Book Title: Nirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Author(s): Sukhlal Sanghavi, Nagin J Shah
Publisher: Jagruti Dilip Sheth Dr

View full book text
Previous | Next

Page 46
________________ ઉપોસથ-પૌષધ જો કે બૌદ્ધ ગ્રન્થોમાં વારંવાર ચાતુર્યામનો નિર્દેશ આવે છે પરંતુ મૂળ પિટકોમાં તથા તેમની અટ્ટક્લાઓમાં ચાતુર્યામનો જે અર્થ કરવામાં આવ્યો છે તે ખોટો અને અસ્પષ્ટ છે. આવું કેમ થયું હશે? આ પ્રશ્ન ઊઠ્યા વિના રહેતો નથી. નિર્ઝન્ય પરંપરા જેવી પોતાની પડોશી સમકાલીન અને અતિપ્રસિદ્ધ પરંપરાના ચાર યમો અંગે બૌદ્ધ ગ્રન્થકાર આટલા અજ્ઞાત હોય અથવા અસ્પષ્ટ હોય એ જોઈને શરૂઆતમાં તો આશ્ચર્ય થાય છે પરંતુ જ્યારે આપણે સાંપ્રદાયિક સ્થિતિ ઉપર વિચાર કરીએ છીએ ત્યારે તે અચરજ ગાયબ થઈ જાય છે. પ્રત્યેક સંપ્રદાયે બીજા સંપ્રદાય પ્રત્યે પૂરો ન્યાય ર્યો નથી. એ પણ સંભવ છે કે મૂળમાં બુદ્ધ તથા તેમના સમકાલીન શિષ્ય ચાતુર્યામનો પૂરો અને સાચો અર્થ જાણતા હોય. તે અર્થ સર્વત્ર પ્રસિદ્ધ પણ હતો એટલે તેમને તે અર્થ દર્શાવવાની આવશ્યક્તાન જણાઈ હોય પરંતુ પિટકોની જેમ જેમ સંકલના થતી ગઈ તેમ તેમ ચાતુર્યામનો અર્થ સ્પષ્ટ કરવાની આવશ્યકતા જણાઈ. કોઈ ભિક્ષુએ કલ્પનાથી તેના અર્થની પૂર્તિ કરી, તે જ આગળ જેમની તેમ પિટકોમાં ચાલી આવી અને કોઈએ એન વિચાર્યું કે ચાતુર્યામનો આ અર્થ નિરૈન્ય પરંપરાને સમ્મત છે કે નહિ? બૌદ્ધોની બાબતમાં પણ આવો જ વિપર્યાસ જેનોએ કરેલો ક્યાંક ક્યાંક દેખાય છે. કોઈ સંપ્રદાયના મન્તવ્યનું પૂર્ણ સાચું સ્વરૂપ તો તે સંપ્રદાયના ગ્રન્યો અને તેની પરંપરા દ્વારા જાણી શકાય છે. ઉપોસથ-પૌષધ આજે જૈન પરંપરામાં પૌષધવ્રતનું આચરણ પ્રચલિત છે. તેનો પ્રાચીન ઇતિહાસ જાણતાં પહેલાં આપણે તેનું વર્તમાન સ્વરૂપ સંક્ષેપમાં જાણી લેવું જોઈએ. પૌષધવતગૃહસ્થોનું વ્રત છે. તેને સ્ત્રી અને પુરુષ બન્ને ગ્રહણ કરે છે. જે પૌષધવ્રતનું ગ્રહણ કરે છે તે કોઈ એકાન્તસ્થાનમાં યા ધર્મસ્થાનમાં પોતાની શક્તિ અને રુચિ અનુસાર એક, બે કે ત્રણ દિવસ આદિની સમયમર્યાદા બાંધીને દુન્યવી બધી પ્રવૃત્તિઓને છોડીને માત્ર ધાર્મિક જીવન વ્યતીત કરવાની પ્રતિજ્ઞા કરે છે. તે ઇચ્છે તો દિવસમાં એક વાર ભિક્ષા તરીકે અપન-પાન લાવીને ખાઈપી શકે છે અથવા સર્વથા ઉપવાસ પણ કરી શકે છે. તે ગૃહસ્થયોગ્ય વેષભૂષાનો ત્યાગ કરીને સાધુયોગ્ય પરિધાન ધારણ કરે છે. ટૂંકમાં કહેવું જોઈએ કે પૌષધવ્રત લેનાર તેટલા સમય માટે સાધુજીવનનો ઉમેદવાર બની જાય છે. ગૃહસ્થોએ અંગીકાર કરવા યોગ્ય બાર વ્રતોમાંથી પૌષધ એ એક વ્રત છે જે અગિયારમું વ્રત કહેવાય છે. આગમથી લઈને આજ સુધીના જૈનશાસ્ત્રમાં પૌષધવ્રતનું નિરૂપણ અવશ્ય આવે છે. તેના આચરણ અને આસેવનની પ્રથા પણ બહુ પ્રચલિત છે. ગમે તે હો, આપણે તો અહીં ઐતિહાસિક દષ્ટિએ પૌષધવ્રત અંગે નિમ્નલિખિત પ્રશ્નો ઉપર ક્રમશઃ એક પછી એક પ્રશ્ન લઈને વિચાર કરવો છે - (1) ભગવાન મહાવીરની સમકાલીન અને પૂર્વકાલીન નિર્ઝન્ય પરંપરામાં પૌષધવ્રત 5. દીઘનિકાય, સુત્ત 2. દીઘનિકાય-સુમંગલા, પૃ. 167. 6. સૂત્રકૃતાંગ, 1.2.2,24-28. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130