SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ 333 x હૃદય નયન નિહાળે જગધણી ધ્યાન ઘટા પ્રગટાવીએ, વામ-નયન જિન ધૂપ; મિચ્છર દુર્ગધ દૂરે ટળે, પ્રગટે આત્મસ્વરૂપ.” અમે ધૂપની પૂજા કરીએ રે, ઓ મન માન્યા મોહનજી, અમે ધૂપઘટા અનુસરીયે રે, ઓ મન માન્યા મોહનજી, અમે ધ્યાન તમારું ધરીએ રે, ઓ મન માન્યા મોહનજી, અંતે છે શરણ તમારું રે, ઓ મન માન્યા મોહનજી, નહિ કોઈ પ્રભુજીની તોલે રે, ઓ મન માન્યા મોહનજી.” જિનેશ્વર ભગવાનની ધૂપપૂજા કરતો થકો હું જિનસ્વરૂપના ધ્યાનની ઘટા પ્રગટાવી, મારા નયનોને એટલે કે સમ્યગ્દષ્ટિને વામી-દાબી દેનારી મિથ્યાત્વરૂપી દુર્ગંધને દૂર કરીને આત્મસ્વરૂપને પ્રગટ કરું! - સમકિતની પ્રાપ્તિ એ પ્રભુપૂજાનું મળવું જોઈએ તેવું અનંતર-ફળ છે. તેથી જ પૂજક ભક્તનું મન ગાઈ ઊઠે છે. કે. મોહનું હનન કર્યું હોવાથી આપ પ્રભુ અમારા મનને મોહી લેનાર અમારા મનના માનેલા માણીગર છો ! તેથી આપની ધૂપપૂજા કરીએ છીએ એ ધૂપની ઉર્ધ્વગામી ઘટાને અનુસરવા દ્વારા અમે પણ ઉર્ધ્વગામી થઈએ ! એ માટે હે પ્રભુજી! અમે આપનું અને આપના સ્વરૂપનું ધ્યાન ધરીએ કે જે અમારું પણ સ્વરૂપ છે પણ વર્તમાનમાં તે તિરોહિત છે. બધું કરીએ પણ છેવટે આપનું શરણ સ્વીકાર્યા સિવાય અમારો છૂટકારોઅમારા ભવભ્રમણનો અંત નથી. મારા પ્રભુજીની બરોબરી કરી શકે એવું આ જગતમાં કોઈ નથી. ઊંચો પ્રભુ તું ઊંચે. નીચો હું પ્રભુ નીચે. પૂરો તે પ્રભુ પરમ. ત્રિકાળ તત્ત્વનો સ્વીકાર એજ પારમાર્થિક સત્ય છે.
SR No.005855
Book TitleHriday Nayan Nihale Jagdhani Part 01
Original Sutra AuthorAnandghan
AuthorMuktidarshanvijay
PublisherMatunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
Publication Year2008
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy