Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh

View full book text
Previous | Next

Page 382
________________ 323 - હૃદય નયન નિહાળે જગધણી થવા માંગીએ છીએ તે મુક્તાફળ એટલે કે મુક્તિ સહજાસહજ મળતી નથી. એને માટે વધુ પ્રયત્નોની અને સમતાગુણ કેળવવાની આવશ્યકતા હોય છે. ધર્માનુષ્ઠાન-શુભકરણીથી સમતા આવવી એ અનંતર ફળ છે, જે પરંપરાએ કાળ પરિપક્વ થયેથી મુક્તિ આપનાર બને છે.. જો કરણીનું ફળ, કરણીથી મુક્તિરૂપ કૃતકૃત્યતા નથી તો પછી એ કરણીનું ફળ, સંસારમાં રખડપટ્ટી જ છે; પછી ભલેને વચમાં દેવભવ કે માનવભવનો વિસામો મળી જતો હોય! કરવાપણા, થવાપણ, બનવાપણાથી છૂટી કૃતકૃત્ય થઈ હોવાપણામાં આવવું, તે જ કરણીનું ફળ છે; બાકી બધી મજૂરી છે-શ્રમ છે. શ્રમમાંથી આશ્રમ એટલે આત્માશ્રયમાં અને ત્યાંથી વિશ્રામ એટલે મુક્તિમાં જવું તે જ શ્રમની સાર્થકતા છે. - આ કડીમાં યોગીવર્ય કવિશ્રી આનંદઘનજીનું કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે, ભલે આડપેદાશરૂપે By Product માં દેવ-માનવના ભવ મળી જતાં હોય તો મળે, પણ પૂજનની આ શુભકરણીનું ફળ, મુક્તિ જ બનવું જોઈએ અને તે મુક્તિના લક્ષે જ થવી જોઈએ. બાકી જે શુભ કરણી શુદ્ધમાં લઈ નહિ જતી હોય તે કરણીને શુભ કહેવી કે કેમ એ એક યક્ષપ્રશ્ન છે ! એટલે જ તો આપણે ત્યાં ફળનો ક્રમ બતાવતા જણાવ્યું છે કે ભક્તિનું ફળ વિરતિ અને વિરતિનું ફળ મુક્તિ! અંતિમ પરિણામ એટલે અનંતતાની અર્થાત્ અનંત ચતુષ્કની પ્રાપ્તિ; જે સાચું ફળ છે. એ પરંપર એવા પરમફળની પ્રાપ્તિનું જ એક માત્ર લક્ષ રાખવાનું છે. એ મળતાં સુધીમાં એને મેળવી આપનારા ફળો, આનુષંગિક ફળ છે. ફળપૂજા કરતાં સિદ્ધશિલા ઉપર શ્રીફળ આદિ ફળ મૂકીએ છીએ. એ ફળપૂજા, “શ્રી” એટલે કેવલ્યલક્ષ્મી અને સિદ્ધગતિરૂપ અંતિમ-ફળ પ્રાપ્તિની સૂચક જેને અઘુવમાંથી હું પણું નીકળી જાય, તે જ ઘવમાં હું પણું કરી શકે અને ઘૂવથી અભેદ થઈ શકે.

Loading...

Page Navigation
1 ... 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456