________________
ગરીબ વગેરેને અપાય છે, તેવી જ દેશના રાજા વગેરે પુણ્યવા આત્માને અપાય છે. આથી સમજી શકાય છે કે શ્રી આચારાગસૂત્રમાં જીવમાત્રને એકસરખી જ દેશના આપવાનું ફરમાવ્યું છે. તેથી બાલાદિ જીવોને આશ્રયીને દેશનામાં ફેરફાર કરવાનું ઉચિત નથી. કારણ કે સૂર-આગમનું ઉલ્લંઘન મહાન અનર્થનું કારણ છે – આવી શંકાનું નિરાકરણ કરાય છે –
कोऽयं पुरुष इत्यादिवचनादत एव च । पर्षदादिविवेकाच्च व्यक्तो मन्दस्य निग्रहः ॥२-४॥
“યથાસ્થાનદેશના આપવામાં ન આવે તો પરસ્થાનદેશના આપનાર વકતાને કુશીલતાસ્વરૂપ દોષનો પ્રસંગ આવતો હોવાથી જ જોડવં પુરુષ...ઇત્યાદિ વચનથી (શ્રી આચારાંગમાં) પુરુષાદિને જાણવાની અને પર્ષાદિના વિવેચનથી (શ્રી નંદીસૂત્રાદિમાં) પર્ષદાને જાણવાની વાત કરીને; તેમ કરવામાં ન જ આવે તો પરસ્થાનદેશનાને આપનારા મન્ટનો નિગ્રહ સ્પષ્ટપણે જણાવ્યો છે.- આ પ્રમાણે ચોથા શ્લોકનો અર્થ છે.
કહેવાનો આશય એ છે કે યથાસ્થાનદેશના આપવામાં ન આવે અને ઉપર જણાવ્યા મુજબના શ્રી આચારાંગસૂત્રના વચનાનુસાર રાજા અને રંકને એકસરખી જ દેશના આપવાની હોય તો, શ્રી આચારાંગસૂત્રમાં જ આગળ જઈને જે જણાવ્યું છે કે 'કોણ પુરુષ છે...'વગેરે – તે, ધર્મદેશકે જોવું જોઈએ. તેમ જ શ્રી નન્દીસૂત્ર વગેરેમાં પર્ષદાદિનું વિસ્તારથી વર્ણન કર્યું છે. એથી એ ચોક્કસ છે કે ધર્મદેશકે પુરુષાદિને અને પર્ષદાદિને જાણીને જ ધર્મદેશના આપવી જોઈએ. આથી જ આ પ્રમાણે ન કરવામાં આવે તો દેશાદિ અને પુરુષાદિના જ્ઞાનના અભાવવાળા મન્દ ધર્મદેશકનો નિગ્રહ એટલે કે
GિDDDDDDDD; CgNggEAgECONGS
suggggggBgE