Book Title: Nirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Author(s): Sukhlal Sanghavi, Nagin J Shah
Publisher: Jagruti Dilip Sheth Dr

View full book text
Previous | Next

Page 34
________________ 3 સામિષ-નિરામિષઆહાર ૨૯ 34 મહાભારત ઉપરાંત મત્સ્ય અને ભાગવત આદિ પુરાણ પણ હિંસક યાગવિરોધી વૈદિક પક્ષના વિજયની સાક્ષી પૂરે છે. કલિયુગમાં વર્જ્ય વસ્તુઓનું વર્ણન કરનારા અનેક ગ્રન્થ છે જેમાં આદિત્યપુરાણ 1, બૃહન્નારદીય સ્મૃતિ?, વીરમિત્રોયડે તથા બ્રહ્મપુરાણ છે. તેમનામાં અન્યાન્ય વસ્તુઓ સાથે યજ્ઞીય ગોવધ, પશુવધ તથા બ્રાહ્મણના હાથે કરાતું પશુમારણ પણ વર્જ્ય દર્શાવાયું છે. મનુસ્મૃતિ તથા મહાભારતમાં એ પણ કહેવામાં આવ્યું છે કે ધૃતમય યા પિષ્ટમય અજ આદિથી યજ્ઞ સંપન્ન કરો પણ વૃથા પશુહિંસા ન કરો. હિંસક યાગસૂચક વાક્યોનો પ્રાચીન અર્થ જેમનો તેમ માનીને તેમનું સમર્થન કરનારી સનાતનમાનસ મીમાંસક પરંપરા હોય કે તે વાક્યોનો અર્થ બદલનારી વૈષ્ણવ, આર્યસમાજ આદિ નવી પરંપરા હોય પરંતુ તે બન્ને પરંપરાઓ બહુધા પોતાના જીવનવ્યવહારમાં માંસમત્સ્યઆદિથી દૂર જ રહે છે. બન્નેનું અંતર મુખ્યપણે પ્રાચીન શાસ્ત્રીય વાક્યોનો અર્થ કરવામાં જ છે. સનાતનમાનસ અને નવમાનસ એવી બે પરંપરાઓની પરસ્પર વિરોધી ચર્ચાની અસર એકબીજા ઉપર પણ જોવામાં આવે છે. ઉદાહરણાર્થ આપણે વૈષ્ણવ પરંપરાને લઈએ. જોકે આ પરંપરા મુખ્યપણે અહિંસક યાગનો જ પક્ષ લેતી રહી છે તેમ છતાં પણ તેની વિશિષ્ટાદ્વૈતવાદી રામાનુજીય શાખા અને દ્વૈતવાદી માધ્ય શાખા વચ્ચે મોટું અન્તર છે. માધ્ય શાખા અજનો પિષ્ટમય અજ એવો અર્થ કરીને જ ધર્મ્સ આચારોનો નિર્વાહ કરે છે જ્યારે રામાનુજ રશાખા એકાન્તપણે એવું માનનારી નથી. રામાનુજ શાખામાં તેંગલે અને વડગલે જેવા બે ભેદ છે. દ્રવિડિયન તેંગલે શબ્દનો અર્થ છે દાક્ષિણાત્ય વિદ્યા અને વડગલે શબ્દનો અર્થ છે સંસ્કૃત વિદ્યા. તેંગલે શાખાવાળો રામાનુજી કોઈ પણ પ્રકારના પશુવધ સાથે સંમત નથી. તેથી તે સ્વભાવથી જ ગો, અજ આદિ રાબ્દોનો અર્થ જ બદલી નાખશે યા એવા યજ્ઞોને કલિયુગવર્જ્ય કોટિમાં મૂકી દેરો જ્યારે વડગલે શાખાવાળો રામાનુજી વૈષ્ણવ હોવા છતાં પણ હિંસક યાગ સાથે સંમત છે. આ રીતે આપણે ટૂંકમાં જોયું કે ઔદ્ધ અને વૈદિક બન્ને પરંપરાઓમાં અહિંસાસિદ્ધાન્તના આધાર પર માંસ જેવી વસ્તુઓની ખાઘાખાઘતાનો ઇતિહાસ અનેક ક્રિયા-પ્રતિક્રિયાઓથી રંગાયેલો છે. 29. મત્સ્યપુરાણ, શ્લોક 121. 30. ભાગવતપુરાણ, સ્કન્ધ7, અ. 15, શ્લોક 7-11. 31. આદિત્યપુરાણ જેવું કે હેમાદ્રિએ ઉષ્કૃત કર્યું છે - 'महाप्रस्थानगमनं गोसंज्ञप्तिश्च गोसवे । सौत्रामण्यामपि सुराग्रहणस्य च संग्रहः ॥ ' 32. બૃહન્નારદીય સ્મૃતિ, અ. 22, શ્લોક 12-16. 33. વીરમિત્રોદય, સંસ્કાર પ્રકરણ, પૃ. 99. 34. સ્મૃતિચન્દ્રિકા, સંસ્કારકાણ્ડ, પૃ. 28. 35. મનુસ્મૃતિ, 5.37. 36. અનુશાસનપર્વ-177, શ્લોક 54. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130