Book Title: Nirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Author(s): Sukhlal Sanghavi, Nagin J Shah
Publisher: Jagruti Dilip Sheth Dr

View full book text
Previous | Next

Page 29
________________ નિર્ગન્ધસમ્પ્રદાય માંસ-મસ્ત્યાદિ ગ્રહણ કરવામાંથી બચી ન શક્યા. એવું કેમ ? જવાબ સ્પષ્ટ છે - તેમના માટે માંસમસ્ત્યાદિકનું ગ્રહણ નિગ્રન્થસંપ્રદાય જેટલું કડક આપવાડિક યા લાચારી રૂપ ન હતું. નિગ્રન્થ અનગાર બૌદ્ધ અનગાર જેમ ધર્મપ્રચારનું ધ્યેય રાખતા હતા તેમ છતાં તેઓ બૌદ્ધોની જેમ ભારતની બહાર જવામાં અસમર્થ રહ્યા અને ભારતમાં પણ બૌદ્ધોની જેમ દરેક દળને પોતાના સંપ્રદાયમાં મેળવી-ભેળવી દેવામાં અસમર્થ રહ્યા એનું શું કારણ ? જવાબ સ્પષ્ટ છે કે નિર્પ્રન્થસંપ્રદાયે પહેલેથી જ માંસાદિના ત્યાગ ઉપર એટલો બધો ભાર આપ્યો હતો કે નિગ્રન્થ અનગાર ન તો સરળતાથી માંસાહારી જાતિવાળા દેશમાં જઈ શકતા હતા કે ન તો માંસમસ્ત્યાદિનો ત્યાગનકરવાવાળી જાતિઓને જેમની તેમ પોતાના સંઘમાં બૌદ્ધ ભિક્ષુઓની જેમ લઈ શકતા હતા. આ જ કારણે નિર્ગુન્થસંપ્રદાય ભારતમાં જ સીમિત રહ્યો છે, એટલું જ નહિ પણ તેનો કોઈ પણ એવો ગૃહસ્થ કે સાધુ અનુયાયી નથી જે હજારો પ્રલોભન હોય તો પણ માંસમસ્ત્યાદિ લેવાનું પસંદ કરે. આવા દૃઢ સંસ્કારોની પાછળ હજારો વર્ષોથી સ્થિર કોઈ પ્રાચીન ઔત્સર્ગિક ભાવના જ કામ કરી રહી છે એવું સમજવું જોઈએ. २४ આઆધારઉપર આપણેકહીએછીએકે જૈનઇતિહાસમાં સામિષ આહારનાં સૂચક જે પણ ઉલ્લેખોછે અનેતેમનોજે પણ અસલ અર્થ છે તેનાથીજૈનોએગભરાવાનીકે ક્ષુબ્ધથવાનીજરૂર નથી, ઊલટું એતો નિર્ગુન્થસંપ્રદાયનો એક વિજયછેકેજેણેતેઆપવાદિક પ્રસંગોવાળાયુગમાંથી પસારથઈને આગળ પોતાના મૂળધ્યેયનેસર્વત્રપ્રતિષ્ઠિત અનેવિકસિતકર્યું. બૌદ્ધ પરંપરામાં માંસના ગ્રહણ-અગ્રહણનો ઊહાપોહ : જૈન પરંપરા અહિંસાસિદ્ધાન્તનું અન્તિમ હદ સુધી સમર્થન કરનારી છે. તેથી તેના પ્રમાણભૂત ગ્રન્થોમાં ક્યાંય પણ ભિક્ષુઓ દ્વારા માંસમસ્યાદિના ગ્રહણની થોડી અમથી વાત આવી જાય તો તે પરંપરાની અહિંસાભાવનાની વિરુદ્ધ હોવાને કારણે તેનાથી પરંપરામાં મતભેદ કે ખળભળાટ મચી જાય તો એ કોઈ અચરજની વાત નથી. પરંતુ અચરજની વાત તો એ છે કે જે પરંપરામાં અહિંસાના આચરણનું મર્યાદિત વિધાન છે અને જેના અનુયાયીઓ આજ પણ માંસમસ્ત્યાદિનું ગ્રહણ જ નહિ પણ સમર્થન પણ કરે છે તે બૌદ્ધ તથા વૈદિક પરંપરાનાં શાસ્ત્રોમાં પણ અમુક સૂત્ર તથા વાક્ય માંસમસ્યાદિ પરક છે કે નહિ એ મુદ્દા ઉપર ગરમાગરમ ચર્ચા પ્રાચીનકાળથી આજ સુધી ચાલતી આવી છે. નામની 19 બૌદ્ધ પિટકોમાં જ્યાં બુદ્ધના નિર્વાણની ચર્ચા છે ત્યાં કહેવામાં આવ્યું છે કે યુન્દ એક વ્યક્તિએ બુદ્ધને ભિક્ષામાં સૂકરમાંસ આપ્યું હતું જેને ખાવાથી બુદ્ધને ઉગ્ર ફૂલપીડા પેદા થઈ અને તે જ મૃત્યુનું કારણ બની. બૌદ્ધ પિટકોમાં અનેક જગાએ એવું વર્ણન આવે છે કે જેનાથી અસંદિગ્ધપણે મનાય છે કે બૌદ્ધ ભિક્ષુ પોતાના નિમિત્તે મારવામાં આવેલા ન હોય એવા પશુનું માંસ ગ્રહણ કરતા હતા.20 જો બુદ્ધની હયાતીમાં તેમનો જ ભિક્ષુસંઘ માંસમસ્યાદિનું ગ્રહણ કરતો હતો તો પછી ચુન્દે બુદ્ધને આપેલી સૂકરમાંસની ભિક્ષાના અર્થના વિષયમાં મતભેદ યા ખેંચતાણ કેમ થઈ ? આ એક સમસ્યા છે. 19. દીઘનિકાય, મહાપરિનિઘ્વાણસુત્ત 16. 20. અંગુત્તરનિકાય, Vol. II, પૃ. 187. મઝિનિકાય, સુત્ત55. વિનયપિટક (હિન્દી) પૃ. 245. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130