Book Title: Nirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Author(s): Sukhlal Sanghavi, Nagin J Shah
Publisher: Jagruti Dilip Sheth Dr

View full book text
Previous | Next

Page 18
________________ સામિષ-નિરામિષાહાર આવે તો પ્રાચીન પ્રચલિત આગમોને છોડી દેવાની વાત વધુ ન્યાયસંગત સાબિત કરી શકાય. આ મનોદશાને વશ થઈને જાણતા કે અજાણતાં, ઐતિહાસિક સ્થિતિનો વિચાર કર્યા વિના જ, એક સંપ્રદાયે બધા આગમોને એક સાથે છોડી તો દીધા, પરંતુ છેવટે એટલો પણ વિચાર ન કર્યો કે જે સંપ્રદાય આગમોને માન્ય રાખવાનો આગ્રહ રાખે છે તે સંપ્રદાય પણ તેની જેમ જ માંસ-મત્સ્ય આદિની અખાદ્યતાને જીવનવ્યવહારમાં તેના જેટલું જ એકસરખું સ્થાન આપે છે એટલું જ નહીં પરંતુ શ્વેતામ્બર સંપ્રદાય પણ દિગમ્બર સંપ્રદાયના જેટલો જ માંસ-મસ્યાદિની અખાદ્યતાનો પ્રચાર અને સમર્થન કરે છે તથા અહિંસાસિદ્ધાંતની પ્રરૂપણા અને પ્રચારમાં તે દિગમ્બર પરંપરાથી આગળ નહિ તો સમક્ષ તો અવાય છે. આવું હોવા છતાં પણ શ્વેતામ્બર પરમ્પરાના વ્યાખ્યાકારો આગમોનાં અમુક સૂત્રોનો માંસ-મસ્યાદિપરક અર્થ કરે છે તો શું તે આમ અન્ય પરંપરાને ચીડવવા માટે કરે છે? કે પછી પોતાના જ પૂર્વજો ઉપર અખાદ્ય ખાવાનો આક્ષેપ જેનેતર સંપ્રદાયો પાસે યાસમાનત–ી સંપ્રદાય પાસે કરાવવા માટે કરે છે? પ્રાચીન અર્ચની રક્ષા પૂજ્યપાદથી લગભગ આઠસો વર્ષ પછી એક નવો ફિરકો જૈન સંપ્રદાયમાં પેદા થયો. તે સ્થાનકવાસી નામથી પ્રસિદ્ધ છે. તે ફિરકાના વ્યાખ્યાકારોએ આગમગત માંસ-મસ્યાદિસૂચક સૂત્રોનો અર્થ પોતાની વર્તમાન જીવનપ્રણાલી અનુસાર વનસ્પતિપરક કરવાનો આગ્રહ રાખ્યો અને શ્વેતામ્બરીય આગમોને માનવા છતાં પણ તે આગમોની પ્રાચીન શ્વેતામ્બરીય વ્યાખ્યાઓને માનવાનો આગ્રહ ન રાખ્યો. આમ સ્થાનકવાસી સંપ્રદાયે એ સૂચિતર્યું કે આગમોમાં જ્યાં ક્યાંય પણ માંસ-મસ્યાદિસૂચક સૂત્ર છે ત્યાં સર્વત્ર વનસ્પતિપરક જ અર્થ વિવક્ષિત છે અને માંસ-મસ્યાદિરૂપ અર્થ જે પ્રાચીન ટીકાકારોએ કર્યો છે તે અહિંસાસિદ્ધાન્તની સાથે સંગતન હોવાના કારણે ખોટો છે. સ્થાનક્વાસી ફિરકા અને દિગમ્બર ફિરકાના દષ્ટિકોણમાં એટલી તો સમાનતા છે જ કે માંસ-મસ્યાદિપરક અર્થ કરવો એ કેવળ કાલ્પનિક છે અને અહિંસક સિદ્ધાન્તની સાથે મેળ વિનાનો છે, પરંતુ બન્ને વચ્ચે એક મોટો ફરક પણ છે. દિગમ્બર સંપ્રદાયને અન્ય કારણોથી જ ખરેખર શ્વેતામ્બર આગમોનો સપરિવાર બહિષ્કાર કરવો હતો જ્યારે સ્થાનકવાસી પરંપરાને આગમોનો આત્યંતિક બહિષ્કાર ઇષ્ટ ન હતો; સ્થાનવાસી પરંપરાને તો તે જ આગમો સર્વથા પ્રમાણ નથી જેમનામાં મૂર્તિનો સ્પષ્ટ સંકેત હોય. તેથી સ્થાનકવાસી સંપ્રદાયની સામે આગમગત ખાદ્યાખાદ્યવિષયક સૂત્રોનો અર્થ બદલવાનો જ એક માત્ર માર્ગ ખુલ્લો હતો જે માર્ગને તેણે અપનાવ્યો પણ ખરો. આમ આપણે આખા ઇતિહાસકાલમાં જોઈએ છીએ કે અહિંસાની વ્યાખ્યા અને તેની પ્રતિષ્ઠા અને પ્રચારમાં તથા વર્તમાન જીવનધોરણમાં દિગમ્બર અને સ્થાનકવાસી ફિરકાઓથી કોઈ પણ રીતે ઊતરતા ન હોવા છતાં શ્વેતામ્બર સંપ્રદાયના વ્યાખ્યાકારોએ ખાદ્યાખાદ્યવિષયક સૂત્રોનો માંસ-મસ્યપરક પ્રાચીન અર્થ અપનાવી રાખવામાં પોતાનું ગૌરવ જ માન્યું છે. ભલે ને તેમ કરવામાં તેમને જેનેતર સમાજ તરફથી તથા સમાનબધુ ફિરકાઓ તરફથી હજાર હજાર આક્ષેપો સાંભળવા અને સહેવા પડે. Jain 2. ucation International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130