SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સુવિધિનાથજી ‘સુરભિ અખંડ કુસુમગ્રહી, પૂજો ગત સંતાપ; સુમનજંતુ ભવ્ય જ પરે, કરીયે સમકિત છાપ.’’ “પાંચ કોડીને ફૂલડે, પામ્યા દેશ અઢાર; રાજા કુમારપાળનો, વર્ષો જય જયકાર.’’ “પાંચ કોડીના ફુલડે, પૂજ્યા ત્રિભુવનપાળ; શુભ પુણ્યથી તે થયા, કુમારપાલ ભૂપાળ.” ‘વિવિધ સુગંધી ફુલની, ગૂંથીએ સુંદર માળ; પ્રભુ કંઠે પહેરાવતાં, વરીએ શિવવધુ માળ.” 332 અખંડ સુગંધીત કુસુમ લઈને, સંતાપ રહિત, પુષ્પ જેવા પ્રસન્ન ને શુભમન-(સુમન)થી, સુમનપૂજા (પુષ્પપૂજા) કરવાની હોય છે. પ્રભુપૂજામાં સમર્પિતતા પ્રગટે છે તેમજ પુષ્પના જીવ ઉપર ભવ્યત્વની છાપ પડે છે, તેમ પૂજક ભક્ત ઉપર પણ સમકિત પ્રાપ્ત થવાની એંધાણીરૂપ આ પુષ્પપૂજા છે. આમ ત્રણ પ્રકારે અંગપૂજા કર્યા બાદ પાંચ પ્રકારની અગ્રપૂજા, પ્રભુજીની આગળ ગભારાની બહાર પ્રભુ સન્મુખ રહીને કરાતી હોય છે. ૪. ધૂપપૂજા : દશાંગ, લોબાન આદિનો ધૂપ કરીને અથવા તો ચંદન, કેવડો, અગર, મોગરો, દશાંગ, ગુલાબની સુગંધ ધરાવતી ધૂપસળીઅગરબત્તીથી પ્રભુજીની ધૂપપૂજા મંત્રોચ્ચાર સહિત નીચેના દુહા બોલવાપૂર્વક કરવામાં આવે છે. જ્ઞાનનું કષાયરૂપ વિકારી પરિણમન ન થતાં જ્ઞાનભાવે ઉપશમભાવમાં પરિણમન થાય તો શુદ્ધાત્મસ્વરૂપ પ્રગટે.
SR No.005855
Book TitleHriday Nayan Nihale Jagdhani Part 01
Original Sutra AuthorAnandghan
AuthorMuktidarshanvijay
PublisherMatunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
Publication Year2008
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy