Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh

View full book text
Previous | Next

Page 428
________________ 367 હૃદય નયન નિહાળે જગધણી 卐 તરફ પ્રયાણ કરતાં એ ચંડકૌશિક નાગને ત્યાંથી ઉદ્ધરીને આરાધનાના ભવ્ય જહાજમાં બેસાડીને દેવલોકમાં પહોંચાડ્યો. જ્યારે ગોશાળો તાપસને ‘યુકા તાપસ’ કહીને ખિજવતો હતો ત્યારે ક્રોધે ભરાયેલા તે તાપસે ગોશાળા ઉપર તેજોલેશ્યા ફેંકતા ગોશાળો બળ-બળુ થઈ રહ્યો હતો, તેવા અવસરે કરુણાના સાગર એવા, છદ્મસ્થ અવસ્થામાં રહેલા પ્રભુ વીરે તેને શીતલેશ્યાથી ઠાર્યો. અભિવ એવા સંગમદેવને તારી ન શકવા બદ્દલ એ કરુણાના કરનારે પોતાની આંખોને કરુણાભીના અશ્રુથી ભીંજવી. વળી દેહધારી રહ્યાં ત્યાં સુધી સંસારના સર્વ પ્રસંગોમાં વસ્તુ અને વ્યક્તિ પ્રત્યે ઉદાસ-નિર્લેપ રહ્યા. એટલે સુધી કે તીર્થંકર નામકર્મના વિપાકોદયમાં અષ્ટપ્રાતિહાર્યોથી શોભિત, ચોંત્રીસ અતિશયોથી યુક્ત મહિમાવંત અને પાંત્રીસ ગુણોથી અલંકૃત વાણીના સર્વોચ્ચ ઐશ્વર્યની વચ્ચે પણ વીતરાગ રહ્યા. પુણ્યકર્મ શું કે પાપકર્મ શું; કર્મમાત્ર પ્રભુને બોજારૂપ અને બંધનરૂપ લાગતા હતા. તેથી જ પ્રભુ જગતના સર્વ પદાર્થો પ્રત્યે ઉદાસીન-નિર્લેપ-નિર્મમ રહેતાં હતા. છતાં પણ પ્રભુનું મુખારવિંદ નિષ્કર્મ થયાની પ્રસન્નતાથી અને ઉદાસીન-નિર્લેપ હોવા છતાંય જગત સમગ્રના જીવમાત્ર પ્રત્યેની કરુણારૂપી કોમળતાથી દેદીપ્યમાન મોહક આભામંડળથી શોભિત હતું. બાકી જગતના જે જીવો દુઃખથી હારી, થાકીને ઉદાસ દેખાય છે તે કાંઈ ઉદાસીનતા-નિર્લેપતા નથી પણ દીનતા-ખિન્નતા છે, જે અપ્રશંસનીય છે. પ્રભુજીની જે છેલ્લા ભવની લડત હતી, તે કોઈનું છીનવી લેવાની કે પડાવી લેવાની, ઐહિક ભૌતિક લાભ માટે બાહ્ય શત્રુ વ્યક્તિની સામેની લડત નહોતી. એ તો પોતાના જ આંતરશત્રુઓ જે ઘાતિકર્મો છે, તેને હણવાની લડત હતી. એ લડતમાં કોઈ નામધારી, દેહધારી વ્યક્તિને (અ) શબ્દમાં મોક્ષ છે અને લક્ષ્યમાં વિષયકષાય છે તો તે ગુણષ્ટિ સાયી નથી. (બ) લક્ષ્યમાં જો સ્વરૂપ છે- મોક્ષ છે તો પછી પરિણમન શુદ્ધ કેમ ન હોય?

Loading...

Page Navigation
1 ... 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456