Book Title: Nirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Author(s): Sukhlal Sanghavi, Nagin J Shah
Publisher: Jagruti Dilip Sheth Dr

View full book text
Previous | Next

Page 32
________________ ૨૭ સામિષ-નિરામિષાહાર માંસનિષેધનું સમર્થન કરવા છતાં પણ શાનિદેવે કેટલાંક એવાં અપવાદસ્થાનો દેખાડ્યાં છે જે અપવાદસ્થાનોમાં યા અપવાદપ્રસંગોએ ભિક્ષુમાંસ પણ લઈ શકે છે. તેમણે કહ્યું છે કે જો કોઈ એવો સમર્થ ભિક્ષુ હોય કે જેના મૃત્યુથી સમાધિમાર્ગનો લોપ થઈ જતો હોય અને ઔષધ તરીકે માંસગ્રહણ કરવાથી તેનું બચવું સંભવ હોય તો એવા ભિક્ષુ માટે માંસ પણ ભૈષજ્ય તરીકે કથ્ય છે. જોકે શાન્તિદેવે બુદ્ધનું નામ લઈને ભૈષજ્ય તરીકે માંસગ્રહણ કરવાની વાત કરી નથી તેમ છતાં જણાય છે કે જેમાં ગ્રહણના પક્ષપાતીઓ બુદ્ધ ગ્રહણ કરેલા સૂકરમાંસની વાત આગળ ધરીને પોતાના પક્ષનું સમર્થન કરતા હતા તેમને આ જવાબ આપવામાં આવ્યો છે. શાન્તિદેવે વિનયપિટકમાં વિહિત ત્રિકોટિયુદ્ધ માંસ અને સહજ મૃત્યુથી મૃત પ્રાણીના માંસનાં સૂચક અનેક સૂત્રોનું તાત્પર્ય માંસનિષેધની દષ્ટિએ દર્શાવ્યું છે. શાન્તિદેવનો પ્રયત્ન માંસનિષેધગામી હોવા છતાં પણ અપવાદસહિષ્ણુ છે. બુદ્ધઘોષ લંકાવતારકાર અને શાન્તિદેવની વચ્ચે થયા છે અને તે સ્થવિરવાદી પણ છે. તેથી તેમણે પાલિપિટકોની તથા વિનયની પ્રાચીન પરંપરાને સુરક્ષિત રાખવાનો ભરચક પ્રયત્ન કર્યો છે. આ સંક્ષિપ્ત વિવરણથી વાચક સમજી શકશે કે માંસના ગ્રહણ અને અગ્રહણની બાબતમાં બૌદ્ધ પરંપરામાં કેવો ઊહાપોહ રારૂ થયો હતો. વૈદિક શાસ્ત્રોમાં હિંસા-અહિંસાની દષ્ટિએ અર્થભેદનો ઈતિહાસ: એ તો સુવિદિત છે કે વૈદિક પરંપરા માંસમસ્યાદિને અખાદ્ય માનવામાં એટલી કડક નથી જેટલી કડક બોદ્ધ અને જૈન પરંપરા છે. વૈદિક યજ્ઞયાગોમાં પશુધને ધર્મે મનાતો હોવાનું વિધાન આજ પણ શાસ્ત્રોમાં છે જ. એટલું જ નહિ પરંતુ ભારતવ્યાપી વૈદિક પરંપરાના અનુયાયી કહેવાતાં અનેક જાતિદળ એવાં છે જે બ્રાહ્મણ હોવા છતાં પણ માંસમસ્યાદિને અન્નની જેમ ખાદ્યરૂપ ગણે છે અને કહે છે તથા ધાર્મિક ક્રિયાઓમાં તો તેને ધર્ખ તરીકે સ્થાપિત પણ કરે છે. વૈદિક પરંપરાની આવી સ્થિતિ હોવા છતાં પણ આપણે દેખીએ છીએ કે તેની કટ્ટર અનુયાયી અનેક શાખાઓ અને ઉપશાખાઓએ હિંસાસૂચક શાસ્ત્રીય વાક્યોનો અહિંસાપરક અર્થ કર્યો છે અને ધાર્મિક અનુષ્ઠાનોમાંથી તથા સામાન્ય જીવનવ્યવહારમાંથી માંસમસ્યાદિને અખાદ્ય જાહેર કરીને બહિષ્કૃતાર્યા છે. કોઈ અતિવિસ્તૃત પરંપરાના કરોડો અનુયાયીઓમાંથી કોઈ માંસને અખાદ્ય અને અગ્રાહ્ય સમજે એ તો સ્વાભાવિક છે, પરંતુ અચરજ તો ત્યારે થાય છે જ્યારે તેઓ તે જ ધર્મશાસ્ત્રનાં વાક્યોનો અહિંસાપરક અર્થ કરે છે જેમનો હિંસાપક અર્થ તે જ પરંપરાનાં પ્રામાણિક અને પ્રાચીન દળો કરે છે. સનાતન પરંપરાના પ્રાચીન બધા મીમાંસક વ્યાખ્યાકારો યજ્ઞયાગાદિમાં ગો, અજ, આદિના વધને ધર્મે સ્થાપિત કરે છે જ્યારે વૈષ્ણવ, આર્ય સમાજ, સ્વામીનારાયણ આદિ જેવી અનેક વૈદિક પરંપરાઓ તે વાક્યોનો કાં તો તદ્દન જુદો અહિંસાપક અર્થ કરે છે કાં તો એવું સંભવન હોય ત્યાં એવાં વાક્યોને પ્રક્ષિપ્ત કહીને પ્રતિષ્ઠિત શાસ્ત્રોમાં સ્થાન દેવા ઇચ્છતી નથી. મીમાંસક જેવા પ્રાચીન વૈદિક પરંપરાને અનુસરનાર અને પ્રામાણિક વ્યાખ્યાકાર શબ્દોનો યથાવત્ અર્થ કરીને હિંસાપ્રયાથી બચવા માટે એટલું કહીને છૂટકારો મેળવી લે છે કે કલિયુગમાં એવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130