Book Title: Nirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Author(s): Sukhlal Sanghavi, Nagin J Shah
Publisher: Jagruti Dilip Sheth Dr
View full book text
________________
નિગ્રંન્યસમ્પ્રદાય પરિમિત ત્યાગ કરે છે અને મહાન આદર્શોની સ્મૃતિ રાખે છે. આ પ્રયત્નથી તેમના મનના દોષો આપોઆપ દૂર થઈ જાય છે. તેથી તે આર્ય ઉપોસથ છે અને મહાફળદાયી પણ છે.
‘અંગુત્તરનિકાય'ના ઉપર્યુક્ત સારમાંથી આપણે એટલો મતલબ તો કાઢી જ રાકીએ છીએ કે તેમાં બુદ્ધના મુખે બૌદ્ધ પરંપરામાં પ્રચલિત ઉપોસથના સ્વરૂપની તો પ્રશંસા કરાવવામાં આવી છે અને બાકીના ઉપોસથોની નિન્દા કરાવવામાં આવી છે. અહીં આપણે ઐતિહાસિક દષ્ટિએ એટલું જ કેવળ જોવું છે કે બુદ્ધ જે ગોપાલક ઉપોસથ અને નિર્ઝન્ય ઉપોસથનો પરિહાસર્યો છે તે ઉપોસથકઈ કઈ પરંપરાના હતા? નિર્ઝન્ય ઉપોસથ તરીકે તો નિઃસંદેહ કેવળ નિર્ઝન્ય પરંપરાનો જ ઉપોસાથ લેવામાં આવ્યો છે પરંતુ ગોપાલક ઉપોસથ તરીકે કઈ પરંપરાના ઉપોસથને લેવામાં આવેલ છે? આ જ ખરો પ્રશ્ન છે. આનો ઉત્તર જૈન પરંપરામાં પ્રચલિત પૌષધવિધિ અને પૌષધના પ્રકારોને જાણવાથી બરાબર સારી રીતે મળી જાય છે. જૈન શ્રાવક પૌષધના દિવસે ભોજન કરે પણ છે એને લક્ષ્યમાં રાખીને બુદ્ધ સાશન પૌષધને ગોપાલક ઉપોસથ કહીને તેનો પરિહાસ કર્યો છે. જૈન શ્રાવક અનિત્યાગપૂર્વક પણ પૌષધ કરે છે અને મર્યાદિત સમય માટે વસ્ત્ર, અલંકાર, કુટુંબ, સમ્બન્ધ વગેરેનો ત્યાગ કરે છે તથા અમુક હદથી આગળના જવાનો સંકલ્પ પણ કરે છે, આ બાબતને લક્ષ્યમાં રાખીને બુદ્ધ તેને નિર્ઝન્ય ઉપોસથ કહીને તેનો પરિહાસક્યો છે. ગમે તે હો પરંતુ બૌદ્ધ અને જૈન ગ્રન્યોના તુલનાત્મક અધ્યયનથી એક વાત તો નિશ્ચયપૂર્વક કહી શકાય છે કે પૌષધયા ઉપોસથની પ્રથા જેવી નિર્ઝન્ય પરંપરામાં હતી તેવી જ બુદ્ધના સમયમાં પણ બૌદ્ધ પરંપરામાં પણ હતી અને આ પ્રથા આજ સુધી બન્ને પરંપરાઓમાં ચાલી આવે છે.
ભગવતી શતક આઠ ઉદ્દેશક પાંચમાં ગૌતમે મહાવીરને પ્રશ્ન કર્યો છે કે ગોપાલકના શિષ્ય આજીવકોએ કેટલાક સ્થવિરોને (જેન ભિક્ષુઓને) પૂછ્યું કે ઉપાશ્રયમાં સામાયિક લઈ બેઠેલા શ્રાવક જ્યારે પોતાનાં વસ્ત્રાદિનો ત્યાગ કરે છે અને સ્ત્રીનો પણ ત્યાગ કરે છે ત્યારે તેમનાં વસ્ત્રાભરણ આદિને કોઈ ઉપાડીને લઈ જાય અને તેમની સ્ત્રી સાથે કોઈ સંસર્ગ કરે તો પછી સામાયિક પૂરી થયા પછી તે શ્રાવકો જો પોતાનાં કપડાં અલંકાર વગેરેને શોધે છે તો શું પોતાની જ વસ્તુઓને શોધે છે કે બીજાની? આ જ રીતે જેણે તે સામાયિકવાળા શ્રાવકોની ત્યક્ત સ્ત્રી સાથે સંગર્યો તેણે તે સામાયિકવાળા શ્રાવકોની જ સ્ત્રી સાથે સંગર્યો કે અન્યની સ્ત્રી સાથે ?
આ પ્રશ્નનો મહાવીરે ઉત્તર આ આપ્યો છે કે સામાયિકનો સમય પૂરો થયા પછી ચોરાયેલાં વસ્ત્રાદિને શોધનારા શ્રાવકો પોતાનાં જ વસ્ત્ર આદિને શોધે છે, બીજાનાં વસ્ત્ર આદિને શોધતા નથી, તેવી જ રીતે સ્ત્રીસંગ કરનારે પણ તે સામાયિકધારી શ્રાવકની સ્ત્રીનો સંગ ર્યો છે એમ માનવું જોઈએ, અને નહિ કે અન્યની સ્ત્રીનો, કેમકે શ્રાવકે મર્યાદિત સમય માટે વસ્ત્ર, આભૂષણ આદિનો મર્યાદિત ત્યાગ ર્યો હતો, મનથી સર્વથા સાવ મમત્વ છોડ્યું ન હતું. આ ગૌતમ-મહાવીરના પ્રશ્નોત્તર ઉપરથી એટલું તો સ્પષ્ટ છે કે નિર્ઝન્ય શ્રાવકના સામાયિક વ્રતના વિષયમાં (સામાયિક વ્રત પૌષધ વ્રતનું જ પ્રાથમિક રૂપ છે) આજીવકો દ્વારા જે પરિહાસમય પૂર્વપક્ષ ભગવતી શતક 8 ઉદ્દેશક 5માં દેખાય છે તે જ બીજા રૂપમાં ઉપર વર્ણવવામાં આવેલા અંગુત્તરનિકાયગત ગોપાલક અને નિર્ઝન્ય ઉપોસથમાં પ્રતિબિંબિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org