Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh

View full book text
Previous | Next

Page 423
________________ શ્રી શીતલનાથજી 362 યોગીરાજજી હવે દ્વિતીય ભાંગામાં કર્મવિદારણ તીક્ષણ રે..” પંક્તિથી તીણતા-કઠોરતા વિષે જણાવી રહ્યાં છે. પ્રભુજીને જણાઇ ગયું છે કે જે ત્રાસદાયક છે અને જેણે મને હણીને અરિહત બનાવ્યો છે, તે તો, મારા આત્મપ્રદેશે ચોટેલા કર્મ છેવળગેલા પુદ્ગલ પરમાણુ છે. એ જડ-નિશ્ચેતન પુદ્ગલોએ જ મને-શુદ્ધ ચેતનને નિશ્ચેતન ચેતન અર્થાત્ મિશ્રચેતન-મિકેનિકલ ચેતન બનાવેલ છે. અનાદિના પુદ્ગલ-પરમાણુ સંયોગે મુજ નિષ્કર્મા, નિષ્કલંકીની આવી કર્મજનિત કલંકિત અવસ્થા છે. પુદ્ગલ જડ, રૂપી, વિનાશી હોવાથી મારી અરૂપી, અવિનાશી ચેતનની અવળી દશા થઈ છે. કારણ કે જડ, પરપુદ્ગલના ગુણધર્મો જ મારા શુદ્ધ ચેતનના ગુણધર્મોથી વિપરીતઉલટા છે. પુદ્ગલ-પરમાણુ જ મારા વિરોધી છે. એ વિરોધી છે તેથી શત્રુ છે-અરિ છે. એ અરિએ મને હણી નાખી નિચ્ચેતન ચેતન-મિશ્રચેતન અરિહત બનાવેલ છે અને મને ચારેય ગતિમાં, ચૌદ રાજલોકમાં ભમાવેલ છે. એ જ મારી અસ્થિરતા, અનિત્યતા, અપૂર્ણતા અને અસુખનું મૂળ કારણ છે. હવે મને હણનાર એ મારા અરિને હણીને, એને ચકનાચૂર કરીને મારે અરિહતમાંથી અરિહન્ત બનવાનું છે. આવા વિરોધી શત્રુ જેવા કર્મોને ચૂરી નાખવાના-ચીરી-ફાડી નાખવાનો જે ભાવ છે તે જ કર્મવિદારણ - કર્મનિવારણ માટેની તીક્ષ્ણતા-કઠોરતા-ક્રૂરતા છે. કર્મ પ્રત્યેની આ ક્રૂરતા છે કારણ કે અંદરમાં ભીતરના શુદ્ધાત્માની કરુણા-દયા છે. સ્વ આત્મચિંતા જ ઉપસર્ગ-પરિષહાદિના કઠોર માર્ગે પ્રયાણ કરાવે છે. તે આત્મચિંતા જ પુદ્ગલપરમાણુ માત્રને આત્મસ્વભાવના વિરોધી મનાવે છે. પછી તે, પુણ્યકર્મના ઉદયથી આવતા શુભ પુદ્ગલ પરમાણુ-શુભ સંયોગ હોય કે પછી પાપકર્મના ઉદયથી આવતા અશુભ પુદ્ગલ પરમાણુ-અશુભ સંયોગ જ્ઞાનીનું બઘું પ્રવર્તન નિમિત્ત-નૈમિત્તિક ભાવે હોવાથી તે મોક્ષમાર્ગ છે.

Loading...

Page Navigation
1 ... 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456