________________
ઉત્તામફળનો અનુપમ મહિમા
જાતની ભાત પાડ્યા વિના રહેતી નથી. ઉત્તમકુળોમાં સહજ કુલીનતા પ્રાયઃ જોવા મળતી હોય છે. શ્રીરામલક્ષ્મણના પૂર્વજોની પરંપરામાં ઉત્તમકુળોનો અનુપમ મહિમા જોવા મળે છે.
અહીં શ્રી વજબાહુ અને ઉદયસુંદર આ સાળા બનેવીની એક રોમાંચક ઘટનાએ રામાયણની રમણિયતાને ચાર ચાંદ લગાડ્યા છે.
એ નરવીરોની નિર્મળ વિચાર શરણી, પરસ્પરની વિચારણા, મશ્કરીમાં કહેવાયેલા વચનોની પણ ટેક, બાલ પાસેથી પણ હિતગ્રહણની વૃત્તિ આ બધું જ અદ્ભુત અદભૂત
વર્તમાનકાળના કુલાંગાર લોકોની દયનીય દશાનો અનુભવ કરાવે તેવી આ અપૂર્વકથા કૃપાળુ પરમગુરુદેવશ્રીના શબ્દોમાં જ વાગોળવી ગમશે.
-શ્રી છું