પષાનું પણ અવલંબન અવશ્ય દેખાય છે. આ લક્ષણોને ધ્યાનમાં રાખીને જ્ઞાનસંબંધી જૈન વિચારવિકાસનું જ્યારે આપણે અધ્યયન કરીએ છીએ ત્યારે તેની અનેક ઐતિહાસિક ભૂમિકાઓ આપણને જન સાહિત્યમાં જોવા મળે છે. 9. પંચસંગ્રહ, પૃ. 108,ગાથા3. પ્રથમ કર્મગ્રન્ય, ગાથા4.ગોમ્મદસાર, જીવકાંડ, ગાયા299. 10. નન્ટિસૂત્ર, સુત્રા. આવશ્યક નિર્યુક્તિ, ગાયા1. પખંડાગમ, પુ. 1, પૃ. 353. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130