Book Title: Akalanknikalank
Author(s): Harilal Jain
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 71
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates વાદવિવાદ : ૬૫ નકાર કરી રહ્યા છો. રે અજ્ઞાન! ઠીક! હવે હું જે પ્રશ્ન પૂછીશ તેનો જવાબ તમે પોતે જ આપશો કે બીજું કોઈ ? સંઘશ્રી : મારા પછી બીજો આત્મા ઉત્પન્ન થશે તે જવાબ આપશે. અકલંક : તો તો તમારે હાર કબૂલ કરવી પડશે. સંઘશ્રી : શા માટે? અકલંક : કેમકે, મારા પ્રશ્નનો જવાબ આપવાની જવાબદારી તમારી છે. પરંતુ તમારા સિદ્ધાંત અનુસાર તમે પોતે તો મારા પ્રશ્નનો જવાબ નથી આપી શક્તા, તેથી તમારો એકાંતક્ષણિકવાદનો પક્ષ હારી ગયો. અથવા તો, મારા પ્રશ્નનો જવાબ આપવા માટે તમારે તમારી નિત્યતા સ્વીકારવી પડશે; એ રીતે પણ તમારા પક્ષ ઊડી જાય છે, અને અનેકાન્ત સિદ્ધ થતાં જૈનધર્મનો વિજય થાય છે. સંઘશ્રી (જરાવાર લમણે હાથ દઈને... પછી રાજા તરફ જોઈને) : મહારાજ! મારા માથામાં ચક્કર આવે છે... માટે આ ચર્ચા હવે આવતી કાલ ઉપર મુલતવી રાખએ... તો? રાજા : બોલો, અકલંકકુમાર! તમારો શો મત છે? અકલંક : મહારાજ ! ખરી વાત એ છે કે, એમને માથામાં ચક્કર નથી આવતા, પણ એમની બુદ્ધિ જ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87