Book Title: Nirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Author(s): Sukhlal Sanghavi, Nagin J Shah
Publisher: Jagruti Dilip Sheth Dr

View full book text
Previous | Next

Page 22
________________ સામિષ-નિરામિષઆહાર ૧૭. સંયમ-તપનો આત્મત્તિક આગ્રહ રાખીને પ્રચાર કરનારા નિર્ચન્યો માટે જ્યારે જન્મસિદ્ધ અનુયાયીદળ ઠીક ઠીક પ્રમાણમાં લગભગ ચારે તરફ મળી ગયું ત્યારે નિર્ગન્ધસંઘની સ્થિતિ તદ્દન બદલાઈ ગઈ. અહિંસાની વ્યાપક પ્રતિષ્ઠા એટલી થઈ હતી કે નિર્ઝન્યો ઉપર બહાર અને અંદરથી વિવિધ આક્રમણ થવા લાગ્યા. વિરોધી પંથના અનુયાયીઓ તો નિર્ઝન્યોને એ કહીને ટોણા મારવા લાગ્યા કે જો તમે ત્યાગી અહિંસાનો આત્યંતિક આગ્રહ રાખો છો તો પછી જીવન ધારણ કરો છો શા માટે ? કેમ કે છેવટે જીવન ધારણ કરવામાં થોડી ઘણી હિંસા તો કરવી જ પડે છે, હિંસા વિના જીવનધારણ સંભવતું જ નથી. તેવી જ રીતે તેઓ આ ઉપાલંભ પણદેતાકે તમે નિરામિષભોજનનો આટલો આગ્રહ રાખો છો પણ તમારા પૂર્વજ નિર્ગળ્યો તો સામિષ આહાર પણ ગ્રહણ કરતા હતા. આ જ રીતે જન્મસિદ્ધ નિરામિષભોજનના સંસ્કાર ધરાવતા સ્થિર નિગ્રંન્યસંઘની અંદરથી પણ આચાર્યો સમક્ષ પ્રશ્નો ઉપસ્થિત કરવામાં આવ્યા. પ્રશ્નકર્તા પોતે તો જન્મથી નિરામિષભોજી અને અહિંસાના આત્યંતિક સમર્થક હતા પરંતુ તેઓ પ્રાચીન શાસ્ત્રોમાંથી સામિષભોજનના પ્રસંગો પણ સાંભળતા હતા એટલે તેમના મનમાં દુવિધા જાગતી હતી કે જો અમારા આચાર્ય અહિંસા, સંયમ અને તપનો આટલો ઉચ્ચ આદર્શ અમારી સમક્ષ રજૂ કરે છે તો તેની સાથે પ્રાચીન નિર્ગળ્યો દ્વારા સામિષ ભોજનના ગ્રહણનાં શાસ્ત્રીય વર્ણનનો મેળકેવીરીતે બેસી શકે? જો કોઈ તત્ત્વનો આત્મત્તિક આગ્રહપૂર્વક પ્રચાર કરવામાં આવે છે તો વિરોધી પક્ષો તરફથી તથા પોતાના જ દળની અંદરથી પણ અનેક વિરોધી પ્રશ્નો ઉપસ્થિત કરવામાં આવે જ છે. પ્રાચીન નિન્ય આચાર્યો સમક્ષ પણ આ જ સ્થિતિ આવીને ખડી થઈ. તે સ્થિતિનું સમાધાન કર્યા વિના હવે બીજો કોઈ રસ્તો ન હતો. તેથી કેટલાક આચાર્યોએ તો આમિષસૂચક સૂત્રોનો અર્થ જ પોતાની વર્તમાન જીવનસ્થિતિને અનુકૂળ વનસ્પતિર્યો. પરંતુ કેટલાક નિર્ઝન્ય આચાર્ય એવા દઢ પણ નીકળ્યા કે તેમણે એવાં સૂત્રોનો અર્થન બદલીને કેવળ એ જ વાત કહી દીધી જે વાત ઇતિહાસમાં બની હતી. અર્થાત્ તેમણે કહી દીધું કે એવાં સૂત્રોનો અર્થ તો માંસ-મસ્યાદિ જ છે પરંતુ તેનું ગ્રહણ નિર્ઝન્યો માટે ઔત્સર્ગિક નથી પણ કેવળ આપવાદિક છે. નવો અર્થકરનારો એક સંપ્રદાય અને પુરાણા અર્થને માનનારો બીજો સંપ્રદાય - એ બંને સંપ્રદાયો પરસ્પર સમાધાનપૂર્વક નિગ્રંન્યસંઘમાં અમુક સમય સુધી ચાલતા રહ્યા કેમકે બંનેનો ઉદેશ પોતપોતાની રીતે નિર્ઝન્થોના સ્થાપિત નિરામિષ ભોજનનો બચાવ અને પોષણ કરવાનો જ હતો. જ્યારે આગમોની સાથે વ્યાખ્યાઓ પણ લખાવા લાગી ત્યારે તે વિવાદાસ્પદ સૂત્રોના બંને અર્થો પણ લખી લેવામાં આવ્યાજેથી બંને અર્થ કરનારાઓની વચ્ચે વૈમનસ્ય ન થાય. પરંતુ કમનસીબે નિર્ગન્ધસંઘના રંગમંચ ઉપર નવું જ તાંડવ ખેલાવાનું હતું. તે એવું કે બે દળોમાં વસ્ત્ર રાખવાનરાખવાના (અર્થાત્ ધારણ કરવા અને ન ધારણ કરવાના) મુદ્દા ઉપર આત્યંતિક વિરોધનુંયાયુદ્ધનું નગારું વાગ્યું. પરિણામે એક પક્ષે આગમોને એમ કહીને છોડી દીધાં કે તે તો કાલ્પનિક છે જ્યારે બીજા પક્ષે તે આગમોને જેવાં હતાં તેવાં જ માની લીધાં અર્થાત્ સ્વીકારી લીધાં અને તેમનામાં આવતાં માંસાદિગ્રહણવિષયક સૂત્રોના વનસ્પતિ અને માંસ- એવા બે અર્થોને પણ માન્ય રાખ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130