Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh

View full book text
Previous | Next

Page 391
________________ શ્રી સુવિધિનાથજી ‘સુરભિ અખંડ કુસુમગ્રહી, પૂજો ગત સંતાપ; સુમનજંતુ ભવ્ય જ પરે, કરીયે સમકિત છાપ.’’ “પાંચ કોડીને ફૂલડે, પામ્યા દેશ અઢાર; રાજા કુમારપાળનો, વર્ષો જય જયકાર.’’ “પાંચ કોડીના ફુલડે, પૂજ્યા ત્રિભુવનપાળ; શુભ પુણ્યથી તે થયા, કુમારપાલ ભૂપાળ.” ‘વિવિધ સુગંધી ફુલની, ગૂંથીએ સુંદર માળ; પ્રભુ કંઠે પહેરાવતાં, વરીએ શિવવધુ માળ.” 332 અખંડ સુગંધીત કુસુમ લઈને, સંતાપ રહિત, પુષ્પ જેવા પ્રસન્ન ને શુભમન-(સુમન)થી, સુમનપૂજા (પુષ્પપૂજા) કરવાની હોય છે. પ્રભુપૂજામાં સમર્પિતતા પ્રગટે છે તેમજ પુષ્પના જીવ ઉપર ભવ્યત્વની છાપ પડે છે, તેમ પૂજક ભક્ત ઉપર પણ સમકિત પ્રાપ્ત થવાની એંધાણીરૂપ આ પુષ્પપૂજા છે. આમ ત્રણ પ્રકારે અંગપૂજા કર્યા બાદ પાંચ પ્રકારની અગ્રપૂજા, પ્રભુજીની આગળ ગભારાની બહાર પ્રભુ સન્મુખ રહીને કરાતી હોય છે. ૪. ધૂપપૂજા : દશાંગ, લોબાન આદિનો ધૂપ કરીને અથવા તો ચંદન, કેવડો, અગર, મોગરો, દશાંગ, ગુલાબની સુગંધ ધરાવતી ધૂપસળીઅગરબત્તીથી પ્રભુજીની ધૂપપૂજા મંત્રોચ્ચાર સહિત નીચેના દુહા બોલવાપૂર્વક કરવામાં આવે છે. જ્ઞાનનું કષાયરૂપ વિકારી પરિણમન ન થતાં જ્ઞાનભાવે ઉપશમભાવમાં પરિણમન થાય તો શુદ્ધાત્મસ્વરૂપ પ્રગટે.

Loading...

Page Navigation
1 ... 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456