Book Title: Deshna Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 61
________________ પ્રકરણાર્થનો ઉપસંહાર કરતાં વાસ્તવિક-ધર્મદેશના-પ્રદાતા પૂ. ગીતાર્થભગવન્તોની સ્તવના કરાય છે – जानाति दातुं गीतार्थो य एवं धर्मदेशनाम् । कलिकालेऽपि तस्यैव प्रभावाद् धर्म एधते ॥२-३१॥ “આ પ્રમાણે બાલાદિ જીવોને તેમની તેમની યોગ્યતા મુજબ ધર્મદેશના આપવાનું જે પૂ.ગીતાર્થ ગુરુભગવન્ત જાણે છે, તેમના જ પ્રભાવથી કલિકાલમાં પણ ધર્મ શોભે છે.” - આ પ્રમાણે એકત્રીસમા શ્લોકનો અર્થ છે. આશય ખૂબ જ સ્પષ્ટ છે. શ્રી તીર્થંકર પરમાત્માએ ઉપદેશેલા પરમતારક ધર્મનો પ્રસાર દરેક ભવ્યાત્માઓના હૃદય સુધી કરવા માટે ધર્મદેશના વિના બીજો કોઈ ઉપાય નથી. એ પરમતારક ધર્મદેશના આપવાનો અધિકાર માત્ર પૂ. ગીતાર્થ ગુરુભગવન્તને છે. પૂ. ગીતાર્થ ગુરુભગવન્ત દેશના આપવાના વિધિના જાણકાર હોવા જોઈએ. તેઓશ્રીના અચિન્ય સામર્થ્યથી કલિકાલમાં પણ ધર્મ દીપે છે. શ્લોકમાં જણાવેલી આ વાત નિરન્તર વિચારવી જોઈએ. શ્રી વીતરાગસ્તવમાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ પણ એ વાતને જણાવતાં ફરમાવ્યું છે કે શ્રદ્ધાસંપન્ન શ્રોતા હોય અને સુંદર બુદ્ધિમાન વક્તા હોય તો એ બંન્નેના યોગે કલિકાલમાં પણ ભગવાનના શાસનનું સામ્રાજ્ય એકછત્રી બની જાય. વર્તમાનની છિન્ન-ભિન્ન પરિસ્થિતિનું મુખ્ય કારણ આજની દેશના-પદ્ધતિ છે. ઉપર જણાવ્યા મુજબની શાસ્ત્રીય રીતે દેશના આપવાનું જ્યારથી બંધ થયું ત્યારથી આજની વેર-વિખેર સ્થિતિની શરૂઆત તો થઈ જ ગયેલી. મન બદલાય એટલે પ્રવૃત્તિ બદલાવવાની જ. મોક્ષનું અથાણું નાશ પામે એટલે બધું જ નષ્ટ છે. મોક્ષની DિDDDDDDED GUJuggggggS

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64