Book Title: Nirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Author(s): Sukhlal Sanghavi, Nagin J Shah
Publisher: Jagruti Dilip Sheth Dr

View full book text
Previous | Next

Page 21
________________ ૧૬ નિર્પ્રન્થસમ્પ્રદાય સૂત્રો'7 જોઈએ છીએ અને તે સૂત્રોમાં વર્ણવાયેલી મર્યાદાઓ ઉપર વિચાર કરીએ છીએ ત્યારે સ્પષ્ટ જણાય છે કે સામિષ આહારનું વિધાન તદ્દન આપવાદિક અને અપરિહાર્ય સ્થિતિનું છે. ‘અહિંસા-સંયમ-તપ’નો મુદ્રાલેખ: ઉપર સૂચવાયેલ આપવાદિક સ્થિતિનો સમય અને દેશવિષયક ઠીક ઠીક નિર્ણય કરવો સરળ નથી, તેમ છતાં આપણે એટલું તો કહી શકીએ છીએ કે જ્યારે નિગ્રન્થસંઘ પ્રધાનપણે બિહારમાં હતો અને અંગ-બંગ-કલિંગ આદિમાં નવા પ્રચાર માટે જવા લાગ્યો હતો ત્યારની આ સ્થિતિ હોવી જોઈએ કેમ કે તે દિવસોમાં આજથી પણ ક્યાંય વધારે સામિષભોજન તે પ્રદેશોમાં પ્રચલિત હતું. ગમે તે હોય પરંતુ એક વાત તો નિશ્ચિત છે કે નિર્પ્રન્થસંઘ પોતાના અહિંસા-સંયમ-તપના મૂળ મુદ્રાલેખના આધારે નિરામિષ ભોજનત્યાગ અને અન્ય વ્યસનત્યાગના પ્રચારકાર્યમાં ઉત્તરોત્તર આગળ જ વધતો રહ્યો છે અને સફળ થતો ગયો છે.’ આ સંઘે અનેક સામિષભોજી રાજા-મહારાજાઓને તથા અનેક ક્ષત્રિયાદિ ગણોને પોતાના સંઘમાં મેળવીને ધીરે ધીરે તેમને નિરામિષ ભોજન તરફ વાળ્યા. સંઘનિર્માણની આ પ્રક્રિયા પાછલી રાતાબ્દીઓમાં બિલકુલ બંધ જેવી થઈ ગઈ છે પરંતુ પહેલાં આ સ્થિતિ ન હતી. અહિંસા, સંયમ અને તપના ઉગ્ર પ્રચારનો સામાન્ય જનતા ઉપર એવો પ્રભાવ પડ્યાનું ઇતિહાસમાં દેખાય છે કે જેનાથી બાધિત થઈને નિરામિષભોજનનો અત્યન્ત આગ્રહ ન રાખનારા બૌદ્ધ અને વૈદિક સંપ્રદાયોને પણ નિર્પ્રન્થસંઘનું કંઈક અંરો અનુસરણ કરવું પડ્યું છે. 18 ન વિરોધી પ્રશ્ન અને સમાધાન નિઃસંદેહ ભારતમાં અહિંસાની પ્રતિષ્ઠા જમાવવામાં અનેક પંથોનો હાથ રહ્યો છે પરંતુ તેમાં જેટલો હાથ નિર્પ્રન્થસંઘનો રહ્યો છે તેટલો ભાગ્યે જ કોઈ બીજાનો રહ્યો હોય. અહિંસા 17. આચારાંગ, 2.1.274, 281. દશવૈકાલિક, અ. 5.73, 74. 18. આપણે વિનયપિટકમાં જોઈએ છીએ કે બૌદ્ધ ભિક્ષુઓ માટે અનેક પ્રકારનાં માંસો ખાવાનો સ્પષ્ટ નિષેધ છે અને પોતાના માટે બનાવેલાં માંસ લેવાનો પણ વિશેષ નિષેધ છે. એટલું જ નહિ પણ બૌદ્ધ ભિક્ષુઓને જમીન ખોદવા-ખોદાવવાનો તથા વનસ્પતિ કાપવાકપાવવાનો પણ નિષેધ કરવામાં આવ્યો છે. ઘાસ આદિ જંતુઓની હિંસાથી બચવા માટે વર્ષોવાસનું પણ વિધાન છે. વાચક આચારાંગમાં વર્ણવવામાં આવેલ નિર્ગુન્થોના આચારની સાથે તુલના કરશે તો ઓછામાં ઓછું એટલું તો જાણી શકશે કે અમુક અંશોમાં નિર્પ્રન્ય આચારોનો જ બૌદ્ધ આચાર ઉપર પ્રભાવ પડ્યો છે કેમકે નિર્પ્રન્થ પરંપરાના આચાર પહેલેથી જ સ્થિર હતા અને બહુ કડક પણ હતા જ્યારે બૌદ્ધ ભિક્ષુઓ માટે આવા આચારોનું વિધાન લોકનિંદાના ભયથી પાછળથી કરવામાં આવ્યું છે - વિનયપિટક, પૃ. 23, 24, 170, 231, 245 (હિન્દી આવૃત્તિ). જ્યાં જ્યાં નિર્પ્રન્થ પરંપરાનું પ્રાધાન્ય રહ્યું છે ત્યાંના વૈષ્ણવો જ નહિ, રીવ શાક્ત આદિ ફિરકાઓ જે માંસથી દૂર રહેતા ન હતા તેઓ પણ માંસ-મસ્ત્યાદિ ખાવામાંથી દૂર રહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130