Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust

View full book text
Previous | Next

Page 16
________________ તે તે કર્મના ઉદયે કાયાની અવિરતિપ્રત્યયિક ક્રિયા કરતા હોય ત્યારે પણ આ દૃષ્ટિમાં રહેલા યોગીઓનું ચિત્ત આગમમાં જ લીન હોય છે. ચિત્તને પકડી રાખનાર આક્ષેપક જ્ઞાનના કારણે, પાંચેય ઇન્દ્રિયોના તે તે વિષયોનો ભોગ ભવનું કારણ બનતો નથી. કારણ કે તે વખતે ચેષ્ટા-પ્રવૃત્તિની શુદ્ધિ હોય છે, જે મનની નિર્મળતાથી થાય છે. પ્રાપ્ત થયેલાં સાધનોનો યોગ્ય રીતે ઉપયોગ કરી અપ્રાપ્ત સાધનોને પ્રાપ્ત કરવાનું કાર્ય આ દૃષ્ટિમાં સરસ રીતે થાય છે. સાધન સાધનાંતરને લાવી ન આપે તો પ્રાપ્ત સાધન સિદ્ધિનાં કારણ નહીં બને. આ દૃષ્ટિમાં સાધનનો ઉપયોગ કરી અપ્રાપ્ત સાધનની પ્રાપ્તિ માટે યોગી પૂર્ણપણે પ્રયત્નશીલ હોય છે. આ દૃષ્ટિની એ એક અદ્ભુત સિદ્ધિ છે. મળેલાં સાધનોનો યોગ્ય રીતે ઉપયોગ કરી ન શકવાના કા૨ણે ઘણાખરા સાધકો સાધનામાર્ગથી વિચલિત બન્યા છે... ઇત્યાદિ અહીં યાદ રાખવું. ।।૨૪-૧૦ના ઉ૫૨ જણાવેલી વાતનું સમર્થન કરાય છે. આશય એ છે કે દશમા શ્લોકમાં ચોવિતમ્ – આ પદથી ‘જેમ કે કહ્યું છે' - એ પ્રમાણે જણાવ્યું હતું, તે હવે જણાવાય છે— मायाम्भस्तत्त्वतः पश्यन्ननुद्विग्नस्ततो द्रुतम् । તન્મધ્યેન પ્રયાત્યેવ, થથા વ્યાયાતવર્જિતઃ ।।૨૪-૧૧|| मायाम्भ इति–मायाम्भस्तत्त्वतो मायाम्भस्त्वेनैव पश्यन्ननुद्विग्नः । ततो मायाम्भसो द्रुतं शीघ्रं । तन्मध्येन मायाम्भोमध्येन प्रयात्येव, न न प्रयाति । यथेत्युदाहरणोपन्यासार्थः । व्याघातवर्जितो मायाम्भसस्तत्त्वेन व्याघातासमर्थत्वात् ।।२४-११।। યોગદૃષ્ટિસમુચ્ચયમાં (શ્લો.નં. ૧૬૫) પૂ.આ.ભ. શ્રી હરિભદ્ર સૂ. મહારાજાએ ફરમાવ્યું છે કે – “જેમ વૃક્ષની છાયામાં જણાતા પાણીને જેઓ પાણીનો આભાસ સમજે છે – એ પાણી વાસ્તવિક રીતે પાણી નથી એમ માને છે, તેઓ તેમાંથી કોઇ પણ પ્રકારના વિઘ્ન વિના ઉદ્વેગથી રહિતપણે તરત જ નીકળી જાય છે.” - આ પ્રમાણે અગિયારમા શ્લોકનો સામાન્યાર્થ છે. કહેવાનો આશય સ્પષ્ટ છે કે મૃગજળને જે મૃગજળ સ્વરૂપે જ જાણે છે તે ઉદ્વેગ પામ્યા વિના અવરોધરહિતપણે તે મૃગજળમાંથી જલદીથી નીકળી જાય છે. કારણ કે માયાપાણી વાસ્તવિક રીતે પ્રયાણમાં અવરોધ કરવા સમર્થ જ નથી. આ પ્રમાણે આ શ્લોકથી દૃષ્ટાંતનું વર્ણન કર્યું છે. તેનો ઉપનય હવે પછીના શ્લોકથી જણાવાય છે. ૨૪-૧૧ ઉપર જણાવ્યા મુજબ દૃષ્ટાંતનું વર્ણન કરીને હવે તેનો ઉપનય જણાવાય છે— એક પરિશીલન भोगान् स्वरूपतः पश्यंस्तथा मायोदकोपमान् । भुञ्जानोऽपि सङ्गः सन् प्रयात्येव परं पदम् ॥२४-१२॥ ૧૩

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 278