Book Title: Nirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Author(s): Sukhlal Sanghavi, Nagin J Shah
Publisher: Jagruti Dilip Sheth Dr

View full book text
Previous | Next

Page 56
________________ ૫ ૧ લેયાવિચાર (પી), શુક્લ અને પરમ શુક્લ. આ છ કક્ષાઓમાં સકળમાનવજાતિનો સારાં-નરસાં કર્મની તીવ્રતા-મન્દતા અનુસાર સમાવેશ કરી દીધો છે. આજીવક પરંપરા અને પુરણકસ્સાની પરંપરાના નામથી ઉપર્યુક્ત છ અભિજાતિઓનો નિર્દેશ તો બૌદ્ધ ગ્રન્થમાં આવે છે પરંતુ તદ્વિષયક નિર્ઝન્ય પરંપરાના મન્તવ્યનો કોઈ નિશબૌદ્ધ ગ્રન્થમાં નથી જ્યારે પ્રાચીનમાં પ્રાચીન જૈન ગ્રન્થોમાં નિર્ઝન્ય પરંપરાનું મન્તવ્ય સુરક્ષિત છે. નિર્ઝન્ય પરંપરા છ અભિજાતિઓને લેયારાબ્દ વડે ઓળખાવે છે. તે કૃષ્ણ, નીલ, કાપોત, તેજ, પદ્મ અને શુક્લ એવી છે લેયાઓને માનીને તેમનામાં કેવળ મનુષ્યજાતિનો જ નહિ પરંતુ સમગ્ર પ્રાણી જાતિનો ગુણ-કર્મ અનુસાર સમાવેશ કરે છે. લેયાનો અર્થ છે વિચાર, અધ્યવસાય અને પરિણામ. કૂર અનેકૂરતમ વિચાર કૃષ્ણ લેયા છે અને શુભ અને અશુભતર વિચાર રાજ્યલેશ્યા છે. તેબેની વચ્ચેની લેયાઓ વિચારગત અશુભતા અને શુભતાનાં વિવિધ મિશ્રણ માત્ર છે. - બુદ્ધ પુરણકરૂપની છ અભિજાતિઓનું વર્ણન આનન્દ પાસેથી સાંભળી કહ્યું છે કે હું અભિજાતિઓને તો માનું છું પરંતુ મારું મન્તવ્ય બીજાઓથી જુદું છે. એ પ્રમાણે કહીને બુદ્ધ કૃષ્ણ અને શુક્લ એવા બે ભેદોમાં સમગ્ર મનુષ્યજાતિનું વિભાજનર્યું છે. કૃષ્ણ એટલે નીચ, દરિદ્ર, દુર્લગ અને શુક્લ એટલે ઉચ્ચ, સમ્પન્ન, સુભગ. અને પછી કૃષ્ણ પ્રકારવાળા મનુષ્યોને તથા શુક્લ પ્રકારવાળા મનુષ્યોને ત્રણ ત્રણ વિભાગોમાં કર્માનુસાર વહેંચી દીધા છે. તેમણે કહ્યું છે કે રંગ (વર્ણ) કૃષ્ણ હો કે શુક્લ બન્નેમાં સારાં-નરસાં ગુણ-કર્મવાળા મળી આવે છે. જે બિલકુલકૂર છે તે કૃણ છે, જે સારાં કર્મવાળા છે તે શુક્લ છે અને જે સારાં-નરસાં થી પર છે તે અશુક્લ-અકૃણ છે. બુદ્ધ સારાં-નરસાં કર્મ અનુસાર છ પ્રકાર તો માની લીધા પરંતુ તેમની વ્યાખ્યા પ્રાચીન પરંપરાથી કંઈક અલગ છે જેવી કે યોગશાસ્ત્રમાં મળે છે. જેના ગ્રન્થોમાં ઉપર નિર્દિષ્ટ છ લેયાઓનું વર્ણન તો છે જ જે આજીવક અને પુરણકસપના મન્તવ્યો સાથે વિરોષ સામ્ય ધરાવે છે પરંતુ સાથે સાથે જ બુદ્ધના વર્ગીકરણ સાથે યા યોગશાસ્ત્રના વર્ગીકરણ સાથે મળતું આવતું બીજું વર્ગીકરણ પણ જેન ગ્રન્થોમાં આવે છે.* ઉપર્યુક્ત ચર્ચા ઉપરથી આપણે નિશ્ચયપૂર્વક એ નિર્ણય ઉપર નથી આવી શકતા કે લેયાઓનું મન્તવ્ય નિર્ગસ્થ પરંપરામાં બહુ પ્રાચીન હશે, પરંતુ કેવળજૈન ગ્રન્થોના આધારે વિચાર કરીએ અને તેમનામાં આવતી દ્રવ્ય તથા ભાવ લેયાની અનેકવિધ પ્રરૂપણાઓને જોઈએ તો આપણે એ માનવું જ પડે છે કે ભલે એક યા બીજા કારણે નિર્ઝન્યસમ્મત લેયાઓનું વર્ગીકરણ બૌદ્ધ ગ્રન્થોમાં ન આવ્યું હોય પરંતુ નિર્ઝન્ય પરંપરા આજીવક અને પુરણકસ્સ૫ની જેમ પોતાની રીતે ગુણ-કર્મ અનુસાર છ પ્રકારોનું વર્ગીકરણ માનતી હતી. એ સંભવ છે કે નિર્ઝન્ય પરંપરાનીલેશ્યાવિષયક પ્રાચીન માન્યતાનો પછીના નિર્ઝન્યોએ વિશેષ વિકાસ કર્યો હોય તેમ જ તેનું વિશેષ સ્પષ્ટીકરણ કર્યું હોય અને મૂળે ગુણ-કર્મરૂપ લેરયા જે ભાવલેયા કહેવાય છે તેનો સંબંધ દ્રવ્યલેયાની સાથે પછીથી જોડવામાં આવ્યો હોય - જેવો ભાવકર્મનો સંબંધદ્રવ્યકર્મ સાથે જોડવામાં આવે છે. અને એ પણ સંભવ છે કે આજીવક આદિ 3. ભગવતી 1.2.23. ઉત્તરાધ્યયન અ. 34. 4. ભગવતી 26.1. યોગશાસ્ત્ર 4.7. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130