________________
૨ જી
ભક્ષણનીતિ
C
કમિટીની ભલામણ પ્રમાણે કાયદેા થાય ત્યાં સુધી તે ધીરજ રાખા, ત્યાં સુધી રિવિઝન કરવાં મેાફ઼ રાખેા, સરકાર કાયદેા કરતાં ઢીલ કરે તેથી ગરીબ ખેડૂતાને નાહકને માર ન મારે એમ સૂચવવામાં આવ્યું, ત્યારે સરકારના મહેસુલમંત્રીએ કહ્યુંઃ શું કરીએ ? અમારી તિજોરી ખૂટી ગઈ છે. ૨૫ તાલુકામાં ૧૦ના લાખના વધારા થયા છે તે મૂકી દેવામાં આવે તે। સરકારની શી દશા થાય ?’ આમ એક તરફથી નવા થનારા કાયદાને નકામે કરવાની પેરવી થઈ રહી, ખીજી તરફથી એક પછી એક તમામ તાલુકાઓનું કાટલું કઢાતું ગયું !
આજના જમાનાના મહેસુલમંત્રીના આ ઉદ્ગારા સાથે અગાઉના સરકારી અમલદારાના ઉદ્ગારે। સરખાવીએ. ક્રેઝર ટાઇલરે ૧૮૪૧ માં કહ્યું હતું: “ મહેસૂલઆકરણીએ ખેડૂતના કલ્યાણના વિષય હાવાથી એ આકારણી કરતાં આપણે એ વિચારવું જોઈએ કે સરકારે ખેડૂતની પાસે કેટલું રહેવા દેવું જોઈ એ, હિ કે ખેડૂત સરકારને કેટલું આપી શકે છે. ’ ૧૮૬૪માં મુંબઈના ગવર્નર સર ખાલ કીઅરે કહ્યું હતું: સરકારે સાક્ કરાવ્યું છે કે સરકારની તિજોરીની શા સ્થિતિ છે તેને વિચાર તેા ગાણુ છે, ખરા વિચાર તે લેાકેાના કલ્યાણના છે, મહેસૂલ વધાર્યાં ધટાડવાથી ખેડૂતની શી સ્થિતિ થશે તેને છે. '
:
ખેડૂતના લેાહીનું છેલ્લું ટીપું ચૂસવાની આ નીતિ જ એવી છે કે જેની સામે કર ન ભરવાના સત્યાગ્રહની એક મેટી લડત લડાવી જોઈએ. પણ શ્રી. વલ્લભભાઈ પટેલ પાસે સને ૧૯૨૮ માં એ મેટી લડતને વિચાર નહેાતા, એમને તે એક નાનકડા પ્રશ્ન ઉપર જ લડત લડી લેવી હતી. પણ એને વિચાર આવતા પ્રકરણમાં કરશું.