Book Title: Nirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Author(s): Sukhlal Sanghavi, Nagin J Shah
Publisher: Jagruti Dilip Sheth Dr
View full book text
________________
જ્ઞાનબિન્દુનું પરિશીલન સ્વીકૃત ન્યાયદર્શનીય ચતુર્વિધ પ્રમાણવિભાગ તરફ ઉદાસીનતા દેખાડીને નિર્યુક્તિગત દ્વિવિધ પ્રમાણવિભાગનું સમર્થન કર્યું છે. વાચકના આ સમર્થનનો પ્રભાવ આગળ ઉપર થયેલા જ્ઞાનવિકાસ પર એ પડ્યો કે પછી કોઈ જેન તાર્કિકે પોતાની જ્ઞાનવિચારણામાં ઉક્ત ચતુર્વિધ પ્રમાણવિભાગને ભૂલથી પણ સ્થાન આપ્યું નહિ. હા, એટલું તો અવશ્ય થયું કે આર્યરક્ષિત જેવા પ્રતિષ્ઠિત અનુયોગધર દ્વારા એક વાર જૈન શ્રતમાં સ્થાન મેળવવાના કારણે પછી ન્યાયદર્શનીય આ ચતુર્વિધ પ્રમાણવિભાગ હંમેશ માટે ‘ભગવતી’? આદિ પરમ પ્રમાણભૂત આગમોમાં પણ સંગૃહીત થઈ ગયો છે. વાચક ઉમાસ્વાતિનું ઉક્ત ચતુર્વિધપ્રમાણવિભાગ તરફ ઉદાસીન રહેવાનું તાત્પર્ય એ જણાય છે કે જ્યારે જૈન આચાર્યોનો સ્વોપજ્ઞ પ્રત્યક્ષ-પરોક્ષ પ્રમાણવિભાગ છે ત્યારે તેને લઈને જ્ઞાનોનો વિચાર કેમ ન કરવામાં આવે? અને દર્શનાન્તરીય ચતુર્વિધપ્રમાણવિભાગ ઉપર શા માટે ભાર આપવામાં આવે? આ સિવાય વાચકે મીમાંસા આદિ દર્શનાન્તરમાં પ્રસિદ્ધ અનુમાન, અર્થપત્તિ આદિ પ્રમાણોનો પણ સમાવેશ મતિમૃતમાં ક્યા જે વાચકના પહેલાં કોઈએ કર્યો હોય એવું દેખાતું નથી. વાચકના પ્રયત્નની બે વાતો ખાસ ધ્યાન ખેંચે છે. એક તો તે જે નિર્યુક્તિસ્વીકૃત પ્રમાણવિભાગની પ્રતિષ્ઠા વધારવા સાથે સંબંધ ધરાવે છે, અને બીજી તે જે દર્શનાતરીય પ્રમાણની પરિભાષા સાથે મેળ બેસાડે છે અને પ્રાસંગિકપણે દર્શનાન્તરીય પ્રમાણવિભાગનું નિરાકરણ કરે છે.
(5) પાંચમી ભૂમિકા સિદ્ધસેન દિવાકરે કરેલા જ્ઞાનના વિચારવિકાસની છે. જે અનુમાનતઃ વિક્રમીય પાંચમી શતાબ્દીના જણાય છે તે સિદ્ધસેને પોતાની વિભિન્ન કૃતિઓમાં કેટલીક એવી વાતો જ્ઞાનના વિચારક્ષેત્રમાં રજૂ કરી છે કે જે જૈન પરંપરામાં તેમનાં પહેલાં કોઈએ વિચારી પણ ન હતી. એ વાતો તર્કદષ્ટિએ સમજવામાં જેટલી સરળ છે તેટલી જ જેન પરંપરાગત રૂઢ માનસ માટે કેવળકઠિન જ નહિ પણ અસમાધાનકારક પણ છે. આ જ કારણે દિવાકરના તે વિચારો ઉપર લગભગ હજાર વર્ષ સુધીનતો કોઈએ સહાનુભૂતિપૂર્વક ઊહાપોહ કે નતો કોઈએ તેમનું સમર્થન. એક ઉપાધ્યાયજી જ એવા થયા જેમણે સિદ્ધસેનના નવીન પ્રસ્તુત મુદ્દાઓ ઉપર કેવળ સહાનુભૂતિપૂર્વક વિચાર જ ન ર્યો પરંતુ પોતાની સૂક્ષ્મ પ્રજ્ઞા અને તર્કથી પરિમાર્જિત જૈન દષ્ટિનો ઉપયોગ કરીને તે મુદ્દાઓનું પ્રસ્તુત જ્ઞાનબિન્દુ ગ્રન્થમાં અતિ વિરાટ અને અનેકાન્ત દષ્ટિને શોભાદેનારું સમર્થન પણ કર્યું. તે મુદ્દાઓ મુખ્યપણે ચાર છે -
(1) મતિ અને શ્રુત જ્ઞાનોનું વાસ્તવિક ઐક્યા? (2) અવધિ અને મન:પર્યાય જ્ઞાનોનો તત્ત્વતઃ અભેદ0
16. “ચતુર્વિઘમિચેયવાહન્તિો'તત્ત્વાર્થભાષ્ય, 1.6. 17. તે સિંઘમ? રવિદે guળજો, તંગદી - ઉજ્જવલ્લે... નહીં જુવારે તહીં જોયગં |
ભગવતી, શ. ૫, ઉ. 3, ભાગ 2, પૃ. 211. સ્થાનાંગસૂત્ર, પૃ. 49. 18. તત્ત્વાર્થભાષ્ય, 1.12. 19. જુઓ નિશ્ચયદ્વાત્રિશિકા, કારિકા 19 તથા જ્ઞાનબિન્દુ, પૃ. 16. 20. જુઓ નિશ્ચયદ્વાર્નાિશિક, કારિકા 17 અને જ્ઞાનબિન્દુ, પૃ. 18.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org