Book Title: Nirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Author(s): Sukhlal Sanghavi, Nagin J Shah
Publisher: Jagruti Dilip Sheth Dr

View full book text
Previous | Next

Page 45
________________ * નિર્ગન્ધસમ્પ્રદાય કરવા માટે ભગવાન મહાવીરે બ્રહ્મચર્યવ્રતને અપરિગ્રહથી અલગ સ્થાપિત કર્યું અને ચતુર્થ વ્રતમાં શુદ્ધિ લાવવાનો પ્રયત્ન કર્યો. મહાવીરે બ્રહ્મચર્યવ્રતની અપરિગ્રહથી પૃથક્ સ્થાપના પોતાના ત્રીસ વર્ષના લાંબા ઉપદેશકાળમાં ક્યારે કરી એ તો કહી શકાતું નથી પરંતુ તેમણે આ સ્થાપના એવી બળપૂર્વક કરી કે જેના કારણે આગળની આખી નિર્પ્રન્થ પરંપરા પંચમહાવ્રતની પ્રતિષ્ઠા કરવા લાગી, અને જે ગણ્યાગાંઠ્યા પાર્શ્વપત્યિક નિર્પ્રન્થ મહાવીરના પંચમહાવ્રતરશાસનથી અલગ રહ્યા તેમનું આગળ ઉપર કોઈ અસ્તિત્વ જ ન રહ્યું. જો બૌદ્ધ પિટકોમાં અને જૈન આગમોમાં ચાર મહાવ્રતનો નિર્દેશ અને વર્ણન ન હોત તો આજે એ ખબર પણ ન પડતી કે પાર્શ્વપત્યિક નિર્પ્રન્થ પરંપરા ક્યારેક ચાર મહાવ્રતવાળી પણ હતી. ઉપરની ચર્ચા દ્વારા એ તો આપોઆપ સમજાઈ જાય છે કે પાર્શ્વપત્યિક નિર્પ્રન્થ પરંપરામાં દીક્ષા લેનાર જ્ઞાતપુત્ર મહાવીરે પોતે પણ શરૂઆતમાં ચાર જ મહાવ્રત ધારણ કર્યા હતા, પરંતુ સાંપ્રદાયિક સ્થિતિ જોઈને તેમણે તે વિષયમાં ક્યારેક સુધારો કર્યો. આ સુધારા વિરુદ્ધ પ્રાચીન નિગ્રન્થ પરંપરામાં કેવી ચર્ચા યા કેવા તર્કવિતર્ક થતા હતા તેનો આભાસ આપણને ઉત્તરાધ્યયનના કેશિ-ગૌતમ સંવાદમાં મળી જાય છે, તે સંવાદમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક પાર્શ્વપત્યિક નિર્પ્રન્થોમાં એવો વિતર્ક થવા લાગ્યો કે જો પાર્શ્વનાથ અને મહાવીરનું ધ્યેય એક માત્ર મોક્ષ જ છે તો પછી બન્નેના મહાવ્રતવિષયક ઉપદેશોમાં અન્તર કેમ ?4 આ સમસ્યાને કેશીએ ગૌતમ આગળ રજૂ કરી અને ગૌતમે તેનો ખુલાસો કર્યો. કેશી પ્રસન્ન થયા અને મહાવીરના શાસનને તેમણે સ્વીકારી લીધું. આટલી ચર્ચા ઉપરથી આપણે નીચે જણાવેલા નિષ્કર્ષો ઉપર સરળતાથી પહોંચી શકીએ છીએ - (1) મહાવીર પહેલાં, ઓછામાં ઓછું પાર્શ્વનાથથી લઈને નિર્પ્રન્થ પરંપરામાં ચાર મહાવ્રતોની પ્રથા હતી જેને ભગવાન મહાવીરે ક્યારેક બદલી અને પાંચ મહાવ્રતોના રૂપમાં વિકસિત કરી. તે વિકસિત રૂપ આજ સુધીના બધા જૈન ફિરકાઓમાં નિર્વિવાદપણે માન્ય છે અને ચાર મહાવ્રતોની પ્રાચીન પ્રથા કેવળ ગ્રન્થોમાં જ સુરક્ષિત છે. (2) ખુદ બુદ્ધ અને તેમના સમકાલીન યા ઉત્તરકાલીન બધા બૌદ્ધ ભિક્ષુ નિર્પ્રન્ય પરંપરાને એક માત્ર ચતુર્મહાવ્રતયુક્ત જ સમજતા હતા અને મહાવીરના પંચમહાવ્રતસંબંધી આંતરિક સુધારાથી તેઓ પરિચિત ન હતા. જે એક વાર બુદ્ધે કહ્યું અને જે સામાન્ય જનતામાં પ્રસિદ્ધિ હતી તેનું જ તેઓ પોતાની રચનાઓમાં પુનરાવર્તન કરતા ગયા. બુદ્ધે પોતાના સંઘ માટે પાંચ શીલ યા વ્રત દર્શાવ્યાં છે જે સંખ્યાની દૃષ્ટિએ તો નિર્પ્રન્થ પરંપરાના યમો સાથે મળે છે પરંતુ બન્નેમાં થોડું અંતર છે. અંતર એ છે કે નિર્ગન્ધ પરંપરામાં અપરિગ્રહ પાંચમું વ્રત છે જ્યારે બૌદ્ધ પરંપરામાં મઘ આદિનો ત્યાગ પાંચમું શીલ છે. અહીં એક પ્રશ્ન એ પણ થાય છે કે શું ખુદ મહાવીરે બ્રહ્મચર્યના રૂપમાં નવા વ્રતની સૃષ્ટિ કરીકે પછી અન્ય કોઈ પરંપરામાં પ્રચલિત તે વ્રતને પોતાની નિર્પ્રન્થ પરંપરામાં સ્વતન્ત્ર સ્થાન આપ્યું. સાંખ્ય-યોગ પરંપરાના પ્રાચીનમાં પ્રાચીન સ્તરોમાં તથા સ્મૃતિ આદિ ગ્રન્થોમાં આપણને અહિંસા આદિ પાંચ યમોનું જ વર્ણન મળે છે. તેથી નિર્ણય પૂર્વક તો કહી નહિ શકાય કે પહેલાં કોણે પાંચ મહાવ્રતોમાં બ્રહ્મચર્યને સ્થાન આપ્યું ? 4. ઉત્તરાધ્યયન, 23.11-13, 23-27, ઇત્યાદિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130