Book Title: Nirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Author(s): Sukhlal Sanghavi, Nagin J Shah
Publisher: Jagruti Dilip Sheth Dr

View full book text
Previous | Next

Page 62
________________ ગ્રન્ય ૫૭ યોગસૂત્ર ઉપર પણ લખ્યું અને પોતાની તીવ્ર સમાલોચનાની લક્ષ્ય એવી દિગમ્બર પરંપરાના સૂક્ષ્મપ્રજ્ઞ તાર્કિકપ્રવર વિદ્યાનન્દના કઠિનતર અષ્ટસહસ્ત્રી નામના ગ્રન્થ ઉપર કઠિનતમ વ્યાખ્યા પણ લખી. ગુજરાતી અને હિન્દી-મારવાડીમાં લખાયેલી તેમની અનેક કૃતિઓનું થોડું ઘણું વાચન, પઠન અને પ્રચાર પહેલેથી જ રહ્યો છે, પરંતુ તેમની સંસ્કૃત-પ્રાકૃત કૃતિઓના અધ્યયનઅધ્યાપનનું નામોનિશાન પણ તેમના જીવનકાળથી લઈને 30 વર્ષ પહેલાં સુધી જોવામાં આવ્યું નથી. આ જ કારણે દોઢ સો વર્ષ જેટલા ટૂંકા અને ખાસ ઉપદ્રવોથી રહિત આ સુરક્ષિત સમયમાં પણ તેમની કૃતિઓ ઉપર ટીકાઓકે ટપ્પણો લખાવાનો તો કોઈ સંભવ જ ન રહ્યો, એટલું જ નહિ પણ તે કૃતિઓનીનકલો પણ ઠીક ઠીક પ્રમાણમાં થઈ શકી. કેટલીક કૃતિઓ તો એવી પણ મળી રહી છે જેની ફક્ત એક જ પ્રતિ રહી છે. સંભવ છે કે આવી જ એક એક નકલવાળી અનેક કૃતિઓ યાતો લુપ્ત થઈ ગઈ યાતો કોઈ અજ્ઞાત સ્થાનોમાં આડીઅવળી થઈ ગઈ હોય. જે હોય તે, પરંતુ ઉપાધ્યાયજીનું જેટલું સાહિત્ય સભ્ય છે તેટલાનું જ માત્ર ઠીક ઠીક પૂરી તૈયારી સાથે અધ્યયન કરવામાં આવે તો જૈન પરંપરાના ચારે અનુયોગ તથા આગમિક, તાર્કિક કોઈ વિષય અજ્ઞાત રહેશે નહિ. - ઉદયન અને ગંગેશ જેવા મેથિલતાર્કિક પુંગવો દ્વારા જે નવ્ય તકશાસ્ત્રનું બીજારોપણ અને તેનો વિકાસ શારૂ થયો અને જેનો વ્યાપક પ્રભાવ વ્યાકરણ, સાહિત્ય, છંદ, વિવિધદર્શન અને ધર્મશાસ્ત્ર ઉપર પડ્યો અને ખૂબ ફેલાયો તે નવ્ય તર્કશાસ્ત્રના વિકાસથી વંચિત કેવળ બે સંપ્રદાયોનું સાહિત્ય રહ્યું. તે બે સંપ્રદાયોના સાહિત્યમાંથી બૌદ્ધ સંપ્રદાયના સાહિત્યની તે ત્રુટિની પૂર્તિનો તો સંભવ જ રહ્યો ન હતો, કેમકે બારમી-તેરમી શતાબ્દી પછી ભારત વર્ષમાં બૌદ્ધ વિદ્વાનોની પરંપરા નામમાત્ર પણ રહીન હતી, તેથી તે ત્રુટિ એટલી ખટકતી નથી જેટલી જૈન સાહિત્યની તે ત્રુટિ ખટકે છે કેમ કે જૈન સંપ્રદાયના સેંકડો જ નહિ પરંતુ હજારો સાધનસંપન્નત્યાગી અને કેટલાક ગૃહસ્થ ભારતવર્ષના પ્રાયઃ બધા જ ભાગોમાં મોજૂદ રહ્યા છે જેમનું મુખ્ય અને જીવનવ્યાપી ધ્યેય શાસ્ત્રચિન્તન સિવાય બીજું કંઈ કહીરાકાતું જ નથી. આ જેન સાહિત્યની ખોટને-ત્રુટિને દૂર કરવાનો અને એકલે હાથે દૂર કરવાનો ઉજ્વલ અને સ્થાયી યશજો કોઈ જૈન વિદ્વાનને હોય તો તે ઉપાધ્યાયયશોવિજયજીને જ છે. પ્રસ્તુત ગ્રન્યના જનકભાષા એનામકરણનો તથા તેની રચના કરવાની ઇચ્છાથવાનો, તેના વિભાગ, પ્રતિપાઘ વિષયની પસંદગી આદિનો બોધપ્રદ અને મનોરંજક ઈતિહાસ છે જેને આપણે અવશ્ય જાણવો જોઈએ. જ્યાં સુધી આપણે જાણીએ છીએ ત્યાં સુધી એ સાચું છે કે પ્રાચીન સમયમાં તર્કપ્રધાનદનગ્રન્યોનાં નામો- ભલે તે દર્શનગ્રન્યો વૈદિક હો, બોદ્ધ હોકે જેનહો-ન્યાયપદયુક્ત હોતાં હતાં, જેમકેન્યાયસૂત્ર, ન્યાયભાષ્ય, ન્યાયવાર્તિક, ન્યાયસાર, ન્યાયમંજરી, ન્યાયમુખ, ન્યાયાવતાર આદિ. જો પ્રો. ચીએ આપેલું ‘તકશાસ્ત્ર'' એનામ અસલ અને સાચું હોય યા પ્રમાણસમુચ્ચયવૃત્તિમાં નિર્દિષ્ટ ‘તર્કશાસ્ત્ર નામ ખરું હોય તો તે 1.Pre-Disnaga Buddhist Logicગત ‘તર્કશાસ્ત્ર' નામનો ગ્રન્થ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130