SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ 323 - હૃદય નયન નિહાળે જગધણી થવા માંગીએ છીએ તે મુક્તાફળ એટલે કે મુક્તિ સહજાસહજ મળતી નથી. એને માટે વધુ પ્રયત્નોની અને સમતાગુણ કેળવવાની આવશ્યકતા હોય છે. ધર્માનુષ્ઠાન-શુભકરણીથી સમતા આવવી એ અનંતર ફળ છે, જે પરંપરાએ કાળ પરિપક્વ થયેથી મુક્તિ આપનાર બને છે.. જો કરણીનું ફળ, કરણીથી મુક્તિરૂપ કૃતકૃત્યતા નથી તો પછી એ કરણીનું ફળ, સંસારમાં રખડપટ્ટી જ છે; પછી ભલેને વચમાં દેવભવ કે માનવભવનો વિસામો મળી જતો હોય! કરવાપણા, થવાપણ, બનવાપણાથી છૂટી કૃતકૃત્ય થઈ હોવાપણામાં આવવું, તે જ કરણીનું ફળ છે; બાકી બધી મજૂરી છે-શ્રમ છે. શ્રમમાંથી આશ્રમ એટલે આત્માશ્રયમાં અને ત્યાંથી વિશ્રામ એટલે મુક્તિમાં જવું તે જ શ્રમની સાર્થકતા છે. - આ કડીમાં યોગીવર્ય કવિશ્રી આનંદઘનજીનું કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે, ભલે આડપેદાશરૂપે By Product માં દેવ-માનવના ભવ મળી જતાં હોય તો મળે, પણ પૂજનની આ શુભકરણીનું ફળ, મુક્તિ જ બનવું જોઈએ અને તે મુક્તિના લક્ષે જ થવી જોઈએ. બાકી જે શુભ કરણી શુદ્ધમાં લઈ નહિ જતી હોય તે કરણીને શુભ કહેવી કે કેમ એ એક યક્ષપ્રશ્ન છે ! એટલે જ તો આપણે ત્યાં ફળનો ક્રમ બતાવતા જણાવ્યું છે કે ભક્તિનું ફળ વિરતિ અને વિરતિનું ફળ મુક્તિ! અંતિમ પરિણામ એટલે અનંતતાની અર્થાત્ અનંત ચતુષ્કની પ્રાપ્તિ; જે સાચું ફળ છે. એ પરંપર એવા પરમફળની પ્રાપ્તિનું જ એક માત્ર લક્ષ રાખવાનું છે. એ મળતાં સુધીમાં એને મેળવી આપનારા ફળો, આનુષંગિક ફળ છે. ફળપૂજા કરતાં સિદ્ધશિલા ઉપર શ્રીફળ આદિ ફળ મૂકીએ છીએ. એ ફળપૂજા, “શ્રી” એટલે કેવલ્યલક્ષ્મી અને સિદ્ધગતિરૂપ અંતિમ-ફળ પ્રાપ્તિની સૂચક જેને અઘુવમાંથી હું પણું નીકળી જાય, તે જ ઘવમાં હું પણું કરી શકે અને ઘૂવથી અભેદ થઈ શકે.
SR No.005855
Book TitleHriday Nayan Nihale Jagdhani Part 01
Original Sutra AuthorAnandghan
AuthorMuktidarshanvijay
PublisherMatunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
Publication Year2008
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy