Book Title: Nirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Author(s): Sukhlal Sanghavi, Nagin J Shah
Publisher: Jagruti Dilip Sheth Dr

View full book text
Previous | Next

Page 51
________________ નિત્યસમ્પ્રદાય તથા તેમાં ઉપવાસ જેવા વ્રતનું પણ વિધાન કરે છે. સંભવતઃ આ કારણે જ વૈદિક પરંપરામાં અમાવાસ્યા અને પર્ણમાસી ઉપવસથ કહેવાય છે. શ્રમણ પરંપરા વૈદિક પરંપરાની જેમ યજ્ઞયાગ યાદેવયજનને માનતી નથી. જ્યાં વૈદિક પરંપરા યજ્ઞયાગાદિ અને દેવયજન દ્વારા આધ્યાત્મિક પ્રગતિ દર્શાવે છે ત્યાં શ્રમણ પરંપરા આધ્યાત્મિક પ્રગતિ માટે એક માત્ર આત્મશોધનતથાસ્વરૂપચિન્તનનું વિધાન કરે છે. તેના માટે શ્રમણ પરંપરાએ પણ મહિનાની તે જ તિથિઓ નિયત કરી જે વૈદિક પરંપરામાં યજ્ઞ માટે નિયત હતી. આમ શ્રમણ પરંપરાએ અમાવાસ્યા અને પોર્ણમાસીના દિવસે ઉપવાસ કરવાનું વિધાન . એવું જણાય છે કે પંદર દિવસના અંતરને ધાર્મિક દષ્ટિએ લાંબુ સમજીને વચમાં આઠમે પણ ઉપવાસપૂર્વક ધર્મચિન્તન કરવાનું વિધાન . તેથી શ્રમણ પરંપરામાં આઠમ તથા પૂર્ણિમા અને આઠમ તથા અમાવાસ્યામાં ઉપવાસપૂર્વક આત્મચિન્તન કરવાની પ્રથા ચાલુ થઈ ગઈ. આજ પ્રથાબૌદ્ધ પરંપરામાં ઉપોસથ’ અને જૈનધર્મની પરંપરામાં પોસહના રૂપમાં ચાલી આવે છે. પરંપરા કોઈ પણ ભલે હો, બધી જ પોતપોતાની દષ્ટિએ આત્મશાન્તિ અને પ્રગતિ માટે જ ઉપવાસવ્રતનું વિધાન કરે છે. આમ આપણે લાંબુ વિચારીએ છીએ તો જણાય છે કે પૌષધ વ્રતની ઉત્પત્તિનું મૂળ અસલમાં આધ્યાત્મિક પ્રગતિ માટે છે. આ મૂળમાંથી ક્યાંક એક રૂપમાં તો ક્યાંક બીજા રૂપમાં ઉપવસથે સ્થાન પ્રાપ્તબ્ધ છે. હજુ પણ એક પ્રશ્ન તો બાકી રહી જાય છે અને તે એ કે શું વૈદિક પરંપરામાંથી શ્રમણ પરંપરામાં ઉપોસથ યા પોસહ વ્રત આવ્યું છે કે શ્રમણ પરંપરા ઉપરથી વૈદિક પરંપરાએ ઉપવસવનું આયોજન ક્યું છે? આનો ઉત્તર આપવો કોઈ પણ રીતે સહજ નથી. હજારો વર્ષો પહેલાં ક્યા પ્રવાહે કયા પ્રવાહ ઉપર અસર કરી તેને નિશ્ચિતપણે જાણવા માટેનું કોઈ સાધન આપણી પાસે નથી. તેમ છતાં આપણે એટલું તો કહી શકીએ છીએ કે વૈદિક પરંપરાનો ઉપવસથ પ્રેયનું સાધન મનાયો છે જ્યારે શ્રમણ પરંપરાનો ઉપોસથ યા પોસહ શ્રેયનું સાધન મનાયો છે. વિકાસક્રમની દષ્ટિએ જોવામાં આવે તો મનુષ્યજાતિમાં પ્રેમની પછી શ્રેયની કલ્પના આવી છે. જો આ સાચું હોય તો શ્રમણ પરંપરાની ઉપવાસ યા પોસહની પ્રથા ગમે તેટલી પ્રાચીનકેમ ન હોય પરંતુ તેના ઉપર વૈદિક પરંપરાના ઉપવસથ યજ્ઞની છાપ છે. ભાષાવિચાર મહાવીરની સમકાલીન અને પૂર્વકાલીન નિર્ઝન્ય પરંપરા સાથે સંબંધ ધરાવતી અનેક બાબતોમાં ભાષાપ્રયોગ, ત્રિદંડ, અને હિંસા આદિમાંથી વિરતિનો પણ સમાવેશ થાય છે. બૌદ્ધ પિટકો અને જૈન આગમોના તુલનાત્મક અધ્યયનથી તે મુદ્દાઓ ઉપર સારો પ્રકાર પડે છે. આપણે અહીં તે મુદ્દાઓમાંથી એક એક મુદ્દાને લઈને તેના ઉપર વિચાર કરીએ છીએ. મજુમિનિકાયના અભયરાજ સત્ત’માં ભાષાપ્રયોગ સંબંધી ચર્ચા છે. તેનો સંક્ષિપ્ત સાર આ પ્રમાણે છે - એક વખત અભયરાજ કુમારને જ્ઞાતપુત્ર મહાવીરે કહ્યું કે તમે તથાગત 9. ઉપાસકદશાંગ, અ.1. “સરોવવા સરસ શબ્દની ટીકા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130