________________
બારડેલીમાં શું બન્યું?— સરકારપક્ષ સેટલમેન્ટ કમિશનર સાહેબને મોકલવામાં આવ્યો હતો, અને ગણત, વેચાણ વગેરે વિષેના કેટલાક ફકરાઓમાં તેમણે સૂચવેલા સુધારા કરીને તે પાછો તેમના ઉપર પાસ થવા માટે મોકલવામાં આવ્યું હતું. હવે એ પાસ થઈને આવ્યો છે અને તે શિરસ્તા મુજબ સરકારને મોકલવામાં આવે છે.” આ તેમણે સુરતના કલેક્ટર તરીકે લખેલું. સેટલમેન્ટ ઑફિસરને રિપેટ સામાન્ય રીતે કલેકટર મારફતે સરકારને મોકલવામાં આવે છે. કલેક્ટર તેના ઉપર શેર કરે છે, અને સેટલમેન્ટ કમિશનરને રવાના કરે છે. શ્રી. જ્યકરને રિપોર્ટ કલેકટરના શેરો મેળવવા ભાગ્યશાળી નહિ થયો, કારણ તે વેળા શ્રી. જયકર પોતે જ કામચલાઉ કલેકટર થયા હતા. પણ સરકારી ઠરાવની ભાષામાં, “અગાઉ સૂરતના કલેકટર તરીકે કામ કરેલું એવા સેટલમેન્ટ કમિશનરે એને ઝીણવટથી તપાસ્ય અને લગભગ આખો રિપોર્ટ ફરી લખી કાઢયો છે.” એટલે આપણે જે રિપોર્ટ શ્રી. જયકરના રિપોર્ટ . તરીકે જોઈએ છીએ તે તેમને મૂળ રિપોર્ટ નથી પણ સેટલમેન્ટ કમિશનર મિ. ઍડર્સને “લગભગ આખો ફરી લખી કાઢેલો' રિપોર્ટ છે. મૂળ નમૂનો કેવો હશે એ ભગવાન જાણે. પણ, સંભવ છે કે ગણોત વેચાણવાળા ફકરાઓ શ્રી. જયકરના હોવાને બદલે આખા મિ. ઍડસનના લખેલા હોય.
તે પણ આપણે શ્રી. જયકરના રિપોર્ટમાં બારડોલી વિષે શી ભલામણ કરવામાં આવી તે ઉપર આવીએ. શ્રી. જયકરે આખા તાલુકામાં ચાલતા મહેસૂલના દરમાં પચીસ ટકા વધારો સૂચવ્યો, પણ ૨૩ ગામોને નીચલા વર્ગમાંથી ઉપલા વર્ગમાં ચડાવવામાં આવ્યા એટલે પરિણામે એ ગામોના ઉપર ઉપલા વર્ગને વધારે મહેસૂલનો અને મહેસૂલના વધારેલા દરનો એમ બેવડો માર પડ્યો, અને આખા તાલુકાનું મહેસૂલ ૩૦ ટકા વધી ગયું. મૂળ મહેસૂલ રૂ. ૫,૧૪,૭૬૨ હતું તેને બદલે તે રૂા. ૬,૭૨,૨૭૩ કરવાની ભલામણ થઈ. આ ભલામણનાં કારણે તેમણે નીચે પ્રમાણે જણાવ્યાં હતાં ?
૧. ગયા રિવિઝન પછી ટાટી વેલી રેલ્વે નવી બોલવામાં આવી અને તાલુકામાં અનેક પાકા નવા રસ્તાઓ થયા છે.
૧૭