Book Title: Akalanknikalank
Author(s): Harilal Jain
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 72
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૬ : અકલંક-નિકલંક ચક્કરમાં પડી ગઈ છે. તેથી આ બહાનું શોધી કાઢયું છે. ભલે... આવતી કાલે તેઓ જવાબ આપે. પરંતુ મને ખાતરી છે કે એ તો શું પરંતુ એના સાક્ષાત્ બુદ્ધભગવાન આવે તોપણ મને જવાબ નહિ આપી શકે. રાજા : આજની સભા આવતી કાલ ઉપર મુલતવી રાખવામાં આવે છે. (સભા વિખરાય છે; પડદો પડે છે.) [૪] અકલંકનો વિજય અને જૈનધર્મની પ્રભાવના [ ફરીને રાજસભા શરૂ થાય છે. સભામાં એક બાજુ પડદો છે, તેની પાછળ બૌદ્ધ આચાર્ય સંઘશ્રી બેઠા છે, તેની બાજુમાં એક માટલુંમાથે કપડું બાંધેલું છે. અકલંક વગેરે સભામાં પ્રવેશ કરે છે. ] રાજા : કેમ, આજે સંઘશ્રી-મહારાજ હજી નથી આવ્યા? શું હુજી તેમને માથાના ચક્કર નથી ઊતર્યા? બુદ્ધકુમાર : મહારાજ ! એક ખાસ કારણસર આજે તેઓ જાહેરમાં નહિ બોલે, પણ પડદામાં રહીને જ તેઓ જવાબ આપશે. રાજા : એમ કેમ? Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87