Book Title: Nirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Author(s): Sukhlal Sanghavi, Nagin J Shah
Publisher: Jagruti Dilip Sheth Dr
View full book text
________________
६०
જૈનત ભાષાનું પરિશીલન જ્યારે પરોક્ષપ્રમાણોની તથા નયોની ચર્ચા પ્રમાણનયતત્ત્વાલોની વ્યાખ્યા રત્નાકરનો સંક્ષેપ છે. ઉપાધ્યાયજી જેવા પ્રાચીન નવીન સકલ દર્શનના બહુશ્રુત વિદ્વાનની કૃતિમાં ગમે તેટલો સંક્ષેપ કેમ ન હોય પરંતુ તેમાં પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષના રૂપે કે પછી વસ્તુવિશ્લેષણનારૂપે શાસ્ત્રીય વિચારોના અનેક રંગ પૂરાવાના કારણે આ સંક્ષિપ્ત ગ્રન્થ પણ એક મહત્ત્વની કૃતિ બની ગયો છે. વસ્તુતઃ જૈન તર્કભાષા એ આગમિક તથા તાર્કિક પૂર્વવર્તી જૈન પ્રમેયોનું અમુક હદ સુધી નવ્યન્યાયની પરિભાષામાં વિશ્લેષણ છે અને તે પ્રમેયોનું એક જગાએ સંગ્રહરૂપે સંક્ષિપ્ત પણ વિરાદ વર્ણન માત્ર છે.
પ્રમાણ અને નયની વિચારપરંપરા શ્વેતામ્બરીય અને દિગમ્બરીય ગ્રન્થોમાં સમાન છે, પરંતુ નિક્ષેપોની ચર્ચાપરંપરા એટલી સમાન નથી. લધીયસ્ત્રયમાં જે નિક્ષેપનિરૂપણ છે અને તેની વિસ્તૃત વ્યાખ્યા ન્યાયકુમુદચન્દ્રમાં જે વર્ણન છે તે વિશેષાવશ્યકભાષ્યનીનિક્ષેપચર્ચાથી એટલું જુદું તો અવશ્ય છે જેથી એ કહી રાકાય કે તત્ત્વમાં ભેદ ન હોવા છતાં પણ નિક્ષેપોની ચર્ચા દિગમ્બર-શ્વેતામ્બર બન્ને પરંપરામાં કોઈક અંશમાં ભિન્ન રૂપે પુષ્ટ થઈ, જેવું જીવકાંડ અને ચોથા કર્મગ્રન્થના વિષય અંગે કહી શકાય છે. ઉપાધ્યાયજીએ જૈનત ભાષાના બાહ્ય રૂપની રચનામાં લઘીયસ્રયનું અવલંબન લીધું જણાય છે, તેમ છતાં તેમણે પોતાની નિક્ષેપચર્ચા તો પૂર્ણપણે વિશેષાવશ્યકભાષ્યના આધારે જ કરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org