SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સુવિધિનાથજી 324 છે. પૂર્વાચાર્યોએ શું આયોજન કર્યું છે ?!! આફરિન પોકારી જવાય એવી પૂજનક્રિયા અને પૂજનવિધિ છે !!! ફૂલ અક્ષત વર ધૂપ પઈવો, ગંધ નૈવેદ્ય ફલ જળ ભરી રે; અંગ-અગ્રપૂજા મળી અડવિધ ભાવે ભવિક શુભગતિ વરી રે. સુવિધિ૮૫ પાઠાંતરે “મળીને બદલે “મિલિને, અડવિધને બદલે “અદવિધ એવો પાઠફેર છે.. શબ્દાર્થ પઈવો એટલે પ્રદીપ-પ્રકાશ-દીપ. ગંધ એટલે સુગંધી પદાર્થ અત્તરાદિથી કરાતું વિલેપન અને કેશર-ચંદનપૂજા. નૈવેદ્ય એટલે સુંદર ભોજનથાળ અથવા પકવાન કે મીઠાઈ. અક્ષત એટલે છડેલા ચોખા-તંદુલ. અડવિધ એટલે વિધ વિધ આઠ પ્રકારની અષ્ટપ્રકારી. જળભરેલા કળશ વડે પ્રભુજીની પ્રક્ષાલ પૂજા અર્થાત્ જલાભિષેક, ગંધ એટલે કસ્તુરી, બરાસ, કેશર, ચંદનાદિથી કરાતી બરાસ કેશરપૂજા, ફૂલ એટલે પુષ્પપૂજા એવી ત્રણ પ્રકારની અંગપૂજા અને પછી પ્રભુ સન્મુખ રહી કરવામાં આવતી ધૂપ, દીપ, અક્ષત, ફલ, નૈવેદ્ય પૂજા જે પાંચ પ્રકારની અગ્રપૂજા છે તે; એમ આઠ પ્રકારની એવી, અષ્ટપ્રકારી પૂજા ભાવપૂર્વક કરનાર ભાવિક, ભક્ત શુભ ગતિ એટલે કે સદ્ગતિને વરે (પામે) છે.. લક્ષ્યાર્થ-વિવેચનઃ ત્રીજી ગાથામાં પંચોપચાર પૂજાવિધિ બતાવ્યા બાદ હવે યોગીવર્ય કવિશ્રી આ પાંચમી ગાથામાં અષ્ટપ્રકારી પૂજાવિધિ વર્ણવી રહ્યા છે. ૧. જલપૂજા : પ્રથમ પ્રભુજીને જલથી ભરેલાં કળશો વડે પોતે પોતાની યીજને ઓળખે તો પછી પારકી ચીજને છોડવાનું કે તેથી છૂટવાનું દુઃખ ન થાય.
SR No.005855
Book TitleHriday Nayan Nihale Jagdhani Part 01
Original Sutra AuthorAnandghan
AuthorMuktidarshanvijay
PublisherMatunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
Publication Year2008
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy