________________
(૧૧)
૧૧૮૬ ચીતળ, દેરાસર ૧ તથા ઉતરવાની જગે છે, ત્યાંથી માઈલ ૪૦ ગામે શ્રી જેતપુર જવું.
૧૧૮૭ જેતપુર, દેરાસર તથા ઘર્મશાળા છે, જાણશ મળે છે, ત્યાંથી ૫ માઈલ જેતલસર જંકશન જવું, ત્યાંથી એક વેરાવળ અને એક પોરબંદર એમ બે લાઈનો જાય છે. વેરાવળ લાઇનમાં માઇલ ૨૧ જુનાગઢ જવું. ભાડુ રૂ. -૩-૬ છે.
૧૧૮૮ જુનાગઢ (ગીરનાર તીર્થ ) જુનાગઢ સ્ટેશનથી શહેર કેસ ૧ છે, શહેરમાં ઘણી ધર્મશાળાઓ, તથા દેરાસર, ભંડાર, કારખાનાની દુકાન વગેરે છે, અહિંથી પહાડની તલેટી ગાઉ છે, ત્યાં જવું. બેલગાડી વગેરે મળી શકે છે. ૧ તલેટીમાં ધર્મશાળા તથા દેરાસર છે. ત્યાં યાત્રાળુ લોકોને
સંધની તરફથી ભાતુ આપવામાં આવે છે. અહિંથી પહાડ પર ચડવું. ડેલી મળી શકે છે, પહાડપર જવાને પગથી બાંધેલા છે. ચઢાવ કેસ ૭ છે. રસ્તામાં એક બે ઠેકાણે
પાણી મળે છે. ધર્મશાળા રસ્તામાં છે. ૨ ગીરનારજીનું તીર્થ પહાડપર ૪ કેસપર છે. ત્યાં તીર્થનાથ
૨૨ મા ભગવાનનું દેરાસર તેમજ બીજા દેરાસરો બહુ છે. પહાડપર ૨૨ મા તીર્થંકરના કલ્યાણક ૩ દિક્ષા. જ્ઞાન તથા મેક્ષકલ્યાણક થયેલા છે. ભગવાનને આ સ્થાન પર કેવળજ્ઞાન ઉપન્યું હતું. અહિંથી ઉપર જવું. ત્યાં રામતીની ગુફા છે. થોડું ઉપર જવાથી અધિષ્ઠાતા અંબિકાદેવીનું દેરાસર છે.
ત્યાંથી નીચે ઉતરૂં. અગિળ જતાં ૩ સહવાસન છે ત્યાં ગુમટીમાં ચરણેની સ્થાપના છે. અહિંથી - પાછું ઉપર આવતાં કેસ ૩ પર