Book Title: Nirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Author(s): Sukhlal Sanghavi, Nagin J Shah
Publisher: Jagruti Dilip Sheth Dr

View full book text
Previous | Next

Page 52
________________ ભાષાવિચાર બુદ્ધની પાસે જાઓ અને પ્રશ્ન કરોકે તથાગત અપ્રિય વચન બોલી શકે કે નહિ? જો બુદ્ધ હા કહે તો તે હારી જશે કેમકે અપ્રિયભાષી બુદ્ધ કેવી રીતે હોઈ શકે? જો તે ના કહે તો પૂછવું કે તો પછી ભદન્ત! આપે દેવદત્ત વિશે અપ્રિય કથન કેમ કર્યું છે કે દેવદત્ત દુર્ગતિગામી છે અને સુધરવાને યોગ્ય નથી? જ્ઞાતપુત્રે શીખવ્યું હતું તે પ્રમાણે અભયરાજ કુમારે બુદ્ધને પૂછ્યું તો બુદ્ધ તે કુમારને જવાબ આપ્યો કે બુદ્ધ અપ્રિય કથનકરરોકે નહિ એ વાત એકાન્તપણે કહી રાકાતી નથી. બુદ્ધ પોતાના જવાબમાં એકાન્તપણે અપ્રિય કથન કરવાનો સ્વીકાર યા અસ્વીકાર ન કરતાં એ જ દર્શાવ્યું છે કે જો અપ્રિય પણ હિતકર હોય તો બુદ્ધ બોલી શકે છે પરંતુ જે અહિતકર હવે તેને તો તે સત્ય હશે તો પણ બુદ્ધ નહિ બોલે. બુદ્ધ વચનનો વિવેક કરતાં દર્શાવ્યું છે કે જે વચન અસત્ય હોય તે પ્રિય હોય કે અપ્રિય હોય પરંતુ તેને તો બુદ્ધ બોલશે નહિ. જે વચન સત્ય હોવા છતાં અહિતકર હોય તો તેને પણ બુદ્ધ બોલશે નહિ. પરંતુ જે વચન સત્ય હોય તે પ્રિય હોય કે અપ્રિય હોય પણ જો હિતકર હશે તો તેને બુદ્ધ હિતદષ્ટિએ બોલવાનું હશે તો બોલશે. આવો વચનવિવેક સાંભળીને અભયરાજ કુમાર બુદ્ધનો ઉપાસક બની જાય છે. જ્ઞાતપુત્ર મહાવીર અભયરાજ કુમારને બુદ્ધની પાસે ચર્ચા માટે મોકલ્યો હશે કે નહિ એ તો કહી શકાતું નથી, પરંતુ મઝિમનિકાયના ઉક્ત સૂત્રના આધારે આપણે એટલું તો નિર્વિવાદપણે કહી શકીએ છીએ કે જ્યારે દેવદત્ત બુદ્ધનો વિરોધી બની ગયો અને ચારે તરફ એ વાત ફેલાઈ ગઈ કે બુદ્ધદેવદત્તને ઘણું બધું અપ્રિય સંભળાવ્યુંજે બુદ્ધને માટે શોભારૂપન હતું, ત્યારે બુદ્ધના સમકાલીન યા ઉત્તરકાલીન શિષ્યોએ બુદ્ધને દેવદત્તની નિન્દાના અપવાદથી મુક્ત કરવા માટે ‘અભયરાજ કુમારસુત્ત’ની રચના કરી જે હોતે, પરંતુ અમારો પ્રસ્તુત પ્રશ્નો નિર્ઝન્ય પરંપરા સાથે સંબંધ ધરાવતો ભાષાપ્રયોગ અંગેનો છે. નિર્ઝન્ય પરંપરામાં સાધુઓની ભાષાસમિતિ સુપ્રસિદ્ધ છે. ભાષાકેવી અને કઈ દષ્ટિએ બોલવી જોઈએ એનું વિસ્તૃત અને સૂક્ષ્મ વિવેચન જેન આગમોમાં પણ આવે છે. જો આપણે ઉત્તરાધ્યયન અને દશવૈકાલિક આદિ આગમોમાં આવતી ભાષાસમિતિની ચર્ચાને ઉપર્યુક્ત અભયરાજકુમારસુત્તગત ચર્ચાની સાથે મેળવી સરખાવી જોઈશું તો આપણને તે બે ચર્ચાઓમાં તત્ત્વતઃ કોઈ અંતર નહિ મળે. હવે પ્રશ્ન એ છે કે જેને આગમોમાં આવતી ભાષાસમિતિની ચર્ચા ભાવ અને વિચારના રૂપે મહાવીરની સમકાલીન અને પૂર્વકાલીન નિર્ઝન્ય પરંપરામાં હતી કે નહિ? આપણે એ તો જાણીએ જ છીએ કે મહાવીરની સમક્ષ એક પ્રાચીન વ્યવસ્થિત નિર્ઝન્ય પરંપરા હતી જે પરંપરાનાતે નેતા બન્યા. તે નિર્ઝન્ય પરંપરાનું શ્રુતસાહિત્ય પણ હતું જે “પૂર્વ નામથી પ્રસિદ્ધ છે. શ્રમણત્વનું મુખ્ય અંગ ભાષાવ્યવહારમૂલક જીવનવ્યવહાર છે. તેથી તેમાં ભાષાના નિયમો સ્થિર થઈ જાય એ સ્વાભાવિક છે. આ વિષયમાં મહાવીરે કોઈ સુધારો નથી અને દશવૈકાલિક આદિ આગમોની રચના મહાવીર પછી થોડા સમય બાદ થઈ છે. આ બધું જોતાં એમાં કોઈ સંદેહ રહેતો નથી કે ભાષાસમિતિની રાબ્દિક રચના ભલે પછીની હોય પરંતુ તેના નિયમ-પ્રતિનિયમ નિર્ઝન્ય પરંપરાના ખાસ મહત્ત્વનાં અંગ હતાં અને તે બધા મહાવીરના સમયમાં અને તે પહેલાં પણ નિર્ઝન્ય પરંપરામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130