Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text ________________
359
હૃદય નયન નિહાળે જગધણી
卐
આપ કહો છો કે શ્રી શીતલનાથ પ્રભુજી કોમળતા-કઠોરતાઉદાસીનતાની ત્રિભંગીથી શોભે છે તો તે કેવી રીતે? સમજાવશો? સર્વ જંતુ હિતકરણી કરુણા, કર્મવિદારણ તીક્ષણ રે; હાનાદાનરહિત પરિણામી, ઉદાસીનતા વીક્ષણ રે. શીતલ
પાઠાંતરે ‘કરુણા‘ની જગાએ ‘કરતા, ‘હાંનાદાન’ની જગાએ ‘દાનીદાન’, ‘પરિણામી’ની જગાએ ‘પરિણામે’, ‘વીક્ષણ રે’ ની જગાએ ‘વિષણા રે’ એવો પાઠફેર છે.
શબ્દાર્થ ઃ કર્મવિદારણ=કર્મછેદન-કર્મનિવારણ તીક્ષણ =ધારદારઅણીદાર-પાણીદાર-ભેદક-તીવ્ર. હાનાદાન=હાન+આદાન=ત્યાગ અને ગ્રહણ-લેણદેણ. પરિણામી=પરિણમવાળા-ભાવવાળા-તે મય-તન્મય થનારા. વીક્ષણ=જોવું-જાણવું.
‘સવિ જીવ કરું શાસન રસી'ની ભાવનાથી ભાવિત, સર્વ જીવોનાં આત્મહિતથી કરુણાભીનું કોમળ હૃદય, સર્વ કર્મોને સર્વથા હણી નાખનારી તીક્ષણતા, અનિષ્ટ (પ્રતિકૂળતા)નો ત્યાગ અને ઇષ્ટ (સાનુકૂળતા)ના ગ્રહણના પરિણામ-ભાવથી પર એવી ઉદાસીનતા-નિર્લેપતારૂપ ત્રિભંગીને વિલોકવી-દેખવી જોઈએ.
લક્ષ્યાર્થ-વિવેચન : ‘‘જો હોવે મુજ શક્તિ ઈસી, વિ જીવ કરું શાસનરસી’’ એવી જે ભાવ-દયા મનમાં ઉલ્લસી છે તેનું જ પરિણામ તે ‘“સર્વ જંતુ હિતકરણી કરુણા...'' છે. જીવમાત્રના આત્મહિત આત્મકલ્યાણની ભાવનાથી હૈયુ જેમનું ભીનું અને કુણું બન્યું છે, તે કોમળ હૈયામાંથી વહેતી કરણી, તે જ કરુણા છે. એ કરુણાની કરણી એટલે જ તીર્થંકર ભગવંત દ્વારા દીક્ષા પૂર્વે દેવાતું દ્રવ્યદાન તે વરસીદાન,
અનાદિકાળથી પર્યાયષ્ટિ-વ્યવહારદષ્ટિથી પરિયિત છીએ. આત્મલીન-બ્રહ્મલીન થવા માટે દ્રવ્યદૃષ્ટિ-નિશ્ચયદૃષ્ટિથી પરિયિત થવું આવશ્યક છે.
Loading... Page Navigation 1 ... 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456