Book Title: Akalanknikalank
Author(s): Harilal Jain
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 13
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates તત્ત્વચર્ચા અને મુનિદર્શન : ૭ ચંદ્ર : અહા! સમ્યગ્દર્શનનો તો અપાર મહિમા સાંભળ્યો છે. ભાઈ, તે સમ્યગ્દર્શનની આરાધના કેવી રીતે થાય? અકલંક : આમાની ખરેખરી લગનીપૂર્વક, જ્ઞાની-સંતો પાસેથી તેની સમજણ કરવી જોઈએ, અને પછી અંતર્મુખ થઈને તેનો અનુભવ કરવાથી સમ્યગ્દર્શન થાય છે. ભરત : આવું સમ્યગ્દર્શન થતાં આત્માનો કેવો અનુભવ થાય? નિકલંક : અહા, એનું શું વર્ણન કરવું! સિદ્ધ ભગવાન જેવો વચનાતીત આનંદ ત્યાં અનુભવાય છે. ( હવે અકલંક પૂછે છે કે બાળકો જવાબ આપે છે) અકલંક : જુઓ, મોક્ષશાસ્ત્રમાં કહ્યું છે કે “તત્ત્વાર્થ શ્રદ્ધાન સભ્યનમ્' તે વ્યવહારશ્રદ્ધા છે કે નિશ્ચય? જ્યોતિ : તે નિશ્ચયશ્રદ્ધા છે; કેમકે ત્યાં મોક્ષમાર્ગ બતાવવો છે; અને ખરો મોક્ષમાર્ગ તો નિશ્ચય રત્નત્રય જ છે. નિકલંક : તત્ત્વો કેટલા છે? આશિષ : તત્ત્વો સાત છે; તેની શ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે. અકલંક : તે સાત તત્ત્વોનાં નામ કહો જોઈએ! હુસમુખ : જીવ, અજીવ, આસ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ-એ સાત તત્ત્વો છે. સુરેશ : સમયસારમાં તો નવ તત્ત્વ કહ્યાં છે, તો અહીં Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87