________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અકલંક-સાહિત્ય-પરિચય : ૭૯
प्रणम्य सर्वविज्ञानमहास्पदमुरूश्रियम्।
निौतकल्मषं वीरं वक्ष्ये तत्त्वार्थ वार्तिकम्।। લધીયસ્ત્રય : આમાં પ્રમાણપ્રવેશ, નયપ્રવેશ અને પ્રવચનપ્રવેશ
એવા ત્રણ લધુપ્રકરણો હોવાથી “લવીયસ્ત્રય” નામ છે. કુલ ૭૮ પદ છે, ને તેના ઉપર ગધમાં સ્વોપજ્ઞ વિવરણ છે. પ્રથમ શ્લોક નીચે મુજબ છે
धर्मतीर्थकरम्योस्तु स्याद्वादिभ्यो नमोनमः।
कषभादि महावीरान्तभ्य : स्वात्मोपलब्धये।। ( આ ગ્રંથ ઉપર પ્રભાચન્દ્રાચાર્યદેવે “ન્યાયકુમુચન્દ્ર' નામની વિસ્તૃત ટીકા રચી છે; તેમ જ અભયચન્દ્રસૂરિએ પણ
તાત્પર્યવૃત્તિ નામની ટીકા રચી છે.) ન્યાયવિનિશ્ચય : આ ગ્રંથમાં ૧. પ્રત્યશ્રપ્રસ્તાવ, ૨. પરોક્ષના
ભેદરૂપ અનુમાનપ્રસ્તાવ અને ૩. પ્રવચનપ્રસ્તાવ-એમ ત્રણ પ્રકરણ છે, કુલ ૪૮૦ કારિકા (પદ્ય ) છે, ને તેમાં દરેક કારિકાના ઉપોદઘાતરૂપે સ્વોપજ્ઞ ગદ્યાત્મકવૃત્તિ પણ છે. પહેલો શ્લોક નીચે મુજબ છે
प्रसिद्धशेषत्त्वार्थ प्रतिबुद्धैकमूर्तये।
नमः श्रीवर्धमानाय भव्याम्बुरुहभानवे।।
(આ ગ્રંથ ઉપર વાદિરાજસૂરિની ટીકા પણ છે.) અષ્ટશતી : સમન્તભદ્ર જેવા સમર્થ આચાર્યદવે રચેલ સુપ્રસિદ્ધ
દેવાગમસ્તોત્ર” અર્થાત્ “આપ્ત મીમાંસા' ઉપર અકલંકદેવે એક અર્થગંભીર ટીકા રચેલ છે, તે આઠસો શ્લોકપ્રમાણ હોવાથી તેનું નામ “અષ્ટશતી” છે. અને આ અદૃશતી ઉપર
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com