Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh

View full book text
Previous | Next

Page 417
________________ શ્રી શીતલનાથજી 356 સ્યાદ્વાદ એ કોઈ સંશયવાદ કે શૂન્યવાદ નથી તેમ ફેરફુદડીવાદ પણ નથી. એ સમ્યગ્વાદ-સંવાદ- સત્યનિરૂપણવાદ છે. એ વિવાદને ટાળીને સંવાદને સાધનાર છે. વસ્તુસ્વરૂપ અનંતધર્માત્મક છે. અનંત ધર્માત્મક વસ્તુસ્વરૂપ અનેકાન્તવાદથી જ સમજી શકાતું હોય છે. એકાંતવાદથી વસ્તુના અન્ય ધર્મોનો અમલાપ થતો હોવાથી વસ્તુસ્વરૂપનો યથાર્થ સમ્યમ્ બોધ શક્ય બનતો નથી. નિશ્ચય-વ્યવહાર, જ્ઞાન-ક્રિયા, દ્રવ્ય-ભાવ, નય-પ્રમાણ, નિમિત્તઉપાદાન, ઉત્સર્ગ-અપવાદ, અસ્તિ-નાસ્તિ; ઉભયધર્મની પરિપૂર્ણ સમજ સ્યાદ્વાદદર્શનથી જ શક્ય બનતી હોય છે. જગત એકાન્ત નિત્ય પણ નથી અને એકાન્ત અનિત્ય પણ નથી. જગતને માત્ર નિત્ય કહેવું કે અનિત્ય કહેવું એ અર્ધસત્ય છે. સંપૂર્ણ સત્ય નથી. જગત, પ્રવાહથી નિત્ય છે પણ ઘટના-બનાવથી અનિત્ય છે; તેથી જગતને સાદિ-સાન્તપૂર્વક અનાદિ-અનંત જાણવું અને જણાવવું તે સ્યાદ્વાદશૈલિનું સંપૂર્ણ સત્ય છે. આ જ એકાન્તવાદના મિથ્યાત્વને ટાળનારો, સમ્યક્તને પમાડનારો તથા મુક્તિને અપાવનારો અનેકાન્તવાદ છે. આત્મા એક છે. આત્માના આત્મપ્રદેશો અસંખ્યાત છે અને આત્માના ગુણ-પર્યાય અનંતા છે. આમ સંખ્યાત, અસંખ્યાત તથા અનંત એ ત્રણેય એક જ આત્મામાં છે; તે જ અનેકાન્ત છે. - વિવક્ષિત વસ્તુતત્ત્વમાં પરસ્પર વિરુદ્ધ જણાતા ગુણધર્મોનો યોગ્ય સમન્વય કરી, દૃષ્ટિમાં ભેદરૂપ જણાતા ગુણધર્મોને ઉચિત સ્થાને ઉચિત અપેક્ષાએ સમજી-સમજાવીને વિરોધને ટાળી દઈ, યથાર્થ બોધ કરવો તે જ અનેકાન્તવાદ કે સ્યાદ્વાદ છે. હકીકત તો એ છે કે આ સ્યાદ્વાદ દર્શનના માધ્યમથી જ સર્વાગીણ તત્ત્વનિર્ણય કરીને ધર્મકલહનું શમન ઘર્માત્માને યોગ પકડવા ફાવે છે પણ યોગશુદ્ધિથી યશ્ચિાતી, ઉપયોગથી ઉપયોગને પકડીને ઉપયોગશુદ્ધિ કરવી ફાવતી નથી.

Loading...

Page Navigation
1 ... 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456