Book Title: Nirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Author(s): Sukhlal Sanghavi, Nagin J Shah
Publisher: Jagruti Dilip Sheth Dr

View full book text
Previous | Next

Page 15
________________ નિર્ઝન્યસમ્પ્રદાય ભગવાન મહાવીરની પહેલાંના સમયથી જ નિર્ચન્ય પરંપરાએ છોડી જ દીધું છે. આટલા અવલોકન ઉપરથી આપણે એટલું તો નિર્વિવાદ કહી શકીએ છીએ કે આચારાંગાદિ આગમોનાં કેટલાંક સૂત્રોનો માંસ-મસ્યાદિપરક અર્થ છે એવી માન્યતા કોઈ નવી નથી અને આવી માન્યતા પ્રગટ કરવામાં આવતાં જૈન સમાજમાં ખળભળાટ ઊભો થવાની વાત પણ કોઈ નવી નથી. અહીં પ્રસંગવશ એક વાત ઉપર ધ્યાન દેવું પણ યોગ્ય છે. તે એ કે તત્ત્વાર્થસૂત્રના જે અંશનું વ્યાખ્યાન કરતી વખતે પૂજ્યપાદ દેવનન્દીએ શ્વેતામ્બરીય આગમોને લક્ષ્ય કરીને શ્રુતાવર્ણવાદદોષ દેખાડ્યો છે તે અંશનું વ્યાખ્યાન કરતી વખતે સૂત્રકાર ઉમાસ્વાતિએ પોતાના સ્વપજ્ઞ ભાષ્યમાં પૂજ્યપાદની જેમ મૃતાવર્ણવાડદોષનું નિરૂપણ કર્યું નથી. તે ઉપરથી સ્પષ્ટ છે કે જે આગમોના અર્થને લક્ષ્ય કરીને પૂજ્યપાદે શ્રુતાવર્ણવાદદોષનું લાંછન લગાવ્યું છે તે આગમોના તે અર્થની બાબતમાં ઉમાસ્વાતિનો કોઈ આક્ષેપ ન હતો. જો ઉમાસ્વાતિ તે માંસાદિ પરક અર્થ સાથે પૂજ્યપાદની જેમ સર્વથા અસહમત યા વિરુદ્ધ હોત તો તેઓ પણ મૃતાવર્ણવાદનો અર્થ પૂજ્યપાદ જેવો કરત અને આગમોની વિરુદ્ધ કંઈક ને કંઈક જરૂર કહત. માંસ-મસ્યાદિની અખાઘતા અને પક્ષભેદઃ આજનો આખો જનસમાજ, જેમાં શ્વેતામ્બર, દિગમ્બર, સ્થાનક્વાસી બધાનાનામોટા ફિરકાઓ આવી જાય છે, જેવો નખશિખ માંસમસ્ય આદિથી દૂર રહેનારો છે અને બની શકે ત્યાં સુધી માંસમસ્ય આદિ ચીજોને અખાદ્ય સિદ્ધ કરીને બીજાઓને એવી ચીજોનો ત્યાગ કરાવવામાં ધર્મપાલન માને છે અને તે માટે સમાજના ત્યાગી-ગૃહસ્થબધા યથાસંભવ પ્રયત્ન કરે છે તેવો જ તે સમયનો જૈન સમાજ પણ હતો અને માંસમસ્ય આદિના ત્યાગનો પ્રચાર કરવામાં દત્તચિત્ત હતો જે સમયે ચૂર્ણિકાર, આચાર્ય હરિભદ્ર અને આચાર્ય અભયદેવે આગમગત અમુક વાક્યોનો માંસમસ્યાદિ પરક અર્થ પણ પોતપોતાની આગમિક વ્યાખ્યાઓમાં લખ્યો. તેવી જ રીતે પૂજ્યપાદ દેવનન્દી અને ઉમાસ્વાતિના સમયનો જનસમાજ પણ તેવો જ હતો, તેમાં ભલેને શ્વેતામ્બર-દિગમ્બર જેવા ફિરકાઓ મોજૂદ હોય પરંતુ માંસમત્સ્ય આદિને અખાદ્ય માનીને ચાલુ જીવનવ્યવહારમાંથી તેનો સર્વથા ત્યાગ કરવાની બાબતમાં તો બધા ફિરકાવાળા એક જ ભૂમિકા ઉપર હતા. કહેવું તો એ જોઈએ કે શ્વેતામ્બરદિગમ્બર જેવો ફિરકાભેદ ઉત્પન્ન થયો તે પહેલેથી જ માંસ-મત્સ્ય આદિ ચીજોને અખાદ્ય માનીને તેમનો ત્યાગ કરવાની પાકી ભૂમિકા જેનસમાજની સિદ્ધ થઈ ચૂકી હતી. જો આવું હતું તો સહજ જ પ્રશ્ન ઊઠે છે કે આગમગત અમુક સૂત્રોનો માંસ-મસ્યાદિપરક અર્થ કરનારો એક પક્ષ અને તે અર્થનો વિરોધ કરનારો બીજો પક્ષ એવા પરસ્પર વિરોધી બે પક્ષો જેનસમાજમાં શા માટે પેદા થયા?કેમકે બંને પક્ષોના વર્તમાન જીવનધોરણમાં તો ખાદ્યાખાદ્યના વિષયમાં કોઈ અંતર હતું જ નહિ. આ પ્રશ્ન આપણને ઇતિહાસના સદા પરિવર્તનશીલ ચક્રની ગતિને તથા માનવસ્વભાવનાં વિવિધ પાસાંઓને જોવાનો સંકેત કરે છે. ઈતિહાસનો અંગુલિનિર્દરાઃ ઈતિહાસ ડગલે ને પગલે આંગળી ઊંચી કરીને આપણને કહેતો રહે છે કે તમે ભલે ને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130